એપશહેર

શરીર તંદુરસ્ત રહે તે માટે ટ્રેડમિલ પર ચાલવું જોઈએ કે પછી બહાર ખુલ્લામાં?

શરીર તંદુરસ્ત રહે તે માટે ચાલવું જરૂરી છે, આ સૌથી સરળ કસરત છે. ચાલવાથી વજન ઘટે છે, તમારો મૂડ સારો રહે છે અને આળસ દૂર થાય છે.

I am Gujarat 31 Jan 2021, 4:08 pm
શરીર તંદુરસ્ત રહે તે માટે ચાલવું જરૂરી છે, આ સૌથી સરળ કસરત છે. ચાલવાથી વજન ઘટે છે, તમારો મૂડ સારો રહે છે અને આળસ દૂર થાય છે. પણ, ઘરની બહાર ખુલ્લામાં ચાલવું વધારે ફાયદાકારક છે કે પછી ઘરની અંદર ટ્રેડમિલ પર ચાલવું? ચાલો જાણીએ.
I am Gujarat q1


ટ્રેડમિલ (Treadmill)

કોરોનાની મહામારીના કારણે લાગુ લોકડાઉન દરમિયાન લોકો જ્યારે ઘરમાં કસરત કરી રહ્યા હતા ત્યારે ચાલવા માટે ટ્રેડમિલ (Treadmill) ખૂબ ઉપયોગી સાબિત થયું હતું. લોકડાઉન સિવાય પણ જ્યારે બહાર વરસાદ પડતો હોય અથવા અનુકૂળ વાતાવરણ ના હોય ત્યારે ઘરે ચાલવા માટે ટ્રેડમિલ ખૂબ ઉપયોગી છે. આ રીતે ટ્રેડમિલના ઉપયોગથી તમે ઘરે જ સરળતાથી વૉકિંગ કરી શકો છો.

વૉકિંગ (ચાલવું)

શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વિટામિન D ખૂબ જરૂરી છે. અને વિટામિન Dનો મુખ્ય સ્ત્રોત એ સૂર્યપ્રકાશ છે. બહાર ચાલવાથી સૂર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. આ કારણે પણ ઘરની બહાર ખુલ્લામાં ચાલવું જોઈએ, ચાલવામાં કોઈ ખર્ચો નથી થતો અને શરીર તંદુરસ્ત રહે છે. જ્યારે ટ્રે઼ડમિલ ઘરે લાવો ત્યારે ખર્ચો થાય છે.

ઘરે ટ્રેડમિલ પર ચાલવું કે પછી બહાર ખુલ્લામાં ચાલવુ તે બંનેમાં ફાયદા રહેલા છે. આ બંને પ્રકારની કસરતથી શરીર તંદુરસ્ત રહે છે. તમે થોડા દિવસ ઘરમાં ટ્રેડમિલ પર અને પછી થોડા દિવસ બહાર ખુલ્લામાં ચાલી શકો છો. ચાલવાની સાથે-સાથે જમવા પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે. કારણકે, શરીર ઉતારવા માટે કસરત સહિત તમે કેવું ભોજન લો છો તે પણ ખૂબ જરૂરી છે. Disclaimer: આ આર્ટિકલમાં આપવામાં આવેલી માહિતીનો અમલ કરતા પહેલા આપના ડૉક્ટરની સલાહ ચોક્કસ લેશો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો