એપશહેર

Nutrition tips: WHOના નિયમ, આવું ડાયટ હશે તો ક્યારેય કેન્સર, હૃદયરોગ જેવી બીમારીઓ નહીં થાય

Diet for Chronic Diseases: ક્રોનિક બીમારીઓ એટલે કે લાંબા ગાળાની અથવા આજીવન રહેતી બીમારીઓ મોત અને વિકલાંગતાનું પ્રમુખ કારણ હોય છે. વિશ્વમાં 71 ટકા મોત ક્રોનિક બીમારીઓના કારણે થાય છે. અહીં WHOએ આનાથી બચાવ માટે ફૂડ એડવાઇઝરી શૅર કરી છે, જેનાથી તમે આ બીમારીઓથી બચી શકો છો.

Authored byહેતલ ડાભી | I am Gujarat 30 Aug 2022, 10:11 am
Tips to Prevent Chronic Diseases: આજના સમયમાં વિશ્વમાં સ્વસ્થ ભોજન અને ઇમ્યૂનિટી વધારવાના ઉપાયો પર ભાર મુકવામાં આવે છે. કોરોના મહામારી (Corona Outbreak) દરમિયાન લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને સાજા થયેલા દર્દીઓને આજે પણ લોન્ગ કોવિડ (Long Covid Symptoms) લક્ષણો પરેશાન કરી રહ્યા છે.
I am Gujarat who food safety guidance and advice for a sustaining life and promoting good health
Nutrition tips: WHOના નિયમ, આવું ડાયટ હશે તો ક્યારેય કેન્સર, હૃદયરોગ જેવી બીમારીઓ નહીં થાય


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (World Health Organization) અનુસાર, પ્રતિ વર્ષ 71 ટકા મોત ક્રોનિક બીમારીઓના કારણે થાય છે. એવામાં જરૂરી છે કે, લોકો લાઇફસ્ટાઇલમાં સ્વસ્થ આદતોને સામેલ કરે. ખાસ કરીને હેલ્ધી લાઇફસ્ટાઇલ માટે ખાન-પાનમાં ફેરફાર કરવા ખૂબ જ જરૂરી છે.

મોટાંભાગે લોકોને શું ખાવું જોઇએ અને શું નહીં તેને લઇને અવઢવ હોય છે. આ જ કન્ફ્યૂઝનનો જવાબ છે WHO દ્વારા જાહેર કરવામાં આવેલી ફૂડ એડવાઇઝરી (WHO Food Advisory) જેની મદદથી તમે ગંભીર અને જીવલેણ બીમારીઓથી પોતાને અને તમારાં પરિવારને બચાવી શકો છો.

(તસવીરોઃ પિક્સાબે.કોમ)

​આ બીમારીઓથી બચવા ફૉલો કરો ફૂડ એડવાઇઝરી

WHOની ફૂડ એડવાઇઝરી

​મીઠું અને ખાંડનો ઉપયોગ ઘટાડો

ડાયાબિટીસ, હૃદયરોગ અને કેન્સર જેવા બિન-સંચારી (non-communicative disease) રોગોના જોખમને ઘટાડવા માટે ખાંડ અને મીઠું (Salt)નો લઘુત્તમ ઉપયોગ સરળ રીતમાંથી એક છે. મીઠાનું સેવન પ્રતિ દિન 5 ગ્રામથી 1 ચમચી સુધી સીમિત રાખવું જોઇએ.

જ્યાર ખાંડની વાત કરવામાં આવે તો પ્રતિ દિન 50 ગ્રામ અથવા 12 ચમચી ખાંડથી વધારે સેવન ના કરવું જોઇએ. એ પણ ધ્યાન રાખો કે, 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આપવામાં આવતા પૂરક ખાદ્ય પદાર્થોમાં ખાંડ અને મીઠું ના ઉમેરો.

​ચરબીયુક્ત ખોરાકને કરો કંટ્રોલ

WHO હાઇ બ્લડપ્રેશર, સ્ટ્રોક અને હૃદયરોગ જેવી બીમારીઓના વિકાસને અટકાવવા માટે સંતૃપ્ત ચરબી અથવા ટ્રાન્સ-ફૅટના સેવનને કંટ્રોલ કરવાની સલાહ આપે છે. આ સેવન માટે લૉ-ફૅટ દૂધ અને ડેરી પ્રોડક્ટ્સનું સેવન સ્વાસ્થ્યવર્ધક છે. સાથે જ એક્સપર્ટ પ્રોસેસ્ડ અને તળેલા ખાદ્ય પદાર્થોના સેવનથી બચવાની પણ સલાહ આપવામાં આવે છે.

​આહારમાં વેરાયટી હોવી જરૂરી

ડબલ્યુએચઓ અનુસાર, ડાયાબિટીસ, હૃદયરોગ, કેન્સર જેવા રોગને અટકાવવાની એક રીત એ છે કે, તમે ભોજનને સંતુલિત બનાવો. પ્રતિદિન વેરાયટીવાળું ભોજન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેમાં સાબુત અનાજ, બ્રાઉન રાઇસ, ઘઉં, દાળ, બીન્સ, કઠોળ (legumes), તાજા ફળો, માસ, માછલી, ઇંડા, દૂધ જેવા ખાદ્ય પદાર્થો સામેલ કરી શકો છો. આ સિવાય સ્નેક્સ માટે કાચા શાકભાજી, તાજા ફળો અને અનસોલ્ટેડ નટ્સનું સેવન કરો.

​ડ્રિંક્સનું સેવન કરતી વખતે રાખો સાવધાની

કેવા પ્રકારના ડ્રિંક્સ સ્વાસ્થ્યપ્રદ અથવા નુકસાનદાયક છે તે જાણવું જરૂરી છે. કેન્સર, લિવરની બીમારી, સ્ટ્રોક અથવા હાઇ બ્લડપ્રેશર જેવી ક્રોનિક બીમારીઓના જોખમને ઘટાડવાની એક રીત એ પણ છે કે તમે જે પીવો છો તેના પ્રત્યે સતર્ક રહો. કોલ્ડ ડ્રિંક, જ્યૂસ, ફ્લેવર્ડ વોટર અને રેડી-ટૂ-ડ્રિંક કોફ જેવા મીઠા પેય પદાર્થોનું સેવન તમારાં સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે. આ સિવાય આલ્હોકોલનું સેવન ઘટાડવું જોઇએ અને દિવસ દરમિયાન વધુમાં વધુ પાણી પીવું જોઇએ.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા અથવા ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

લેખક વિશે
હેતલ ડાભી
હેતલ ડાભી 13 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી જર્નાલિસ્ટ છે જેઓએ તેમની કારકિર્દીની શરૂઆત અમદાવાદના એક લોકલ ન્યૂઝપેપર સાથે વર્ષ 2007માં કરી હતી. કારકિર્દીની શરૂઆતથી લઇ અત્યાર સુધી તેઓએ ક્રાઇમ, બિઝનેસ, ટેક્નોલોજી, પોલિટિક્સ, ઇન્ટરનેશનલ અફેર્સ, ટ્રાવેલ, ફેશન, લાઇફસ્ટાઇલ જેવા વિવિધ સેક્શનમાં કામ કર્યુ છે. હાલમાં તેઓ લાઇફસ્ટાઇલ સેક્શનમાં છેલ્લાં એક વર્ષથી કામ કરે છે. જ્યાં તેઓના અનુભવના આધારે વિવિધ માહિતી અને રસપ્રદ આર્ટિકલ્સ લખી રહ્યા છે જે વાચકોને સતત નવી નવી માહિતી સાથે જકડી રાખે છે. જર્નાલિઝ્મ ઉપરાંત હેતલ ડાભીને વાંચન, લેખન અને ડાન્સનો શોખ છે. તેઓના સાહિત્ય પ્રત્યેના લગાવ અને સતત કંઇક નવું લખવા તેમ જ વાંચવાના શોખથી તેઓ એક પરિપક્વ લેખિકા છે અને આ જ બાબતની ઝલક તેમના કામમાં પણ સરળતાથી જોવા મળે છે.... વધુ વાંચો

Read Next Story