એપશહેર

ડાયાબિટીસની તકલીફમાં ખૂબ જ ફાયદાકારક છે ડુંગળી, જાણો કેવી રીતે ઉપયોગ કરી શકાય

I am Gujarat 10 Dec 2019, 5:01 pm
શરીરમાં બ્લડ શુગર લેવલ કંટ્રોલ બહાર જતું રહે ત્યારે ડાયાબિટીસનો ખતરો વધી જાય છે. ડાયાબિટીસના રોગીઓએ ડાયટ અંગે સચેત રહેવું પડે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ડાયાબિટીસની તકલીફમાં ડુંગળી સુપરફૂડ સાબિત થઈ શકે છે. આમ તો ડુંગળી ખાવાના અનેક ફાયદા છે. પરંતુ ડાયાબિટીસમાં વાત ખોરાક પર અટકી જાય છે. જો ડાયાબિટીસના દર્દી ડુંગળીને નિયમિત ખોરાકમાં શામેલ કરે તો તેમને અનેક પ્રકારના ફાયદા થઈ શકે છે. તે ફાઈબર, એન્ટિ ઓક્સિડન્ટ્સ અને લો કાર્બથી ભરપૂર હોય છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, શરૂ કરવા અહીં ક્લિક કરો– ડાયટ એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ ડાયાબિટીસના દર્દીઓએ લો કાર્બ ડાયટનું સેવન કરવું જોઈએ. ડુંગળીમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઓછું હોય છે. નિયમિત રીતે ડુંગળીનું સેવન કરવાથી ફાઈબર સાથે લો કાર્બ ફૂડ મળે છે.– ડુંગળીમાં ફાઈબર સારા પ્રમાણમાં હોય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ફાઈબર ડાયટ ફાયદાકારક પુરવાર થાય છે. ફાઈબર શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ નિયંત્રિત કરે છે અને બ્લડ શુગરને વધતું અટકાવે છે.– જે લોકો ડાયાબિટીસના દર્દી હોય તેમનું પાચનતંત્ર ખરાબ રહે છે. આવામાં લીલી ડુંગળીના સેવનથી પાચન સુધરે છે, શરીરનું મેટાબોલિઝમ મજબૂત બને છે. તે સુધરવાથી શુગર લેવલ પણ કંટ્રોલમાં આવે છે.– જે પણ ફૂડનો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછો હોય તે ડાયાબિટીસના રોગી માટે ફાયદાકારક પુરવાર થાય છે.ડુંગળીને સામાન્ય રીતે સબ્જી કે સલાડના રૂપમાં ખાવામાં આવે છે. ડાયાબિટીસના દર્દી ડુંગળી કેવી રીતે ખાય તે એક મોટો સવાલ છે. ડાયાબિટીસના દર્દી સૂપ, સલાડ, શાકમાં ડુંગળી ખાઈ શકે છે. સંતુલિત ભોજન માટે ડાયાબિટીસના દર્દીએ લીલી ડુંગળીનું શાક પણ ખાવું જોઈએ. જો તમને ડાયાબિટીસની તકલીફ હોય તો તમારે ડોક્ટરની સલાહ લઈ નિયમિત ડુંગળીનું સેવન કરવું જોઈએ.ડુંગળી ખાધા પછી મોઢામાંથી આવતી દુર્ગંધ આ રીતે કરો દૂર

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો