એપશહેર

વધારે વજન ધરાવતા લોકોમાં કોરોનાના સંક્રમણની શક્યતાઓ વધુ: રિપોર્ટ

Navbharat Times 27 Jul 2020, 4:08 pm
શરીરમાં વજન વધતા અને ચરબી જમા થતા ડાયાબિટીસ, હાર્ટ અટેક અને સાંધામાં દર્દ થવું જેવી ખતરનાક બીમારીઓની શક્યતાઓ રહેલી છે. પણ, ઈંગ્લેન્ડમાં કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓમાં મેદસ્વી એટલે કે શરીરનું વજન વધારે હોવાની પણ એક અલગ પ્રકારની સમસ્યા જોવા મળી. જેનાથી એવું તારણ સામે આવ્યું છે કે વધુ વજન ધરાવતા લોકો જલદી કોરોના વાયરસના સંક્રમણનો ભોગ બને છે અથવા તેઓમાં કોરોના વાયરસનો વધુ ખતરો રહેલો છે.
I am Gujarat q1
પ્રતીકાત્મક તસવીર


ઈંગ્લેન્ડમાં જે રીતે કોરોના વાયરસ સંક્રમણના કેસ વધી રહ્યા હતા અને જે દર્દીઓને ગંભીર હાલતમાં વેન્ટિલેટર્સની જરૂર પડી રહી હતી, તે સ્થિતિ પર એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં પબ્લિક હેલ્થ ઓફ ઈંગ્લેન્ડ તરફથી જણાવવામાં આવ્યું હતું કે જે લોકોનું વજન વધારે છે તેઓમાં કોરોના વાયરસના લક્ષણ અન્ય સામાન્ય દર્દીઓની સરખામણીમાં ઘણાં ઘાતક સ્તરે જોવા મળ્યા છે.

આ રિપોર્ટમાં એવું તારણ પણ સામે આવ્યું છે કે કોરોના વાયરસના જે દર્દીઓનું વજન વધારે હતું તેઓમાં વેન્ટિલેટરની જરૂરિયાત ઊભી થઈ હોય તેવા દર્દીઓની સંખ્યા પણ વધારે હતી. ત્યાંની સરકાર આગામી સમયમાં એવા પગલાં ઉઠાવી શકે છે કે જેમાં લોકો પોતાના શરીરના વજન પર નિયંત્રણ રાખે તેની વાત હોય.

એક રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે એક વાત સ્પષ્ટ છે કે મેદસ્વી શરીર અને વધી ગયેલું વજન, કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતા જીવલેણ સાબિત થઈ શકે છે. આ સિવાય પણ શરીરનું વધારે વજન હોવાને લીધે અન્ય ગંભીર બીમારીઓનો પણ ખતરો રહેલો છે. માટે જો કોઈપણ વ્યક્તિ જો તેના વજન પર નિયંત્રણ મેળવશે તો અનેક પ્રકારના રોગથી બચી શકે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો