એપશહેર

કોરોનાની રસીનો બીજો ડોઝ ના લો તો શું થાય? ડોક્ટર્સે આપી આ ચેતવણી

રસી શરીરમાં દાખલ થયા બાદ કઈ રીતે કામ કરે છે? વેક્સિન લીધાના કેટલા દિવસે તેની સંપૂર્ણ અસર શરુ થાય?

Authored byUmesh Isalkar | TNN 16 Jan 2021, 11:56 am
પુણે: દેશભરમાં આજથી કોરોનાના રસીકરણના પહેલા તબક્કાનો પ્રારંભ થઈ રહ્યો છે. જેના અંતર્ગત 30 દિવસના ગાળામાં વેક્સિનના બે ડોઝ જેમને રસી આપવાની છે તેમને અપાશે. વેક્સિનના બે ડોઝ કેમ, તે અંગે પણ લોકોને ઉત્સુકતા જાગી છે ત્યારે ટોચના વાયરોલોજિસ્ટ્સના જણાવ્યા અનુસાર, રસીના બંને ડોઝ લેવા ખૂબ જ જરુરી છે. તેમના જણાવ્યા અનુસાર, પહેલો ડોઝ શરીરમાં લોંચપેડ તરીકે કામ કરે છે, અને ઈમ્યૂન સિસ્ટમને વાયરસથી અવગત કરાવે છે. જ્યારે સેકન્ડ ડોઝ વાયરસ સામે લડવાની શક્તિ સર્જવાની સાથે રોગપ્રતિકાર શક્તિને તેનો પ્રતિકાર કરવા સજ્જ બનાવે છે.
I am Gujarat why you should not skip second dose of covid 19 vaccine here is what doctors say
કોરોનાની રસીનો બીજો ડોઝ ના લો તો શું થાય? ડોક્ટર્સે આપી આ ચેતવણી


રસીનો પહેલો ડોઝ લીધા બાદ ઘણા લોકો બીજો ડોઝ લેવા નહીં આવે તેવી ચર્ચા વચ્ચે સરકારને પણ આ અંગેની ચિંતા સતાવી રહી છે. તેવામાં ડૉક્ટર્સનું કહેવું છે કે પહેલો ડોઝ લેનારો વ્યક્તિ બીજો ડોઝ ના લેવાની ભૂલ ક્યારેય ના કરે. બીજા ડોઝથી જ કોરોના સામે લડવાની શક્તિ મળે છે, જે લાંબો સમય ટકે છે. ડૉક્ટર્સનું કહેવું છે કે મોટાભાગની રસીના બે ડોઝ આપવા જરુરી હોય છે. નાના બાળકોને જે રસી આપવામાં આવે છે તેના પણ બે ડોઝ જ આપવામાં આવતા હોય છે. કોરોનાના કેસમાં પહેલો ડોઝ આપ્યાના 29મા દિવસે બીજો ડોઝ આપવામાં આવશે. પહેલો ડોઝ લીધા બાદ શરીરમાં જે રોગપ્રતિકારક શક્તિ સર્જાય છે તે 28 દિવસ બાદ મંદ પડી જાય છે, અને તે જ વખતે બીજો શોટ આપવાથી તે ફરી સર્જાય છે અને લાંબો સમય ટકે છે.

કોવિશિલ્ડ વેક્સિન


ICMRના પૂર્વ સિનિયર સાયન્ટિસ્ટ રમણ ગંગાખેડકરના જણાવ્યા અનુસાર, પહેલો શોટ લીધા બાદ શરીરમાં દાખલ કરાયેલા એન્ટિજેન સામે ઈમ્યુનોલોજિકલ રિસ્પોન્સ શરુ થાય છે. પહેલા શોટના ત્રણથી ચાર અઠવાડિયામાં શરીર IgG ડેવલપ કરે છે અને એન્ટિબોડીનો ખાત્મો બોલાવી દે છે. ત્યારબાદ જે બીજો ડોઝ આપવામાં આવે છે તે માત્ર વાયરસ સ્પેસિફિક એન્ટિબોડી જ નથી વધારતો પરંતુ તેની સાથે ટી સેલ્સની ક્ષમતા પણ વધારે છે, જે ઈમ્યૂન સિસ્ટમને વાયરસ સામે લડવા વધુ મજબૂત બનાવે છે. વળી, સેકન્ડ ડોઝ આ ઈમ્યૂનિટીને લાંબો સમય જાળવી રાખવામાં પણ મદદ કરે છે.

કોવિશિલ્ડ નામની વેક્સિનનું પ્રોડક્શન કરનારી પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, બીજો ડોઝ લીધાના ચાર અઠવાડિયાના ગાળામાં શરીરમાં કોરોના સામે લડવાની પ્રતિકારક ક્ષમતા વિકસિત થાય છે. ફાઈઝરની વેક્સિન કોરોના સામે 95 ટકા જેટલું પ્રોટેક્શન આપે છે. તેની અસર પણ પહેલો શોટ લીધાના 12 દિવસ બાદ શરુ નથી થતી તેવું એક અભ્યાસમાં જાણવા મળ્યું છે. પહેલા શોટના થોડા અઠવાડિયા બાદ આ રસી 52 ટકા પ્રોટેક્શન આપે છે, અને બીજો શોટ લીધા બાદ તેનું લેવલ 95 ટકા સુધી પહોંચે છે. જોકે, આ રસી હજુ સુધી ભારતમાં અપ્રુવ નથી થઈ.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં શરુ થયેલું રસીકરણ


વેક્સિન રિસર્ચર પ્રસાદ કુલકર્ણીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, સામાન્ય ભાષામાં આ વાત સમજવી હોય તો એવું કહી શકાય કે પહેલો ડોઝ લોહીમાં વાયરસ સ્પેસિફિક એન્ટિબોડીને 100 સુધી ડેવલપ કરે છે, અને બીજો શોટ તેનું લેવલ ચારેક સપ્તાહમાં 700 સુધી લઈ જાય છે. મતલબ કે, બંને શોટ લીધા પછી બે મહિનાના ગાળામાં કોરોના સામે વ્યક્તિ સુરક્ષિત બને છે. જોકે, ત્યારબાદ પણ માસ્ક પહેરવા ઉપરાંત વારંવાર હાથ ધોવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જરુરી છે.

એક્સપર્ટ્સનું એમ પણ કહેવું છે કે, રસી લીધા બાદ પણ માસ્ક પહેરવા ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગ પણ રાખવું પડશે. વેક્સિનના બે ડોઝ બાદ વ્યક્તિને કોરોના સામે રક્ષણ મળી જાય છે, પરંતુ તે પોતે કોરોના ફેલાવી શકે કે કેમ તે અંગે હજુ સુધી વૈજ્ઞાનિકોને કોઈ નક્કર પુરાવા નથી મળ્યા. જેથી, સંપૂર્ણ વેક્સિનેશન બાદ પણ માસ્ક, સેનેટાઈઝર તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ કેટલાક સમય માટે યથાવત રાખવા પડશે.
લેખક વિશે
Umesh Isalkar
Umesh Isalkar is principal correspondent at The Times of India, Pune. He has a PG degree in English literature and is an alumnus of Indian Institute of Mass Communication, New Delhi. Umesh covers public health, medical issues, bio-medical waste, municipal solid waste management, water and environment. He also covers research in the fields of medicine, cellular biology, virology, microbiology, biotechnology. He loves music and literature.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો