એપશહેર

Lemon For Uric Acid: વૈજ્ઞાનિકોનો દાવો - સાંધામાં જમા થયેલા યુરિક એસિડને દૂર કરશે લીંબુ, કેવી રીતે કરશો ઉપયોગ

Best Foods For Uric Acid Patients: યુરિક એસિડ વધવાથી સાંધામાં અસહ્ય દુઃખાવો થાય છે, તેના કારણે કિડનીની પથરી પણ બની શકે છે, વૈજ્ઞાનિકો અનુસાર, યુરિક એસિડ ઘટાડવા માટે લીંબુ એક સસ્તો અને શ્રેષ્ઠ ઇલાજ છે.

Authored byહેતલ ડાભી | I am Gujarat 22 Mar 2023, 10:51 am
High Uric Acid Level: યુરિક એસિડ લેવલ વધવું એક ગંભીર સમસ્યા છે જેને મેડિકલ ભાષામાં હાઇપરયુરિસીમિયા (Hyperuricemia) કહેવામાં આવે છે. તે એક ક્રોનિક મેટાબોલિક ડિસઓર્ડર છે, જેનાથી ગાઉટ, આર્થરાઇટિસ, કિડનીની પથરી, હાઇ બ્લડપ્રેશર, કિડની ફેલિયર અને ત્યાં સુધી કે હાર્ટ ડિઝિઝનું જોખમ પણ રહે છે.
I am Gujarat sciencedirect study found how lemon juice lemon extract helped lower uric acid levels in the blood
Lemon For Uric Acid: વૈજ્ઞાનિકોનો દાવો - સાંધામાં જમા થયેલા યુરિક એસિડને દૂર કરશે લીંબુ, કેવી રીતે કરશો ઉપયોગ


યુરિક એસિડ લેવલ વધવાનું મુખ્ય કારણ છે ભોજનમાં પ્યૂરિન નામના તત્વોથી ભરપૂર ખાદ્યપેય પદાર્થોથી બને છે. તેના વધવાથી તમને સાંધામાં ગંભીર દર્દ, સોજા અને જડતા જેવા લક્ષણોનો અનુભવ થાય છે. મેડિકલમાં યુરિક એસિડ માટે અનેક ઉપચાર અને દવાઓ મોજૂદ છે. પરંતુ તમે લીંબુની મદદથી પણ તેને ઘટાડી શકો છો.

sciencedirect પર પ્રકાશિત એક રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, લીંબુથી અનેક સ્વાસ્થ્ય લાભો મળે છે, જેમાં કિડનીની પથરીના જોખમને દૂર કરવા અને યુરિક એસિડ લેવલને ઘટાડવું પણ સામેલ છે.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

​યુરિક એસિડ ઘટાડવા

સાઇટ્રસ એટલે કે, ખાટા ફળોનો રસ ગાઉટના લક્ષણોને દૂર કરવામાં મદદ કરી શકે છે અને લીંબુ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. આગળ જાણો, રિસર્ચ અનુસાર, કેવી રીતે લીંબુનું સેવન કરવાથી યુરિક એસિડ અને કિડનીની પથરીનું જોખમ ટળી શકે છે.

​યુરિક એસિડનું લેવલ કેટલું હોવું જોઇએ?

લોહમાં યુરિક એસિડનું લેવલ મહિલાઓમાં 6 mg/dL અને પુરૂષોમાં 6.8 mg/dLથી વધુ ના હોવું જોઇએ. આ લેવલ વધવું તે હાઇપરયુરિસીમિયાનો સંકેત છે. તેની નોર્મલ રેન્જ 3.5થી 7.2 mg/dLની વચ્ચે છે.

​લીંબુ કરશે મદદ

અધ્યયનમાં વૈજ્ઞાનિકોએ નોંધ્યું કે, લીંબુના રસથી બ્લડમાં યુરિક એસિડ લેવલને ઘટાડવામાં મદદ મળે છે. યુરિક એસિડ પર લીંબુનો પ્રભાવ જાણવા માટે વૈજ્ઞાનિકોએ યુરિક એસિડવાળા ઉંદર અને મનુષ્યો પર અધ્યયન કર્યુ. જેમાં સાબિત થયું કે, લીંબુનો રસ આપવાથી ઉંદર અને મનુષ્યોના યુરિક એસિડનું લેવલ ઓછું થયું હતું.

​6 અઠવાડિયા સુધી રિસર્ચ

આ રિસર્ચ દરમિયાન વૈજ્ઞાનિકોએ ઉંદર અને મનુષ્યોને 6 અઠવાડિયા સુધી દરરોજ 30ml તાજા લીંબુનો રસ આપ્યો. પરિણામોમાં સામે આવ્યું કે, લીંબુના રસથી મનુષ્યો અને ઉંદરોમાં સીરમ યુરિક એસિડનું સ્તર ખૂબ જ ઓછું થયું હતું.

​યુરિક એસિડ બનતા અટકાવે છે

નિષ્ણાતો અનુસાર, શરીરમાં યુરિક એસિડ બનાવવા માટે જવાબદાર જેન્થિન ઓક્સિડેઝ (xanthine oxidase) નામના કમ્પાઉન્ડને અટકાવવામાં લીંબુ મદદ કરે છે. જો યુરિક એસિડ લેવલ વધારે હોય તો તમે લીંબુ રસ અથવા લીંબુ પાણી પી શકો છો. જો કે, આ પાણીમાં મીઠું કે ખાંડનો ઉપયોગ ના કરવો જોઇએ.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

લેખક વિશે
હેતલ ડાભી
હેતલ ડાભી 13 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી જર્નાલિસ્ટ છે જેઓએ તેમની કારકિર્દીની શરૂઆત અમદાવાદના એક લોકલ ન્યૂઝપેપર સાથે વર્ષ 2007માં કરી હતી. કારકિર્દીની શરૂઆતથી લઇ અત્યાર સુધી તેઓએ ક્રાઇમ, બિઝનેસ, ટેક્નોલોજી, પોલિટિક્સ, ઇન્ટરનેશનલ અફેર્સ, ટ્રાવેલ, ફેશન, લાઇફસ્ટાઇલ જેવા વિવિધ સેક્શનમાં કામ કર્યુ છે. હાલમાં તેઓ લાઇફસ્ટાઇલ સેક્શનમાં છેલ્લાં એક વર્ષથી કામ કરે છે. જ્યાં તેઓના અનુભવના આધારે વિવિધ માહિતી અને રસપ્રદ આર્ટિકલ્સ લખી રહ્યા છે જે વાચકોને સતત નવી નવી માહિતી સાથે જકડી રાખે છે. જર્નાલિઝ્મ ઉપરાંત હેતલ ડાભીને વાંચન, લેખન અને ડાન્સનો શોખ છે. તેઓના સાહિત્ય પ્રત્યેના લગાવ અને સતત કંઇક નવું લખવા તેમ જ વાંચવાના શોખથી તેઓ એક પરિપક્વ લેખિકા છે અને આ જ બાબતની ઝલક તેમના કામમાં પણ સરળતાથી જોવા મળે છે.... વધુ વાંચો

Read Next Story