એપશહેર

ઘરે 30 મિનિટમાં બનાવી શકો છો બજારમાં મળતી મોંઘી એલોવેરા જેલ

ચામડીને લગતી સમસ્યાઓમાં એલોવેરાને સૌથી સારો ઉપાય માનવામાં આવે છે. તમે ઘરે પણ એલોવેરા જેલ બનાવી શકો છો.

I am Gujarat 29 Sep 2020, 1:54 pm
એલોવેરા એક છોડ છે જે આજકાલ લગભગ ઘરોમાં પણ જોવા મળે છે. તેના પાંદડાઓમાં ભરપુર પ્રમાણમાં મોઈશ્ચરાઈઝિંગના ગુણો હોય છે. આ માત્ર સ્કીન માટે જ નહીં પણ વાળ માટે પણ ફાયદારુપ માનવામાં આવે છે. આજકાલ માર્કેટમાં પણ ઘણી બ્યુટી પ્રોડક્ટ્સ જોવા મળે છે કે જેમાં એલોવેરાનો ઉપયોગ કરવામાં આવે છે અને તેના ફાયદા વિશે જણાવવામાં આવે છે. જો તમે ઈચ્છતા હોવ કે માર્કેટમાંથી એલોવેરા જેલ લાવવાના બદલે કેમિકલ વગરનું એલોવેરા જેલ ઘરે બનાવો તો તે શક્ય છે. અને તેના માટે તમારે સામાન્ય મહેનત કરવાની જરુર છે. આવો જાણીએ એલોવેરા જેલ ઘરે બનાવવી હોય તો કેટલો સમય લાગે અને કઈ રીતે તેને સાચવી શકાય છે.
I am Gujarat make aloe vera gel at home in half an hour
ઘરે 30 મિનિટમાં બનાવી શકો છો બજારમાં મળતી મોંઘી એલોવેરા જેલ


​ઘરે કઈ રીતે બનાવશો એલોવેરા જેલ?

જો તમે ઈચ્છતા હોવ કે ઘરે એલોવેરા જેલ બનાવવું છે તો તેના માટે તમારી પાસે એલોવેરાનો છોડ હોય તે જરુરી છે. આ છોડમાંથી પાંદડા લઈને તેમાંથી એલોવેરા જેલ બનાવી શકાય છે. એલોવેરાના છોડમાંથી તેના મોટા દેખાતા પાંદડા છોડને નુકસાન ના થાય એ રીતે અલગ કર્યા બાદ આવો આગળ જાણીએ કે તેમાંથી જેલ કઈ રીતે બનાવીશું. આ જેલથી સ્કીનને ઘણાં ફાયદા થાય છે.

​એલોવેરા જેલ બનાવવાની સરળ રીત

એલોવેરાના પાંદડા એકઠા કરી લીધા બાદ તેમાંથી જેલ બનાવવા માટે 30 મિનિટની જરુર છે. એલાવેરાનું જેલ બનાવવા માટે તેના મોટા પાંદડા લેવા જેથી તેમાંથી સારા પ્રમાણમાં ગલ મળી શકે. એલોવેરાના પાંદડાનો ઉપરનો લીલો ભાગ ચાકુથી છોલી લો અને અંદર રહેલો જેલવાળો ભાગ અલગ વાસણમાં લઈ લો. જેને બ્લેન્ડરથી સારી રીતે મિક્સ કરી લો. હવે તેમાં વિટામિન C અને E એડ કરી દો, આ બન્નેમાં એન્ટિઓક્સિડેન્ટ અને એન્ટી-એજિંગ ગુણ હોય છે.

​કેટલા દિવસ સુધી ઉપયોગમાં લઈ શકાય?

ઘરે બનાવેલા એલોવેરા જેલમાં પ્રિર્ઝ્વેટિવ નહીં નાખ્યું હોય તો તે લાંબો સમય સાચવી શકાશે નહીં. માટે તેમાં જો શક્ય હોય તો તમે એલોવેરાના 1 કે 2 પત્તામાંથી જેલ તૈયાર કરો કે જેથી તેનો ઉપયોગ એક જ વારમાં કરી લેવાય અને તેને સાચવવી ના પડે. જો તેને લાંબો સમય સુધી સાચવવા માગતા હોવ તો તેમાં વિટામીન C ને વિટામિન E કેપ્સૂલ નાખો.

​કઈ રીતે એલોવેરા જેલનો ઉપયોગ કરશો?

તમે સ્કીન પર સીધો એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. એલોવેરા જેલ સનબર્ન, નાની ઈજા, ઘા કે ચામડી કપાઈ હોય તેમાં પણ ઉપયોગી થઈ શકે છે. એલોવેરા સ્કીનની ડ્રાયનેસ દૂર કરે છે અને તેને ઘણી જ મોઈશ્ચયુરાઈઝર બનાવે છે. સ્કીનને મોઈશ્ચર પૂરું પાડવા માટે એલોવેરાનો ઉપયોગ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આવામાં બજારમાં રુપિયા ખર્ચવાના બદલે ઘરે જ નેચલ જેલ તૈયાર કરી શકો છો.

કોણે ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ?

જે મહિલાઓ ગર્ભવતી છે અથવા સ્તનપાન કરાવે છે અને જે બાળકો 12 વર્ષથી નાના હોય તેમણે એલોવેરાનો મૌખીક ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. આ સાથે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે શરીર પર એલોવેરાની કોઈ આડઅસર જેવી કે- ખુજલી, બળતરા થાય તો એલોવેરાનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. જે લોકોને લસણ, ડુંગળી, તુલીપની એલર્જી હોય તેમણે પણ એલોવેરાનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો