એપશહેર

તિજોરીને કઈ દિશામાં રાખવી જોઈએ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર

ઘર હોય કે કાર્યક્ષેત્ર, તિજોરીને કઈ દિશામાં રાખવી જોઈએ તેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.

I am Gujarat 13 Aug 2020, 10:44 pm
શું તમે ઈચ્છો તો પણ પૈસા બચાવી શકતા નથી? ઘર-પરિવારના સભ્યો બેફામ ખર્ચા કરી રહ્યા છે? તેવામાં વાસ્તુશાસ્ત્રના કેટલાંક ઉપાયની મદદથી તમે આ બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ મેળવી શકો છો. સાથે તમને ધનલાભ પણ થઈ શકે છે.
I am Gujarat vastu tips for wealth and prosperity related to cupboard
તિજોરીને કઈ દિશામાં રાખવી જોઈએ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર



તિજોરી સાથે જોડાયેલી આ વાતો યાદ રાખો

ઘર હોય કે કાર્યક્ષેત્ર, તિજોરીને કઈ દિશામાં રાખવી જોઈએ તેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. વાસ્તુશાસ્ત્ર મુજબ તિજોરી અને પૈસા મૂકવાનું કબાટ હંમેશાં પશ્ચિમ દીવાલ સાથે જોડાયેલુ હોવું જોઈએ. એટલે તિજોરી અને કબાટનું મુખ પૂર્વ દિશા તરફ ખુલશે અને ધનલાભ થશે. આ સિવાય તિજોરીની સામે ક્યારેય પણ વોશરૂમ અથવા ગંદકી હોવી જોઈએ નહીં. તેના કારણે બચતમાં સમસ્યા ઊભી થાય છે.

તિજોરીને ખાલી રાખવી જોઈએ નહીં

વાસ્તુશાસ્ત્ર મુજબ તિજોરીને ખાલી રાખવી જોઈએ નહીં. તેમાં થોડું ધન રાખવું જરૂરી છે. તિજોરીની ઉપર કોઈ પ્રકારનો સામાન અથવા બોજ રાખવો જોઈએ નહીં. તિજોરીના કોઈપણ ખૂણામાં ક્યાંય પણ જાળું હોવું જોઈએ નહીં.

તિજોરીને ક્યારેય ગંદા હાથથી સ્પર્શ કરવો જોઈએ નહીં

વાસ્તુશાસ્ત્ર મુજબ તિજોરીને ક્યારેય પણ કોઈ ધાતુ ઉપર રાખવી જોઈએ નહીં. તિજોરીને ક્યારેય ગંદા હાથથી સ્પર્શ કરવો જોઈએ નહીં અને જ્યારે પણ તિજોરીમાંથી પૈસા નીકાળવા અથવા મૂકવાની જરૂર હોય ત્યારે હાથ-પગ સ્વચ્છ હોય તે જરૂરી છે. તે દરમિયાન પગમાં જૂતા હોવા જોઈએ નહીં.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો