એપશહેર

બજારના શાકભાજી મોંઘા લાગતા હોય તો હવે ઘરે જ આ સરળ રીતે ઉગાડો ઓર્ગેનિક શાક

I am Gujarat 30 Jan 2021, 1:50 pm
દરેક વ્યક્તિ હંમેશા તાજા ફળો અને શાકભાજી ખાવા માંગે છે. આજકાલ, રાસાયણિક ખાતરોથી ઉગાડવામાં આવતી શાકભાજી બજારમાં ઉપલબ્ધ છે. દરેકના ઘરે શાકભાજી ઉગાડવા માટે પૂરતી જગ્યા નથી. આજે અમે તમને એવી જ કેટલીક શાકભાજી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે સરળતાથી તમારા ઘરમાં ઉગાડી શકો છો.
I am Gujarat here is how you can grow you own hygienic and organic vegetables and fruits at home and that too very easy way
બજારના શાકભાજી મોંઘા લાગતા હોય તો હવે ઘરે જ આ સરળ રીતે ઉગાડો ઓર્ગેનિક શાક


1- તમે સરળતાથી તમારા ઘરમાં ચોળી ઉગાડી શકો છો. ફણસી ઉગાડવા માટે તેને વધુ જગ્યાની જરૂર હોતી નથી. જો તમે તમારા ઘરમાં ચોળી ઉગાડવા માંગતા હો, તો જૂન અને જુલાઈની મધ્યમાં ચોળીના બીજ કૂંડામાં લગાવી શકો છો.

2- રીંગણ ઉગાડવાનો શ્રેષ્ઠ સમય જૂન અને જુલાઈ છે. રીંગણના છોડ મોટા વાસણમાં વાવેતર કરી શકાય છે. હંમેશાં ધ્યાનમાં રાખો કે રીંગણના છોડમાં ખૂબ જલદી કીડા લાગી થાય છે તેથી, સમય સમય પર, જંતુનાશક દવાઓ છાંટવામાં આવે છે.

3- ટામેટા નો ઉપયોગ લગભગ બધી શાકભાજીમાં થાય છે. બજારમાં મળતા ટામેટાં ઉગાડવા માટે કેમિકલ ખાતરનો ઉપયોગ થાય છે. તેથી, તેઓ ખોરાકમાં એટલા સ્વાદિષ્ટ નથી. જો તમે ઇચ્છો, તો તમે ઘરે કૂંડામાં અથવા મોટા કન્ટેનરમાં ટમેટાંનો છોડ ઉગાડી શકો છો.

ઘર આંગણે શાકભાજી ઉગાડવા માટેના અગત્યના મુદઓ

- હવામાન, ઋતુ અને વિસ્તાર પ્રમાણેના શાકભાજીના પાકની વાવેતર માટેની પસંદગી કરવી.

- ઘર આંગણની જગ્યાએ દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ હોવો ખાસ આવશ્યક છે.

-શાકભાજી પાક માટે ઘર આંગણને જગ્યાએ અનુસાર ખરીફ, રવી અને ઉનાળુ પાકની પસંદગી કરવી હિતાવહ છે.

- રીંગણ, મરચી, ટામેટી, કોબીજ, ફ્લાવર, ડુંગળી જેવા પાકને ધરૂ ઉછેર કરી ક્યારામાં વાવણી કરવી જોઈએ.
ટીંડોળા, દૂધી, કારેલા, પરવળ જેવા પાક માટે આંગણાના ખૂણામાં મંડપ બનાવી એકાદ બે થાણામાં રોપણી કરી ઉછેર કરવો.

- વેલાવાળા શાકભાજી પાકોને ઝડપ આગાશી કે ફેન્શિંગની ધારે જરૂરિયાત મુજબ રોપણી કરવી.

- છાયાયુક્ત જગ્યામાં અળવી, ધાણા, મેથી, પાલક, આદુ હળદર જેવા પાક લેવા જોઈએ.

- કયારાનું આયોજન એવા પ્રકારે કરવુ કે જેથી ખરીફ ઋતુના પાક પૂરા થયા બાદ રવિ ઋતુના પાકની વાવણી કરી શકાય.

- ઘર આંગણાના બાગમાં ખૂણામાં નાનો કમ્પોસ્ટ પીટ રાખવો. જેથી બાગનું કચરું, ઘાસ અને પાંદડા તેમાં નાખી શકાય અને કમ્પોસ્ટ તરીકે ઉપયોગ કરી શકાય.

- આ ઉપરાંત વધુ જગ્યા હોય તો ગાર્ડનમાં પપૈયા, મીઠી લીમડી, સરગવો, લીંબુ, કેળ જેવા પાકના એકાદ છોડનું પણ આયોજન થઈ શકે.

- જરૂરિયાત મુજબ ખેડ, ખાતર પાણી અને પાક સંરક્ષણના પગલા લેવા જરૂરી બનતા હોય છે.

- બગીચામાં ખેતીકાર્ય માટે ઉપયોગી નાના સાધનો જેવા કે કોદાળી, દાતરડી, ખૂરપી, પંજેઠી, દવા છાંટવાનો પંપ રાખવા ખાસ આવશ્યક છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો