એપશહેર

ખરેખર તાત્કાલિક ઓક્સિજન લેવલ વધારી શકે છે આ આયુર્વેદિક દવા? જાણો હકીકત

અત્યારે મોટાભાગના કોરોનાગ્રસ્ત દર્દીઓનું ઓક્સિજન લેવલ ઘટી જતું હોય છે, ત્યારે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવતી આ દવાની માહિતી સાચી છે કે ખોટી તે જાણો.

TNN 5 May 2021, 4:16 pm

હાઈલાઈટ્સ:

  • સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે કોરોનાને લગતા મેસેજ.
  • આયુષ મંત્રાલયે ટ્વિટ કરીને વાયરલ મેસેજની જાણકારી આપી.
  • ડોક્ટરની સલાહ વિના કોઈ પણ લેવાનું ટાળો.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat oxygen
કોરોના વાયરસની પહેલી લહેરની સરખામણીમાં બીજી લહેરમાં ઓક્સિજનની તંગીની ફરિયાદો મોટા પ્રમાણમાં સામે આવી રહી છે. કોરોનાના દર્દીઓમાં ઓક્સિજન સેચ્યુરેશન લેવલ ઓછું થઈ જવાને કારણે દરરોજ સેંકડો દર્દીઓ પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આ સ્થિતિમાં લોકો ઓક્સિજન લેવલ જાળવી રાખવા માટે ઘરેલુ નુસ્ખાનો ઉપયોગ કરતા હોય છે. તમે જોયું હશે કે સોશિયલ મીડિયા પર કોરોનાની સારવારને લગતી અનેક પ્રકારની પોસ્ટ વાયરલ થઈ રહી છે.
ખરેખર કાળા મરી, મધ અને આદુથી કોરોના મટાડી શકાય? જાણો આ નુસ્ખાની હકીકત

આ પ્રકારની પોસ્ટમાં અત્યારે એક એવી વાત વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આયુર્વેદિક દવા ત્રૈલોક્ય ચિંતામણી રસ ઓક્સિજન લેવલને તાત્કાલિક બેલેન્સમાં લાવી શકે છે. જ્યારે લોકો આ વાતને વૉટ્સએપ, ફેસબુક અને ટ્વિટર પર મોટા પ્રમાણમાં શેર કરવા લાગ્યા તો સરકારે આ દવા વિષે જાણકારી આપી છે.


ત્રૈલોક્ય ચિંતામણિ રસની પોસ્ટને શેર કરીને આયુષ મંત્રાલયે લખ્યું છે કે, સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવામાં આવી રહી છે, જેમાં ઓક્સિજનની કમીને દૂર કરવા માટેની દવાનું નામ જણાવવામાં આવ્યું છે અને સેચ્યુરેશન લેવલ તરત વધારવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દાવો અજાણ્યા સ્ત્રોત દ્વારા કરવામાં આવ્યો છે. આયુષ મંત્રાલય આવા અનવેરીફાઈડ સોર્સ દ્વારા પ્રકાશિત કોઈ પણ જાહેરાતનું સમર્થન નથી કરતું. મહેરબાની કરીને આવી ગંભીર પરિસ્થિતિમાં જાતે દવાનો ઉપયોગ ના કરો. માત્ર ડોક્ટરની સલાહ લઈને જ દવા લો.
શું લીંબુના રસના 2 ટીપા કોરોનાને ખતમ કરી શકે છે? જાણો આ પાછળનું સત્ય
ઉલ્લેખનીય છે કે આયુષ મંત્રાલય દ્વારા પણ એક દવા તૈયાર કરવામાં આવી છે. આયુર્વેદિક દવા આયુષ 64 કોરોનાના માઈલ્ડ અને સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓ માટે ઉપયોગી છે. આ એક ટેબલેટ સ્વરૂપની દવા છે.

જીવોત્તમા આયુર્વેદ કેન્દ્ર બેંગ્લોરના આયુર્વેદિક વૈધ ડોક્ટર શરદ કુલકર્ણી જણાવે છે કે, આ દવા ઓવર ધ કાઉન્ટર મેડિસિનની જેમ ના લેવી જોઈએ, જેને ડોક્ટરના પ્રિસ્ક્રાઈબ કર્યા વિના ખરીદીને લેવામાં આવે. આ દવાને આયુર્વેદ ડોક્ટરના સુપરવિઝનમાં જ લેવી જોઈએ, નહીં તો નુકસાનકારક સાબિત થઈ શકે છે. કોરોના પછી જો તમારી કોઈ થેરાપી ચાલી રહી છે તો આ દવા તેની સાથે એક સપોર્ટિવ થેરાપીનું કામ કરી શકે છે. પરંતુ અમે દાવો નથી કરી શકતા કે આ દવાથી કોરોના સારું થઈ જાય છે અથવા શરીરમાં ઓક્સિજન લેવલ વધી જાય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો