એપશહેર

શું કોરોનાનો અંત નજીક છે? WHO ચીફ દ્વારા બેઠકમાં વાયરસ અંગે સુખદ જાહેરાત; વૈશ્વિક દેશોને કરી અપીલ

WHO on COVID pandemic: 'હજુ આપણે એ સીમા સુધી પહોંચ્યા નથી, પરંતુ અંત ચોક્કસથી નજીક છે.' કોરોના વાયરસની મહામારી (COVID pandemic) અંગે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા સુખદ સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવ્યું છે.

Authored byહેતલ ડાભી | I am Gujarat 15 Sep 2022, 3:29 pm
End of COVID pandemic: છેલ્લાં બે વર્ષથી વધુ સમય સુધી આખા વિશ્વને પોતાના ભયના ઓથાર હેઠળ રાખનાર કોરોના વાયરસ હવે ખતમ થવાના આરે હોવાના એંધાણ WHO દ્વારા આપવામાં આવ્યા છે. ગ્લોબલ હેલ્થ એજન્સીના હેડ (head of the global health agency) દ્વારા કોરોના વાયરસને ગ્લોબલ પેન્ડેમિક (global pandemic) જાહેર કર્યા બાદ બુધવારે મળેલી એક બેઠકમાં કોરોના ખતમ થવાના આરે હોવાની જાહેરાત કરવામાં આવી છે.
I am Gujarat whos the most positive affirmation about covid pandemic head of the global health agency says end of covid pandemic is in sight
શું કોરોનાનો અંત નજીક છે? WHO ચીફ દ્વારા બેઠકમાં વાયરસ અંગે સુખદ જાહેરાત; વૈશ્વિક દેશોને કરી અપીલ


વર્ષ 2020માં ચીનના વુહાન (Wuhan region of China) પ્રદેશમાં સૌપ્રથમ આ વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા ત્યારબાદ જાન્યુઆરી 2020માં કોરોનાને નેશનલ ઇમરન્સી જાહેર કરવામાં આવ્યો હતો. ભારત સહિત અનેક દેશોએ માર્ચ 2020માં લોક ડાઉનની જાહેરાત કરી હતી, જેથી આ વાયરસને ફેલાતા અટકાવી શકાય.

બુધવારે મળેલી બેઠકમાં WHO ચીફે (World Health Organization) કોરોનાના અંતની નજીક હોવાની જાહેરાત બાદ એવી તાકીદ પણ કરી હતી કે, હજુ પણ દરેક દેશોએ સતર્ક રહેવાની જરૂર છે. આ વાયરસ વિશ્વના દરેક ખૂણે ફેલાયો હતો અને 2019થી અત્યાર સુધી અંદાજિત 6.5 મિલિયન લોકોના મોત થયા છે અને 606 મિલિયનથી વધુ લોકોને તેનું ઇન્ફેક્શન થયું છે. કોરોના વાયરસની પ્રથમ લહેર દરમિયાન ગ્લોબલ હેલ્થકેર અને વૈશ્વિક ઇકોનોમીને ભારે નુકસાન પહોંચ્યુ હતું.

(સૌજન્યઃ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા) (તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

​2022 લઇને આવ્યું નવી આશા

WHO અનુસાર, વર્ષ 2022 વેક્સિન, હોસ્પિટલમાં તત્કાળ સુવિધા અને પુરતી જાગૃતિના કારણે આ મહામારીના અંત સુધી પહોંચવાનું લગભગ સરળ બન્યું છે. યુરોપિયન કમિશન સ્પોકપર્સન અનુસાર, કોવિડ-19ની હાલની લહેર (COVID-19 summer wave)માં ઓમિક્રોન BA.4 અને BA.5ના લક્ષણો જોવા મળી રહ્યા છે. જે દર્શાવે છે કે, કોવિડ હજુ સુધી સંપુર્ણ રીતે ખતમ નથી થયો. આ વાયરસ હજુ પણ યુરોપ અને અન્ય દેશોમાં ફેલાઇ રહ્યો છે.

​આ સમય છે વધારે સતર્ક રહેવાનો

Southampton Universityના ગ્લોબલ હેલ્થ સીનિયર રિસર્ચર ડોક્ટર માઇકલ હેડ (Dr Michael Head) અનુસાર, મોટાંભાગના દેશો ઇમરજન્સીમાંથી બહાર આવી રહ્યા છે. ઘણાં દેશોની સરકાર હેલ્થ કેર અને સર્વેલન્સમાં અગ્રેસર રહીને આ વાયરસને અંત સુધી લઇ જવામાં સફળ પણ થઇ રહી છે. WHO ચીફના આ હકારાત્મક સ્ટેટમેન્ટ બાદ દરેક દેશ ફિનિશ લાઇન સુધી પહોંચવાની કોશિશ કરશે. જ્યારે હકીકતમાં આ જ સમય છે જ્યારે આપણે તમામ દેશો જાગૃતિ અને સતર્કતા સાથે આ વાયરસનો અંત લાવીએ.

​મૃત્યુઆંકમાં 22 ટકાનો ઘટાડો

WHOના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, છેલ્લાં કેટલાંક અઠવાડિયામાં કોવિડથી થતા મૃત્યુઆંકમાં 22 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે અને અગાઉની સરખામણીએ આ આંકડો વૈશ્વિક 11,000 પર અટકી ગયો છે. વૈશ્વિક કોવિડના 3.1 મિલિયન નવા કેસ છે જેમાં પણ 28 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. છેલ્લાં કેટલાંક અઠવાડિયામાં વિશ્વના અનેક દેશોમાં આ વાયરસનો ફેલાવો લગભગ નહીવત બની ગયો છે.

વૈશ્વિક કોવિડ કેસમાં 28 ટકા અને મૃત્યુઆંકમાં 22 ટકાનો ઘટાડો

ભારતમાં પણ સુખદ સ્થિતિ

જો ભારતની વાત કરવામાં આવે તો યુનિયન હેલ્થ મિનિસ્ટ્રી ડેટા (union health ministry’s data on Covid-19) અનુસાર, એક્ટિવ કેસ હાલમાં 50,000થી ઓછા છે અને છેલ્લાં 24 કલાકમાં માત્ર 6,422 નવા કેસ નોંધવામાં આવ્યા છે જે પેન્ડેમિકની શરૂઆત બાદ અત્યાર સુધીનો સૌથી ઓછો આંક છે. દિલ્હીમાં બીજી લહેર દરમિયાન સૌથી વધુ કેસ જોવા મળ્યા હતા, રાજધાનીમાં પણ નવા કેસનો આંકડો ઓછો થઇ રહ્યો છે અને કોરોનાનો રિકવરી રેટ હાલ 98.71 ટકા છે.

​કોવિડ વેરિએન્ટ્સ અંગે WHOની જાહેરાત

નોવેલ વાયરસ અંગે WHOએ ચાર કોરોના વાયરસ વેરિએન્ટ્સ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જેમાં ઓમિક્રોન વેરિએન્ટ હજુ પણ વૈશ્વિક ચિંતાનું કારણ છે. ખાસ કરીને ઓમિક્રોન અને BA.2.75 ભારતમાં સૌથી વધુ જોવા મળી રહ્યો છે. જ્યારે વૈશ્વિક BA.4 અને BA.5 વૈશ્વિક જોખમ છે. વારંવાર પોતાના લક્ષણો બદલતા કોવિડ અંગે WHO ચીફ ડોક્ટર ટ્રેડોસ એધનમ ઘેબ્રાયસિસે (Dr Tedros Adhanom Ghebreyesus's statement on COVID) કેટલીક પોલીસી રજૂ કરી હતી જેમાં કોરોનાના નવા વેરિએન્ટ્સને નાથવા માટે પણ દેશોને એકસાથ રહેવાની અપીલ કરવામાં આવી છે.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો પર્યાય હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

આ સમાચારને અંગ્રેજીમાં વાંચવા માટે અહીં ક્લિક કરો

2022ના અંત સુધી કોરોનાના જોખમનો પણ અંત નજીક: WHO

લેખક વિશે
હેતલ ડાભી
હેતલ ડાભી 13 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી જર્નાલિસ્ટ છે જેઓએ તેમની કારકિર્દીની શરૂઆત અમદાવાદના એક લોકલ ન્યૂઝપેપર સાથે વર્ષ 2007માં કરી હતી. કારકિર્દીની શરૂઆતથી લઇ અત્યાર સુધી તેઓએ ક્રાઇમ, બિઝનેસ, ટેક્નોલોજી, પોલિટિક્સ, ઇન્ટરનેશનલ અફેર્સ, ટ્રાવેલ, ફેશન, લાઇફસ્ટાઇલ જેવા વિવિધ સેક્શનમાં કામ કર્યુ છે. હાલમાં તેઓ લાઇફસ્ટાઇલ સેક્શનમાં છેલ્લાં એક વર્ષથી કામ કરે છે. જ્યાં તેઓના અનુભવના આધારે વિવિધ માહિતી અને રસપ્રદ આર્ટિકલ્સ લખી રહ્યા છે જે વાચકોને સતત નવી નવી માહિતી સાથે જકડી રાખે છે. જર્નાલિઝ્મ ઉપરાંત હેતલ ડાભીને વાંચન, લેખન અને ડાન્સનો શોખ છે. તેઓના સાહિત્ય પ્રત્યેના લગાવ અને સતત કંઇક નવું લખવા તેમ જ વાંચવાના શોખથી તેઓ એક પરિપક્વ લેખિકા છે અને આ જ બાબતની ઝલક તેમના કામમાં પણ સરળતાથી જોવા મળે છે.... વધુ વાંચો

Read Next Story