એપશહેર

હવે કેન્સરના ઉપચારમાં વપરાશે હળદર, કેરળની ઇન્સ્ટિટ્યુટને ટ્રીટમેન્ટની પેટન્ટ મળી

Mitesh Purohit | I am Gujarat 2 Feb 2020, 1:49 pm
તિરુવનંતપુરમમાં આવેલ શ્રી ચિત્રા તિરુનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસે હળદરથી કેન્સરની સારવાર માટે અમેરિકન પેટન્ટ પ્રાપ્ત કરી લીધી છે. સંસ્થાનો દાવો છે કે, હળદરમાં રહેલાં કરક્યૂમિન તત્ત્વથી કેન્સરની સારવાર થઈ શકે છે. સંસ્થાના જણાવ્યા અનુસાર, શરીરમાંથી ગાંઠને દૂર કર્યા બાદ હળદરથી સારવાર કરવામાં આવશે જેથી, ટ્યૂમર ઓગળી જાય અને શરીરમાં ફેલાતું અટકે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: મુખ્ય સંશોધક ડો. લિસી કૃષ્ણનના જણાવ્યા મુજબ, હળદરમાં રહેલું કરક્યૂમિન સરળતાથી શરીરમાં સમાઈ જાય છે અને કેન્સર સામે લડે છે. કેન્સરના કોષોને દૂર કરવા માટે સીધા જ ગાંઠના ભાગમાં કરક્યૂમિન રિલીઝ કરવામાં આવશે. આ સામાન્ય કોષોને નુકસાન ન પહોંચાડીને કેન્સરના કોષો પર સીધો હુમલો કરશે. ઘણા સંશોધનોમાં એ પણ સાબિત થયું છે કે કરક્યૂમિન કેન્સરના કોષોને મારી નાખે છે. સંસ્થાના ડાયરેક્ટર આશા કિશોરીના જણાવ્યા મુજબ, શરીરમાં કરક્યૂમિન એક ઇમ્પપ્લાન્ટ ‘વેફર’ દ્વારા પહોંચાડવામાં આવશે. વેફરમાં કરક્યૂમિન અને એલ્બ્યૂમિન બંને તત્ત્વો હશે. શસ્ત્રક્રિયાથી ગાંઠને દૂર કર્યા પછી તે કેન્સરગ્રસ્ત ભાગમાં વેફર ઇમ્પ્લાન્ટ કરવામાં આવશે. વેફરમાં રહેલું એલ્બ્યૂમિન તત્ત્વ કેન્સરના કોષોને એકત્રિત કરશે અને કરક્યૂમિન આ કોષોમાં જઇને તેને મારી નાખશે. આ સંશોધન ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ સાથે મળીને કરવામાં આવ્યું છે. પેટન્ટ મળ્યા બાદ હવે તેની ક્લિનિકલ ટ્રાયલ શરૂ થશે અને ટૂંક સમયમાં આ ટેક્નોલોજી કેન્સરના દર્દીને ઉપલબ્ધ થશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો