એપશહેર

માત્ર સંતરા જ નહીં તેની છાલ પણ વજન ઘટાડવામાં મદદ કરશે, આ રીતે કરો ઉપયોગ

શિવાની જોષી | I am Gujarat 13 Dec 2019, 12:25 pm
શિયાળાની ઋતુમાં સૌથી સારું ફળ છે સંતરા એટલે કે ઓરેન્જ. ખાટા-મીઠા કોમ્બિનેશનવાળું આ ફળ વિટામિન Cથી ભરપૂર હોય છે. જો તમે વજન ઘટાડવાનું વિચારતા હો તો ડાયટમાં સંતરા સામેલ કરો. સંતરા વજન ઉતારવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે. માત્ર સંતરા જ નહીં તેની છાલ પણ વજન ઘટાડવામાં ઉપયોગી સાબિત થાય છે. અહીં જાણો કેવી રીતે….હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોસંતરામાં હોય છે 87 ટકા પાણીવિટામિન C ઉપરાંત ઘણા પોષકતત્વોથી ભરપૂર સંતરામાં કેલરીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે અને પાણીનું વધારે. એક સંતરામાં સામાન્ય રીતે 87 ટકા પાણી હોય છે. જેથી શિયાળામાં સંતરા ખાવાથી શરીર હાઈડ્રેટેડ રહેશે. આ જ કારણે સંતારા વજન ઉતારવામાં ઉપયોગી છે.વજન જાળવવામાં ઉપયોગીસંતરામાં ફાયબરનું પ્રમાણ વધારે છે. એટલે જ સંતરા ખાધા બાદ પેટ ભરેલું લાગે છે. સાથે જ પાચનતંત્રને સ્વસ્થ રાખે છે અને કબજિયાત થતી નથી. 2014ના સ્ટડી પ્રમાણે, સંતરામાં રહેલું વોટર-સોલ્યુબલ સ્થૂળતા સામે લડવામાં અને વજન જાળવવામાં મદદ કરે છે. સાથે જ શરીરને ચરબી બાળવાની પ્રક્રિયા ઝડપી બનાવે છે.સંતરાની છાલ ઘટાડશે વજનમાત્ર સંતરા જ નહીં તેની છાલ પણ વજન ઘટાડવા માટે લાભદાયી છે. સંતરાની છાલમાં વિટામિન B6, કેલ્શિયમ, પ્રોવિટામિન A અને ફોલેટ ઉપરાંત પૉલિફેનૉલ્સ રહેલું છે. જે ડાયાબિટીસ ઉપરાંત અલ્ઝાઈમર અને સ્થૂળતા જેવી સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.છાલમાં હોય છે સંતરાથી વધુ ફાયબરતમને જાણીને નવાઈ લાગશે કે સંતરાની તુલનામાં તેની છાલમાં 4 ગણું વધારે ફાયબર હોય છે એટલે જ ખાધા બાદ પેટ ભરેલું હોય તેવું લાગે છે. છાલમાં રહેલું વિટામિન C ચરબી બાળવામાં મદદ કરે છે.આ રીતે કરો સંતરાની છાલનો ઉપયોગ– સંતરાની છાલમાંથી હર્બલ ટી બનાવીને પી શકો છો.– સંતરાની છાલના નાના-નાના ટુકડા કરીને સલાડ, સૂપ અથવા સ્મૂધીમાં ઉમેરીને ખાઈ શકાય છે.– સંતરાની છાલને સૂકવીને તેનો પાઉડર બનાવી લો. બાદમાં તેનો ઉપયોગ મફિન, કેક અથવા યોગર્ટમાં કરી શકાય છે.આંખોથી લઈને સ્કિન સુધી ગુણકારી છે સંતરા, રોજ ખાઓ પછી જુઓ ફાયદા
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો