એપશહેર

આયુર્વેદ મુજબ આ કારણે મોડી રાત્રે ન માણવું જોઈએ સેકસ

Yogesh Gajjar | I am Gujarat 25 Nov 2017, 4:18 pm
I am Gujarat late night relationship is not good as per ayurveda
આયુર્વેદ મુજબ આ કારણે મોડી રાત્રે ન માણવું જોઈએ સેકસ


મોડી રાત્રે ન કરવું જોઈએ સેક્સ

સેક્સ વિશે તમે જેટલું જાણો છો, તેટલું ઓછું છે. આ માત્ર તમને ખુશી જ નથી આપતો પણ ક્યારેક નિઃરસ પણ કરી શકે છે. સેક્સ શરીરમાં વાયુને વધારે છે આથી તેને કરતા પહેલા મોસમ, સમય અને ખાન-પાન જેવી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. મોટાભાગના લોકો રાતના સમયે સેક્સ કરવાનું પસંદ કરે છે પરંતુ આયુર્વેદમાં મોડી રાત્રે સેક્સ કરવાનું ખરાબ મનાય છે. જાણો સેક્સ સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ તથ્યો….

સૂ્ર્યોદય બાદ માણો સેક્સ

આયુર્વેદ મુજબ મોડી રાત્રે સેક્સ કરવું ખરાબ છે. આયુર્વેદમાં સેક્સ કરવાનો સાચો સમયે સવારે સૂર્યોદય બાદ પરંતુ 10 વાગ્યા પહેલાનો માનવામાં આવે છે. તો સાંજના સમયે રાત્રે 10થી 11ની વચ્ચે સેક્સનો સમય સારો માનવામાં આવે છે. કારણ કે આ સમયે શરીરમાં ઉર્જા વધારે હોય છે. સાથે જ આયુર્વેદમાં જમ્યા પછીના બે કલાક બાદ સેક્સ કરવાની સલાહ આપવામાં આવે છે.

શુક્ર ધાતુ લોહીનો ભાગ

આયુર્વેદમાં માનવામાં આવે છે કે આપણું શરીર 7 મૌલિક ધાતુઓમાંથી બન્યું છે. તેમાંથી રસ ધાતુ લોહીનો સફેદ ભાગ હોય છે અને શુક્ર ધાતુ સેક્શુઅલ તરલ પદાર્થ છે. સેક્શુઅલ તરત પદાર્થ બનાવવામાં શરીરની ખૂબ ઉર્જા વપરાય છે. આ રસના વધારે ધટ્ટ રૂપથી ઓજસ બને છે. અને ઓજસ નવા જીવનનો આધાર છે નવી રચના કરવામાં સક્ષમ છે.

સેક્સ માટે આ મોસમ છે બેસ્ટ

જો મોસમની વાત કરવામાં આવે કો શિયાળો અને વસંતની શરૂઆત સેક્સ માટે યોગ્ય મોસમ છે. કેટલીક ફિઝિકલ પરિસ્થિતિને છોડીને વસંત અને શિયાળાની ઋતુમાં અઠવાડિયામાં 3થી 5 વખત સેક્સ માણવું જોઈએ. આમ કરવાથી તેમના શરીરમાં બનતા ઓજસનો વ્યય નથી થતો. કો ગર્મી અને ચોમાસામાં ઉર્જાની અછત હોય છે. આ દરમિયાન અઠવાડિયામાં 1થી 2 વાર સેક્સ કરી શકાય.

આવો ખોરાક લેવો જોઈએ

ભૂખ્યા પેટ ક્યારેય સેક્સ ન કરવું જોઈએ. જ્યારે તમે ભૂખ્યા હોય છો ત્યારે વાયુ અને પિત્ત વધારે હોય છે. સેક્સથી વાયુ વધે છે. આ કારણે ભૂખ્યા પેટે સેક્સ કરવાથી માથાનો દુખાવો, ઉલ્ટી અને ગેસ્ટ્રીક જેવી સમસ્યાઓ થઈ શકે છે. સેક્સ પહેલા એવો ખોરાક લો જે રસ અને શુક્ર ધાતુને પોષિત કરે. જેમ કે ઘી, ચોખા, નારિયેળ જ્યુસ, બદામ વગેરે.

સેક્સ બાદ શું કરવું

બની શકે તો સેક્સ બાદ નાહવું જોઈએ અને આરામદાયક કપડા પહેરવા જોઈએ. ખુલી હવામાં જાવ. તો ખાંડનું શરબત, સૂપ કે ઠંડું પાણી પીને સુવાથી શરીરમાં જુની ઉર્જા જલ્દી જ પાછી આવી જાય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો