એપશહેર

KK Death: ડોક્ટરે કહ્યું, CPRથી કેકેનો જીવ બચી શક્યો હોત! જાણો 2 મિનિટની આ ટેક્નિકથી મોતને કેવી રીતે આપશો મ્હાત

What is CPR and how to do it: સિંગર કેકેના હૃદયમાં બ્લોકેજ હતા (heart blockages) હતા અને જો તેઓને યોગ્ય સમયે સીપીઆર (CPR) આપવામાં આવ્યું હોત તો તેઓનો જીવ બચી શકતો હતો. અચાનક શ્વાસ લેવામાં તકલીફ અથવા કાર્ડિયાક અરેસ્ટ જેવી સ્થિતિમાં આ મેડિકલ ટેક્નિકના ઉપયોગથી દર્દીનો જીવ બચાવી શકાય છે.

Authored byહેતલ ડાભી | I am Gujarat 3 Jun 2022, 10:42 am
KK Death: કેકેના નામથી પ્રખ્યાત બોલિવૂડના જાણીતા સિંગર કૃષ્ણકુમાર કુન્નાથ (Krishnakumar Kunnath)નું મંગળવારે રાત્રે કોલકત્તામાં એક લાઇવ કોન્સર્ટ બાદ કાર્ડિયાક અરેસ્ટથી નિધન થયું છે. કેકેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેઓના હાર્ટમાં બ્લોકેજ (heart blockages) હતા અને જો યોગ્ય સમયે તેઓને સીપીઆર (CPR) આપવામાં આવ્યું હોત તો તેઓનો જીવ બચાવી શકાયો હોત. આ જાણકારી ગુરૂવારે પોસ્ટમોર્ટમ કરનારા ડોક્ટરે આપી છે. અચાનક શ્વાસ અટકાઇ જવા અથવા કાર્ડિયાક અરેસ્ટ જેવી સ્થિતિમાં આ મેડિકલ ટેક્નિકનો ઉપયોગ કરીને દર્દીનો જીવ બચાવી શકાય છે.
I am Gujarat kk passes away late singer could have been saved if cpr was given immediately know what is cpr and how to do it
KK Death: ડોક્ટરે કહ્યું, CPRથી કેકેનો જીવ બચી શક્યો હોત! જાણો 2 મિનિટની આ ટેક્નિકથી મોતને કેવી રીતે આપશો મ્હાત


TOI રિપોર્ટ અનુસાર, ગાયક કેકેનું પોસ્ટમોર્ટમ કરનારા ડોક્ટરે કહ્યું કે, કેકેને લાંબા સમયથી હૃદય સંબંધી બીમારીઓ હતી, જેનું સમાધાન શક્ય નહતું. તેઓના ડાબી તરફના હૃદયમાં મુખ્ય ધમનીઓ અને આર્ટરીમાં એક મોટી અને અન્ય ધમનીઓ, ઉપ-ધમનીઓમાં નાના નાના બ્લોકેજ હતા. લાઇવ શો દરમિયાન વધુ ઉત્તેજિત થવાના કારણે તેઓનો બ્લડ ફ્લો અટકી ગયો, હૃદયની ગતિ અટકી ગઇ અને તેઓનું નિધન થયું.

(તસવીરોઃ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા)

ડાબી કોરોનરીમાં 80 ટકા બ્લોકેજ

ડોક્ટરે જણાવ્યું કે, કેકેની ડાબી તરફ મેઇન કોરોનરીમાં 80 ટકા બ્લોકેજ હતું જ્યારે અન્ય ધમનીઓ અને ઉપધમનીઓમાં નાના-નાના બ્લોકેજ હતા. કોઇ પણ બ્લોકેજ 100 ટકા નહતું. જો તેઓને તાત્કાલિક સીપીઆર આપવામાં આવ્યું હોત તો તેઓનો જીવ બચાવી શકાયો હોત. અહીં જાણો, સીપીઆર શું હોય છે અને આ ટેક્નિકનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે.

​સીપીઆર શું છે અને તેનો ઉપયોગ

સીપીઆરનું ફૂલ ફોર્મ કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન (Cardiopulmonary resuscitation) છે, આ ઇમરજન્સી મેડિકલ ટેક્નિક છે જેની મદદથી વ્યક્તિના શ્વાસ અને હૃદય બંધ પડી જવા પર તેનો જીવ બચાવી શકાય છે. જ્યારે કોઇ વ્યક્તિનું હૃદય બંધ પડી જાય છે તો તેમે કાર્ડિયાક અરેસ્ટ કહેવામાં આવે છે. કાર્ડિયાક અરેસ્ટ દરમિયાન હૃદય, મગજ અને ફેફસા સહિત બાકીના શરીરમાં લોહી યોગ્ય રીતે પમ્પ નથી થતું. યોગ્ય સારવારના અભાવે વ્યક્તિનું મોત ગણતરીની મિનિટોમાં થઇ શકે છે. સીપીઆરમાં વ્યક્તિની છાતી પર દબાણ બને છે જેનાથી બ્લડ ફ્લોને ઠીક કરવામાં મદદ મળે છે.

​સીપીઆરથી જીવ બચાવી શકાય છે?

CDC અનુસાર, હાલમાં હોસ્પિટલ બહાર કાર્ડિયાક અરેસ્ટથી પીડિત અંદાજિત 10માંથી 9 લોકોના મોત થાય છે. સીપીઆરની મદદથી આ સમસ્યાને ઘટાડી શકાય છે. કાર્ડિયાક અરેસ્ટ પહેલાં અમુક મિનિટોમાં દર્દીને સીપીઆર આપવામાં આવે તો દર્દીના જીવિત રહેવાની સંભાવના બેથી ત્રણ ગણી થઇ શકે છે.

​સીપીઆર કેવી રીતે આપવામાં આવે છે

તમારાં બંને હાથને દર્દીની છાતીની વચ્ચે રાખો અને 100થી 120 પ્રતિ મિનિટના દરે જોરથી છાતી પર ધક્કો (Pressure) આપો. દરેક ધક્કા બાદ છાતીને પોતાની સામાન્ય સ્થિતિમાં આવવા દો. ઇમરજન્સી હેલ્પ પહોંચે ત્યાં સુધી આવું કરતાં રહો.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા અથવા ઇલાજનો વિકલ્પ ના હોઇ શકે. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

લેખક વિશે
હેતલ ડાભી
હેતલ ડાભી 13 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી જર્નાલિસ્ટ છે જેઓએ તેમની કારકિર્દીની શરૂઆત અમદાવાદના એક લોકલ ન્યૂઝપેપર સાથે વર્ષ 2007માં કરી હતી. કારકિર્દીની શરૂઆતથી લઇ અત્યાર સુધી તેઓએ ક્રાઇમ, બિઝનેસ, ટેક્નોલોજી, પોલિટિક્સ, ઇન્ટરનેશનલ અફેર્સ, ટ્રાવેલ, ફેશન, લાઇફસ્ટાઇલ જેવા વિવિધ સેક્શનમાં કામ કર્યુ છે. હાલમાં તેઓ લાઇફસ્ટાઇલ સેક્શનમાં છેલ્લાં એક વર્ષથી કામ કરે છે. જ્યાં તેઓના અનુભવના આધારે વિવિધ માહિતી અને રસપ્રદ આર્ટિકલ્સ લખી રહ્યા છે જે વાચકોને સતત નવી નવી માહિતી સાથે જકડી રાખે છે. જર્નાલિઝ્મ ઉપરાંત હેતલ ડાભીને વાંચન, લેખન અને ડાન્સનો શોખ છે. તેઓના સાહિત્ય પ્રત્યેના લગાવ અને સતત કંઇક નવું લખવા તેમ જ વાંચવાના શોખથી તેઓ એક પરિપક્વ લેખિકા છે અને આ જ બાબતની ઝલક તેમના કામમાં પણ સરળતાથી જોવા મળે છે.... વધુ વાંચો

Read Next Story