એપશહેર

Spices for H3N2 Virus: એચ3એન2 ઇન્ફ્લૂએન્ઝાના શરદી-ખાંસીના લક્ષણોને દૂર કરશે આ 5 મસાલા, જાણો શું કહે છે રિસર્ચ

Spices to prevent H3N2 Symptoms: ઇન્ફ્લૂએન્ઝા Aના સબ-ટાઇપ H3N2ના કેસ વધી રહ્યા છે. આ ઇન્ફેક્શનથી બચવા માટે વિવિધ રિસર્ચ અનુસાર, જાણો કેવા મસાલાઓનું સેવન વધારી દેવું જોઇએ.

Authored byહેતલ ડાભી | I am Gujarat 17 Mar 2023, 11:10 am
How to prevent H3N2 Virus: એચ3એન2ને ઇન્ફ્લૂએન્ઝા એ વાયરસના સબ-ટાઇપ તરીકે ઓળખવામાં આવે છે. આ વાયરસના મુખ્ય લક્ષણો છે - ખાંસી, શરદી, શરીરમાં દુઃખાવો વગેરે. આ વિષાણૂઓ એટલા જોખમી છે કે, પરિવારમાં કોઇ એક વ્યક્તિને ઇન્ફેક્શન થાય તો આખા ઘરને સંક્રમિત કરી શકે છે.
I am Gujarat h3n2 virus pubmed research on how indian spices can prevent h3n2 symptoms
Spices for H3N2 Virus: એચ3એન2 ઇન્ફ્લૂએન્ઝાના શરદી-ખાંસીના લક્ષણોને દૂર કરશે આ 5 મસાલા, જાણો શું કહે છે રિસર્ચ


આ ખતરનાક વાયરસના કેસ ભારતમાં સૌથી વધારે જોવા મળી રહ્યા છે. જો કે, હેલ્થ એક્સપર્ટ્સ તેના લક્ષણનો સામાન્ય નહીં ગણવાની સલાહ આપી રહ્યા છે અને તેનાથી ડરવાની જરૂર નથી તેવું જણાવી રહ્યા છે. કારણ કે, આ ઇન્ફેક્શનથી યોગ્ય કાળજી અને ઇમ્યૂનિટીને મજબૂત બનાવીને બચી શકાય છે. Pubmed પર પ્રકાશિત એક રિસર્ચમાં રસોડાંના એવા 5 મસાલાઓનો ઉલ્લેખ છે જે ઇન્ફેક્શન દૂર કરીને રોગ પ્રતિકારક ક્ષમતાને વધારી શકે છે.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

​મેથી દાણા

મેથીને Trigonella foemum graecum તરીકે પણ ઓળખવામાં આવે છે, જે તેનું વૈજ્ઞાનિક નામ છે. મેથીમાં રહેલા એન્ટી વાયરસ ગુણો વાયરસને દૂર કરવા ઉપયોગી છે. આ સિવાય તેમાં રહેલા એન્ટી માઇક્રોબિયલ, એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણો પણ ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે.

​તજ

એચ3એન2 ફ્લૂ વાયરસથી બચવા તજ એટલે કે, Cinnamomum verum ઉપયોગી છે. તે એન્ટી વાયરલ હોવા ઉપરાંત તેના એન્ટી બેક્ટેરિયલ, એન્ટી માઇક્રોબિયલ, એન્ટી ફંગલ ગુણો શરીરને જીવાણુ અને વિષાણૂઓ સામે રક્ષણ આપે છે.

​આદુ

આદુ વાયરસના લક્ષણોને દૂર કરવા માટે ઉત્તમ છે. તેનું સાયન્ટિફિક નામ છે Zingiber officinale Roscoe જે ઇમ્યૂન સિસ્ટમને સંક્રમણ વિરૂદ્ધ મજબૂત બનાવે છે અને ઇન્ફ્લેમેશનને દૂર કરે છે.

​લવિંગ

લવિંગનો ઉપયોગ કરવાથી ઇમ્યૂનિટી પાવરમાં વધારો થાય છે. વૈજ્ઞાનિકો તેને Syzygium aromaticum તરીકે ઓળખે છે જે એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ઇન્ફ્લેમેન્ટરી, એન્ટી ફંગલ, એન્ટી માઇક્રોબિયલ કમ્પાઉન્ડ બનાવે છે અને શરદી-ખાંસીની સમસ્યા દૂર કરે છે.

​હળદર

હળદરનો ઉપયોગ એચ3એન2 ઇન્ફ્લૂએન્ઝા વાયરસથી બચાવી શકે છે. તેને વૈજ્ઞાનિક ભાષામાં Curcuma longa L. કહેવામાં આવે છે. જે ઇમ્યૂનિટી બૂસ્ટ કરીને કોઇ પણ ઇન્ફેક્શનને દૂર કરે છે.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

લેખક વિશે
હેતલ ડાભી
હેતલ ડાભી 13 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી જર્નાલિસ્ટ છે જેઓએ તેમની કારકિર્દીની શરૂઆત અમદાવાદના એક લોકલ ન્યૂઝપેપર સાથે વર્ષ 2007માં કરી હતી. કારકિર્દીની શરૂઆતથી લઇ અત્યાર સુધી તેઓએ ક્રાઇમ, બિઝનેસ, ટેક્નોલોજી, પોલિટિક્સ, ઇન્ટરનેશનલ અફેર્સ, ટ્રાવેલ, ફેશન, લાઇફસ્ટાઇલ જેવા વિવિધ સેક્શનમાં કામ કર્યુ છે. હાલમાં તેઓ લાઇફસ્ટાઇલ સેક્શનમાં છેલ્લાં એક વર્ષથી કામ કરે છે. જ્યાં તેઓના અનુભવના આધારે વિવિધ માહિતી અને રસપ્રદ આર્ટિકલ્સ લખી રહ્યા છે જે વાચકોને સતત નવી નવી માહિતી સાથે જકડી રાખે છે. જર્નાલિઝ્મ ઉપરાંત હેતલ ડાભીને વાંચન, લેખન અને ડાન્સનો શોખ છે. તેઓના સાહિત્ય પ્રત્યેના લગાવ અને સતત કંઇક નવું લખવા તેમ જ વાંચવાના શોખથી તેઓ એક પરિપક્વ લેખિકા છે અને આ જ બાબતની ઝલક તેમના કામમાં પણ સરળતાથી જોવા મળે છે.... વધુ વાંચો

Read Next Story