એપશહેર

યોગ કરવા સાથે સાથે ખીચડી ખાવ, ફટાફટ વજન ઉતરશે

I am Gujarat 21 Jun 2019, 10:45 am
વજન ઓછુ કરવાનો પ્રયત્ન કરતા લોકો માટે યોગ અને ખિચડી બંને શ્રેષ્ઠ ચજો છે. ખીચડીને હંમેશા હળવુ ફૂલ ભોજન માનવામાં આવે છે. તેને બપોરે કે રાત્રે જમવામાં ખાઈ શકાય છે. ખીચડીમાં મસાલા અને તેલ ઘણા ઓછા પ્રમાણમાં હોય છે જેને કારણે તે પૌષ્ટિક પણ મનાય છે. ખીચડી અનેક રીતે બનાવી શકાય છે. અમુક ખીચડી એકલા ભાતથી બને છે તો અમુકમાં દાળ, શાકભાજી પણ નાંખવામાં આવે છે. હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો વજન ઉતારવું હોય તો તેના માટે સૌથી શ્રેષ્ઠ ચોખા, દાળ અને ઘી વાળી ખીચડી છે. યોગ સાથે સાથે આવી ખીચડી ખાવાથી ઝડપી વજન ઘટે છે અને સ્થૂળતા નથી આવતી. તમે વજન ઉતારવા માંગતા હોવ તો અડધી વાડકી ચોખા સામે 1 વાડકી મગની દાળ લો. ખીચડી પાણીથી ચડી જાય એટલે તેમાં 1 મોટી ચમચી ઘી નાંખો. તમારી માતા કે દાદીમાએ તમને ખીચડીના ફાયદા જણાવ્યા જ હશે. તેમાં કાર્બોહાઈડ્રેટ, વિટામિન, કેલ્શિયમ, ફાઈબર્સ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા ગુણો હોય છે. તમે ઈચ્છો તો તેમાં શાકભાજી મિક્સ કરીને પોષક તત્વો વધારી શકો છો. ખીચડીમાં ઓછા મસાલા વપરાય છે અને તેમાં વધારે ઘી તેલ પણ હોતું નથી. આથી તે પચવામાં આસાન છે. આ જ કારણે બીમારીમાં ખીચડી ખાવાની સલાહ આપવામાં આવે છે. જો તમારુ પાચન તંત્ર નબળુ હોય તો તમારા માટે ખીચડી સૌથી વધુ ફાયદાકારક છે. ખીચડીના નિયમિત સેવનથી વાત પિત્ત અને કફનો દોષ દૂર થાય છે. તે શરીરને ઉર્જા આપીને રોગ પ્રતિકારક શક્તિ જાળવી રાખે છે. યોગ કર્યા બાદ શરીરમાંથી પાણી ઘટી જાય છે. આવામાં ભરપૂર સલાડ ખાવું જોઈએ. સલાડમાં ખાસ કરીને ખીરા કાકડી, મૂળા જેવા વધારે પાણી ધરાવતા શાકભાજી ખાવા જોઈએ.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો