એપશહેર

દિવાળીમાં ઘરની દિવાલો પરના ડાઘાને દૂર કરવા કામ લાગશે માયોનિઝ

I am Gujarat 10 Nov 2020, 7:18 pm
જો તમને એવું લાગતું હોય કે મેયોનીઝનો ઉપયોગ માત્ર ભોજનમાં જ થઇ શકે તો તમે ખોટા છો. અન્ય ઘણા કામમાં મેયોનીઝનો ઉપયોગ કરી શકાય છે. દિવાળી પહેલા લોકોની સૌથી મોટી ચિંતા ઘરની સફાય હોય છે. તેમાં પણ ઓછા સમયમાં જલ્દી સફાઇ કેમ કરવી તે વાત દરેક ગૃહિણીના મનમાં હોય છે. ત્યારે જ આજે અમે તમને સફાઇને લઇને કેટલીક તેવી ટિપ્સ કહીશું જેનાથી તમારું ઘર સસ્તામાં અને ફટાફટ ચમકી જશે. આમ પણ આ કોરોનાકાળમાં ખોટા ખર્ચા ટાળવાનો પ્રયાસ દરેક ગૃહિણી કરે જ છે. અને જો તમે વર્કિંગ વૂમન હોવ તો પણ આ ટિપ્સ તમારી સફાઇનું કામ ઓછું કરી દેશે. કેટલીક વાર આપણા ઘરમાં જ અનેક કામની વસ્તુઓ પડી હોય છે પણ આપણે જાણકારી ન હોવાના કારણે તેનો ઉપયોગ નથી કરી શકતા. ત્યારે આજે આ યુનિક ટિપ્સ તમારી દિવાળીની સફાઇ સરળ કરી તમારા ઘરને ચોખ્ખાઇથી ચમચમતું કરી દેશે.
I am Gujarat mayonnaise will help you get rid of wall crayons and many other diwali cleaning useful tips
દિવાળીમાં ઘરની દિવાલો પરના ડાઘાને દૂર કરવા કામ લાગશે માયોનિઝ


કાર વેક્સ

ગેસ ઓવન ચમકાવવા માટે અને તેની સંપૂર્ણ સફાઇ માટે કાર વેક્સનો ઉપયોગ તમે કરી શકો છો. આનાથી ગેસ પર જૂના જે ડાઘ હશે તે દૂર થશે. આ માટે વેક્સની એક પરત ગેસ પર લગાવો અને એક કાપડથી તેને સાફ કરી દો. ગેસ એકદમ નવા જેવો થઇ જશે. પણ કાચના ગેસને આનાથી સાફના કરતા. તેનાથી સ્ક્રેચ પડવાની સંભાવના રહેલી છે.

મેયોનીઝ

જો કોઇ વાસણ પર કે બોટલ પર કિંમતનું લેબલ લાગેલું છે. તો તેને મેયોનીઝથી સાફ કરો. આનાથી દાગ બિલકુલ સાફ થઇ જશે. બોટલના ડાધ પણ સાફ કરવા માટે તમે મેયોનીઝનો ઉપયોગ કરી શકો છો. ક્યાંય પણ ગુંદર જેવી ચીકાશ હોય ત્યાં મેયોનીઝ લગાવી તેને સાફ કરો અને પછી પાણી કે કાપડથી સાફ કરી લો. નવા જેવું ચમકશે.

- જો તમારી આંગળીમાં વીંટી ફસાઈ ગઈ હોય તો મેયોનીઝ લગાવીને તેને આરામથી બહાર કાઢી શકાય છે.
- જો દીવાલ પર ક્રેયોન્સના નિશાન હોય તો તે જગ્યાએ થોડીવાર માટે મેયોનીઝ લગાવીને રાખો અને પછી ભીના કપડાંથી લૂછો.
- પ્લાન્ટ્સના પાંદડાંને ચમકાવવા હોય તો પેપર પર મેયોનીઝ લઇને પાંદડાંને સાફ કરો.
- ઘરમાં કોઈ દરવાજો ખોલતી-બંધ કરતી વખતે અવાજ આવતો હોય તો તેના મિજાગરા પર થોડું મેયો લગાવવાથી અવાજ આવતો બંધ થઇ જશે.
- બાળકોના માથામાં જૂ પડી ગઈ હોય તો કાંસકામાં થોડું મેયો લઈને વાળમાં ફેરવો. વાળ બાંધીને સૂવડાવી દો અને નેક્સ્ટ દિવસે વાળ ધોઈ લો. માથું જૂથી સાફ થઇ ગયું હશે.

વિનેગર અને બેકિંગ સોડા

આ બંનેનો લાંબા સમયથી ઘરની સફાઇ કામોમાં ઉપયોગ થતો આવે છે. વાસણના ડાધ તેનાથી સરસ રીતે દૂર થઇ જાય છે. આ માટે વાસણમાં વિનેગર નાખી તેમાં પાણી નાંખી તેને થોડીવાર ગેસ પર ઉકાળો. પણ ગેસ બંધ કરી વાસણ ઠંડુ થાય ત્યારે બેકિંગ સોડા સાથે સ્ક્રબથી સાફ કરો વાસણ ચમકી જશે.

એલ્યુમીનિયમ ફોઇલ

આનાથી તમે ચાંદી, પિત્તળ અને કોપરના વાસણ ચમકાવી શકો છો. આ ફોઇલમાં થોડું બેકિંગ સોડા મેળનો અને પછી તેનાથી આ વાસણોને સાફ કરો. આ વાસણો પહેલાની જેમ ચમકી જશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો