એપશહેર

જમ્યા બાદ તરત ચા પીવાની આદત છે? તો છોડી દો આ ખરાબ લત

Shailesh Thakkar | I am Gujarat 29 Jul 2017, 11:45 pm
I am Gujarat side effects of drinking tea with or just after meal
જમ્યા બાદ તરત ચા પીવાની આદત છે? તો છોડી દો આ ખરાબ લત


ભોજન બાદ એક કલાક સુધી ન પીવો ચા

ચાના શોખીન લોકો ચા પીવા માટે કોઈ સમય જોતા નથી. સવારનો નાસ્તો હોય કે પછી રાતનું ભોજન તેમને દરેક સમયે ચા જોઈએ છે. પરંતુ તમે શક્ય તેટલી જલ્દી આ આદતને બદલી નાખો કારણ કે, તેનાથી તમારા સ્વાસ્થ્ય પર ખૂબ ખરાબ અસર થાય છે. નાસ્તો કર્યાના એક કલાકની અંદર ચા પીવી ખૂબ ગંભીર બીમારીઓને આમંત્રણ આપે છે. તે સમયે આપણા શરીરને સૌથી વધુ પોષણની જરૂરિયાત હોય છે. ચા પીવાથી શરીરમાં આયરનના અવશોષણની ક્ષમતા ઘટે છે અને પોષણ છતા વ્યક્તિ એનિમિયાનો શિકાર બની જાય છે. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

ચાને લીધે થાય છે આ તકલીફો

ચા અને કૉફીમાં ટેનિન રસાયણ હોય છે, જે આયરનના અવશોષણને રોકે છે. આને લીધે માનસિક અને શારિરીક થાક લાગે છે. જે મહિલાઓને આયરન, કેલ્શિયમની ઉણપ હોય છે, તેમને જમ્યા બાદ ચા ન પીવી જોઈએ.

પાચનતંત્રને બનાવે છે નબળું

ચાની પત્તીમાં અમ્લીય ગુણ હોય છે જે ભોજનના પ્રોટીનની સાથે મળીને તે સખત બનાવી દે છે. આનાથી પ્રોટીનને પચાવવામાં મુશ્કેલી થાય છે અને પાચન પર અસર પડે છે.

હૃદય સંબંધિત રોગોને આમંત્રે છે

ચામાં રહેલા કોફીનનું પ્રમાણ શરીરમાં કોર્ટિસોલ અર્થાત સ્ટેરોઈડ હોર્મોન્સને વધારે છે, જેનાથી શરીરમાં ઘણા પ્રકારની તકલીફો થઈ શકે છે. તેમાં હૃદય સંબંધિત, ડાયાબિટીઝ અને વજન વધવું શામેલ છે.

હૃદય રોગીઓ કૉફીથી રહો દૂર

હૃદયની બીમારીઓથી પીડાતા લોકોએ કૉફીનું સેવન ન કરવું સારું છે. કોફી પીધા બાદ શરીરમાં લોહીનો પ્રવાહ વધે છે જે હૃદયના ધબકારાને અનિયમિત બનાવે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો