એપશહેર

શિયાળામાં તુલસીના છોડને સૂકાઈ જતો અટકાવવા શું કરશો?

શિયાળામાં તુલસીનો છોડ સૂકાઈ ના જાય તે માટે કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ.

I am Gujarat 25 Nov 2020, 5:03 pm
હિંદુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ છે. તુલસીનો છોડ આંગણામાં હોવો શુભ માનવામાં આવે છે. દરેકના ઘરે લગભગ તુલસીનો છોડ તો હોય જ છે. શિયાળામાં તુલસીના છોડનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. સૂકી હવા અને ધુમ્મસના કારણે તુલસીનો થોડ સૂકાવા લાગે છે. તુલસીનો છોડ સૂકાઈ જવો અશુભ માનવામાં આવે છે. ત્યારે તુલસીના છોડને શિયાળામાં સૂકાતો રોકવા માટે અહીં કેટલાક ઉપાયો સૂચવીશું.
I am Gujarat tulsi plant n


એકદમ ઠંડું પાણી ના રેડો

શિયાળામાં તુલસીના છોડમાં પાણી રેડતી વખતે ધ્યાન રાખો કે પાણી થોડું હૂંફાળું હોય. બની શકે તો પાણીમાં થોડું કાચું દૂધ ભેળવીને તે જળ તુલસીમાં સિંચો. આમ કરવાથી તુલસીના છોડમાં ભેજ જળવાઈ રહેશે અને હર્યો-ભર્યો રહેશે.

માંજર કાઢી નાખો

તુલસીના છોડમાં રહેલા માંજર સૂકાઈ જાય ત્યારે તેને હટાવી દેવા જોઈએ. માનવામાં આવે છે કે, જે ઘરમાં તુલસીના છોડમાં સૂકા માંજર રહે છે તે ઘરના લોકો માનસિક રોગથી પીડાય છે. સાથે જ સૂકા માંજરથી તુલસીના છોડને પણ નુકસાન પહોંચે છે. માટે માંજર હટાવી દેવાથી તુલસીના છોડનો વિકાસ સારો થાય છે.

ઠંડી સામે આપો રક્ષણ

જો તુલસીનો છોડ ઘરની બહાર કે બાલકનીમાં મૂક્યો હોય તો ઠંડીની ઋતુમાં ઘરની અંદર લાવી દેવો જોઈએ. રોજ સવાર-સાંજ તુલસીના છોડ પાસે દીવો કરવો જોઈએ જેથી તેને ગરમી મળતી રહે. દીવો લાંબો સમય સુધી ચાલે તેવો રાખવો.

આ રીતે રાખો વિશેષ ધ્યાન

અઠવાડિયામાં ઓછામાં ઓછી એક વાર ચપ્પુથી તુલસીના છોડની આસપાસ થોડું ખોદી કાઢવું. આમ કરવાથી તુલસીના છોડને આવશ્યક પોષણ મળશે અને લાંબા સમય સુધી હરિયાળો રહેશે. તુલસીના છોડને શીતલહેરથી બચાવવા માટે કારતક મહિનાની એકાદશીના દિવસે તુલસીને થોડી ભારે ચુંદડી ઓઢાડી દેવી. જેથી તુલસીનો છોડ વળી નહીં જાય.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો