એપશહેર

Norovirus: આ વાયરસથી પ્રતિ વર્ષ 68.5 કરોડ કેસ અને 2 લાખ લોકો જીવ ગુમાવે છે, જાણો કેવી રીતે કરશો બચાવ

Norovirus: નોરોવાયરસ જેને ઉલ્ટીના કીડા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પેટમાં ઝડપથી ઇન્ફેક્શન ફેલાવે છે અને આતરડાં અને પેટમાં સોજાનું કારણ બને છે. અહીં જાણો, તેનાથી કેવી રીતે બચી શકાય છે.

Authored byહેતલ ડાભી | I am Gujarat 29 Feb 2024, 1:03 pm
Norovirus or Stomach Bug: Norovirus જેને સામાન્ય રીતે Stomach Bug તરીકે ઓળખવામાં આવે છે, તેને શિયાળુ કીડા પણ કહેવામાં આવે છે. જે અમેરિકાના ઉત્તર પૂર્વી ભાગમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. આ એક ગંભીર બીમારી છે જે કોઇ પણ ઉંમરના વ્યક્તિને પ્રભાવિત કરી શકે છે અને ઝડપથી ફેલાય છે.
I am Gujarat norovirus outbreak in the us know how to protect yourself from this stomach bug
Norovirus: આ વાયરસથી પ્રતિ વર્ષ 68.5 કરોડ કેસ અને 2 લાખ લોકો જીવ ગુમાવે છે, જાણો કેવી રીતે કરશો બચાવ


યુએસ સેન્ટર ફોર ડિઝિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, નોરોવાયરસ એક સંક્રામક વાયરસ છે જે ઉલટી, ડાયરિયા, ઉબકાં અને પેટમાં દુઃખાવાનું કારણ બને છે. પેટ ફ્લૂ (Stomach Flu) તરીકે જાહેર કર્યા છતાં તેને ઇન્ફ્લૂએન્ઝા (Influenza) સાથે કોઇ સંબંધ નથી. આ વાયરસ આપણાં શરીરમાં પ્રવેશ કરે છે તો પેટ અને આતરડાંમાં સોજા થાય છે.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

​નોરોવાયરસ કેવી રીતે ફેલાય છે?

નોરોવાયરસ વિભિન્ન માધ્યમોથી ફેલાઇ શકે છે, જેમાં સંક્રમિત વ્યક્તિની સાથે સીધા સંપર્કમાં આવવું, દૂષિત ભોજન અથવા પાણીનું સેવન, દૂષિત સપાટીને અડકવું ત્યારબાદ નાક કે મોઢાને અડવાથી કે હાથ ધોયા વગર ભોજન લેવાથી પેટને નુકસાન થાય છે. આ બીમારીના લક્ષણો સામાન્ય રીતે તેના સંપર્કમાં આવ્યાના 12થી 48 કલાકમાં જોવા મળે છે. તે નાના બાળકો, વડીલો અને કમજોર ઇમ્યૂન સિસ્ટમવાળા લોકોને વિશેષ રીતે થઇ શકે છે.

​68.5 કરોડ કેસ, અંદાજિત 2 લાખ મોત

નોરોવાયરસ કેટલો જોખમી છે તેનો અંદાજ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના આંકડાઓથી લગાવી શકાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, વિશ્વમાં પ્રતિ વર્ષ નોરોવાયરસના 68.5 કરોડ અનુમાનિત કેસ નોંધાયા છે અને આ વાયરસથી પ્રતિ વર્ષ અંદાજિત 2 લાખ લોકો જીવ ગુમાવે છે. WHO અનુસાર, વિશ્વમાં આ વાયરસના કારણે દુનિયાને અંદાજિત 60 બિલિયન ડોલરનું આર્થિક નુકસાન થાય છે.

​કેવી રીતે કરશો બચાવ?

નોરોવાયરસ વિરૂદ્ધ ચોક્કસ ઇલાજ નથી, તેનાથી બચાવ જ શક્ય છે. બ્રિટિશ નેશનલ હેલ્થ સર્વિસ (NHS) અનુસાર, તેનાથી સંક્રમિત થયા બાદ ઘરે જ ઇલાજ કરી શકાય છે. આ માટે વારંવાર હાથ ધૂઓ, ફળો-શાકભાજીને ધોઇને પકાવો, લક્ષણો જોવા મળે તો સંક્રમિત લોકોથી દૂર રહો.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

લેખક વિશે
હેતલ ડાભી
હેતલ ડાભી 13 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી જર્નાલિસ્ટ છે જેઓએ તેમની કારકિર્દીની શરૂઆત અમદાવાદના એક લોકલ ન્યૂઝપેપર સાથે વર્ષ 2007માં કરી હતી. કારકિર્દીની શરૂઆતથી લઇ અત્યાર સુધી તેઓએ ક્રાઇમ, બિઝનેસ, ટેક્નોલોજી, પોલિટિક્સ, ઇન્ટરનેશનલ અફેર્સ, ટ્રાવેલ, ફેશન, લાઇફસ્ટાઇલ જેવા વિવિધ સેક્શનમાં કામ કર્યુ છે. હાલમાં તેઓ લાઇફસ્ટાઇલ સેક્શનમાં છેલ્લાં એક વર્ષથી કામ કરે છે. જ્યાં તેઓના અનુભવના આધારે વિવિધ માહિતી અને રસપ્રદ આર્ટિકલ્સ લખી રહ્યા છે જે વાચકોને સતત નવી નવી માહિતી સાથે જકડી રાખે છે. જર્નાલિઝ્મ ઉપરાંત હેતલ ડાભીને વાંચન, લેખન અને ડાન્સનો શોખ છે. તેઓના સાહિત્ય પ્રત્યેના લગાવ અને સતત કંઇક નવું લખવા તેમ જ વાંચવાના શોખથી તેઓ એક પરિપક્વ લેખિકા છે અને આ જ બાબતની ઝલક તેમના કામમાં પણ સરળતાથી જોવા મળે છે.... વધુ વાંચો

Read Next Story