એપશહેર

Side effects of Dal: આ 5 પ્રકારના લોકો માટે ખતરનાક છે દાળ, સ્વાસ્થ્ય બગડી શકે છે

How much lentils to eat per day: દાળ ખાવાના અનેક ફાયદા છે પરંતુ જ્યારે ફાયદાકારક વસ્તુઓનો અતિરેક કરવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. દાળની બાબતમાં પણ આમ જ થાય છે.

Produced byDebnil Saha | I am Gujarat 14 Aug 2022, 12:24 pm
ભારતમાં દાળનું સેવન મોટાપાયે કરવામાં આવે છે. ઘરમાં બપોરે જમવામાં અને રાત્રે ડિનરમાં પણ દાળ નિયમિત રીતે ખાવામાં આવે છે. દાળ એક એવું ભોજન છે જે સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે ગુણકારી પણ છે. દાળના અનેક પ્રકાર છે અને દરેક દાળ પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર હોય છે.
I am Gujarat what are the benefits and side effects of eating dal experts reports on who should not eat lentils on a regular basis
Side effects of Dal: આ 5 પ્રકારના લોકો માટે ખતરનાક છે દાળ, સ્વાસ્થ્ય બગડી શકે છે


જો દાળ ખાવાના ફાયદાની વાત કરીએ તો એવું માનવામાં આવે છે દાળમાં વિટામિન, મિનરલ અને ફાઇબરની માત્રા ભરપૂર હોય છે અને તે શરીરમાં એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ ઓછું કરવામાં મદદ કરે છે અને તેનાથી હૃદય રોગનું જોખમ પણ ઘટે છે.

દાળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ ઘણીવાર સ્વાસ્થ્યપ્રદ વસ્તુઓનો અતિરેક થઇ જાય તો તેનાથી હેલ્થને નુકશાન પણ પહોંચે છે. દાળના કિસ્સામાં પણ આ નિયમ લાગુ પડે છે. દાળના વધુ પડતા સેવનથી શરીરને નુકસાન થઇ શકે છે, જેમાં પેટમાં સમસ્યા થવી તે સામાન્ય વાત છે. ચાલો જાણીએ કે વધુ માત્રામાં દાળ પીવાથી શરીરને શું નુકશાન થઇ શકે છે?

​કિડની ખરાબ થવાનું જોખમ

જો તમે વધુ માત્રામાં દાળનું સેવન કરો છો તો તેની ડાયરેક્ટ અસર તમારી કિડની પર પડી શકે છે. વધારે દાળ ખાવાથી કિડનીમાં સ્ટોનની સમસ્યા થઇ શકે છે. એક રિપોર્ટ અનુસાર દાળમાં ઓક્સાલેટની માત્રા વધારે હોય છે અને કિડનીની પથરીથી કે અન્ય સમસ્યાઓથી પીડાતા દર્દીઓ દાળનું સેવન કરવામાં ખાસ ધ્યાન રાખવું જોઇએ.

​પેટમાં ગેસ થઇ શકે છે

વધુ માત્રામાં દાળ ખાવાથી પેટની સમસ્યા થઇ શકે છે. એક રિપોર્ટ અનુસાર દાળમાં ફાઇબરની માત્રા વધારે હોય છે અને તેના વધુ પડતા સેવનથી ગેસની સમસ્યા થઇ શકે છે. આ સિવાય કેટલાક લોકોને દાળ ખાવાથી એસિડિટીની સમસ્યા પણ થઇ શકે છે.

​સ્થૂળતા વધવાનું જોખમ

દાળમાં વધારે માત્રામાં પ્રોટીન હોય છે. જો તમે તમારા આહારમાં પ્રોટિનનું વધારે માત્રામાં સેવન કરો છો તે તમારું વજન ઝડપી વધી શકે છે. એક્સટ્રા પ્રોટિન તમારા શરીરમાં ફેટના રૂપમાં જામી જાય છે.

​ગાઉટ અથવા યૂરિક એસિડનું જોખમ

જો કોઇ વ્યક્તિ ગઠિયાથી પીડાતા હોય તો તેમણે ડોક્ટરની સલાહ વગર દાળ કે બીન્સનું સેવન કરવું જોઇએ નહીં. એક રિપોર્ટ અનુસાર દાળમાં પ્યૂરીનની માત્રા વધુ હોય છે અને તેના કારણે શરીરને નુકશાન થાય છે.

​પાચન થઇ શકે છે ખરાબ

દાળમાં લેક્ટિનની માત્રા વધારે હોય છે જેનાથી તમારું પાચન ખરાબ થઇ શકે છે. IBS જેવા રોગથી પીડાતા વ્યક્તિને દાળથી મુશ્કેલી વધી શકે છે.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

લેખક વિશે
Debnil Saha
Debnil Saha is working as a Consultant in Eisamay.com, Bengali News website of the Times Internet, a product of the Times of India Group.... વધુ વાંચો

Read Next Story