એપશહેર

Acrocyanosis: આ બીમારીમાં નવજાત બાળકનું શરીર થઇ જાય છે વાદળી, સંકોચાઇ જાય છે લોહીની નસો; જાણો લક્ષણો અને ઇલાજ

Acrocyanosis: એક્રોસાયનોસિસ નવજાત બાળકોને થતી એક સામાન્ય સમસ્યા છે, જેના લક્ષણો, કારણો અને સારવાર અંગે જાણો વિવિધ રિસર્ચ શું કહે છે.

Authored byહેતલ ડાભી | I am Gujarat 28 Mar 2023, 3:13 pm
Acrocyanosis in Babies: એક્રોસાયનોસિસ એક દર્દરહિત કન્ડિશન છે જેમાં સ્કિનમાં નાની રક્તવાહિનીઓ સંકુચિત થઇ જાય છે અને હાથ અને પગનો રંગ વાદળી થઇ જાય છે. Acrocyanosis સામાન્ય રીતે સ્વસ્થ નવજાત શિશુઓમાં ત્યાં સુધી સામાન્ય ગણાય છે જ્યાં સુધી તે શરીરના મધ્યક્ષેત્રમાં સાઇનોસિસ નથી થતું.
I am Gujarat what are the symptoms causes and treatment of acrocyanosis in babies
Acrocyanosis: આ બીમારીમાં નવજાત બાળકનું શરીર થઇ જાય છે વાદળી, સંકોચાઇ જાય છે લોહીની નસો; જાણો લક્ષણો અને ઇલાજ


સામાન્ય રીતે નવજાતમાં એક્રોસાયનોસિસ વાસોમોટરચેન્જના કારણે થઇ શકે છે, જે જન્મના થોડાં દિવસો બાદ આપમેળે જ ઠીક થઇ જાય છે. પરંતુ અન્ય કારણોસર તે સ્થિતિ વધારે લાંબા સમય સુધી પણ રહી શકે છે. વર્ષ 2011 (2011 research) રિસર્ચ અનુસાર, અનેક અલગ અલગ આંતરિક બીમારીઓના કારણે સેકન્ડરી એક્રોસાનોસિસ (Secondary acrocyanosis) વિકસિત થાય છે. જેમાં ભોજન વિકાર, માનસિક રોગ અને કેન્સર સામેલ છે.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

​એક્રોસાયનોસિસના લક્ષણો

હેલ્થકેર ઇન્સ્ટિટ્યૂટ (Saint Luke’s Health System) અનુસાર, આ બીમારીમાં હાથ અને પગમાં દુઃખાવો, ચામડીનો રંગ વાદળી થઇ જવો વગેરે ઉલ્લેખનીય સંકેતો છે. એક્રોસાયનોસિસના લક્ષણોમાં પ્રભાવિત ક્ષેત્રોમાં ઠંડકનો અનુભવ થાય છે, સ્કિનનો રંગ વાદળી દેખાવો, આંગળીઓમાં સોજા, હાથ અને પગમાં વધારે પરસેવો થવો ઉપરાંત તે મોંઢાની આસપાસ પણ થઇ શકે છે. કેટલાંક કેસમાં હાથ, કાન, હોઠ, નાક અથવા નિપ્પલનો રંગ પણ ફીક્કો પડી શકે છે. ઓટોઇમ્યૂન, ન્યૂરોલોજીકલ, ઇન્ફેક્શન અને ચયાપચય કારણોના રિસ્પોન્સમાં પ્રાથમિક અથવા સેકેન્ડર એક્રોસાયનોસિસ થઇ શકે છે. નવજાત શિશુઓમાં એક્રોસાયનોસિસ સામાન્ય છે અને શિશુના જન્મ બાદ સંચાર પ્રણાલીને શરીર અને પર્યાવરણમાં થતા પરિવર્તનોમાં એડજસ્ટ થવામાં સમય લાગે છે, જેના કારણે પણ આ પરેશાની થઇ શકે છે.

​પ્રાઇમરી એક્રોસાયનોસિસ

પ્રાથમિક એક્રોસાયનોસિસનું સટિક કારણ લગભગ ખ્યાલ નથી હોતો. નવજાત શિશુઓમાં બ્લડ સર્ક્યુલેશનમાં બદલાવ થવાનું કારણ પ્રાથમિક હોય છે. અંગો સુધી ઓક્સિજનયુક્ત રક્ત પહોંચાડતી રક્તવાહિનીઓ સંકોચાઇ જવાથી એક્રોસાયનોસિસ થઇ શકે છે.

​સેકેન્ડરી એક્રોસાયનોસિસ

ક્લિનિકલ ઇન્સ્ટિટ્યૂટ (cincinnatichildrens.org) અનુસાર, સેકેન્ડરી એક્રોસાયનોસિસ સામાન્ય રીતે આંતરિક સ્થિતિના કારણે થાય છે અને તેની સાથે શરીરના અલગ અલગ ભાગમાં દર્દ થઇ શકે છે. તેને સેન્ટ્રલ એક્રોસાયનોસિસની સાથે જોઇ શકાય છે. આ નાની સ્થિતિમાં કોઇ એકના કારણે થઇ શકે છે. ડાઉન સિન્ડ્રોમ, હાઇપોક્સિમિયા, કનેક્ટિવ ટિશ્યૂ ડિઝિઝ, ગાંઠ, કુપોષણ, રક્તવિકાર, વિષાક્ત પદાર્થોના સંપર્કમાં આવવાથી થતા ઇન્ફેક્શન, માઇટોકોન્ડ્રિયલ બીમારી, એહલર્સ ડેનલોસ સિન્ડ્રોમ, કરોડરજ્જુમાં ઇજા અને એટોપિક ડર્મેટાઇસના કારણે આ બીમારી થાય છે.

​કેવી રીતે થાય છે એક્રોસાયનોસિસ

નેશનલ હેલ્શ ઇન્સ્ટિટ્યૂટ્સ (NIH) લૉ બોડી માસ ઇન્ડેક્સ (બીએમઆઇ), સતત ઠંડા તાપમાનમાં રહેવાથી, સંચાર પ્રણાલી સંબંધિત સમસ્યાઓની ઉપસ્થિતિ જે મુખ્યત્વે લોહીની નસોને પ્રભાવિત કરે છે તેના કારણે એક્રોસાયનોસિસ થવાની સંભાવના વધી જાય છે. બાળકીઓને આ બીમારીનું જોખમ વધારે હોય છે.

​એક્રોસાનોસિસનો ઇલાજ

મોટાંભાગના કેસમાં પ્રાથમિક એક્રોસાયનોસિસના ઉપચારની સંભાવના ઓછી હોય છે. કેટલાંક કેસમાં જ દવાની જરૂર પણ નથી પડતી. ઠંડીની સિઝનમાં એક્રોસાયનોસિસથી બચવા માટે બાળકને હૂંફાળા તાપમાનમાં રાખો. ઠંડીથી બચવા માટે સ્નાન બાદ ટૂવાલથી તેને યોગ્ય રીતે લપેટી લો. સેકન્ડર એક્રોસાયનોસિસનો ઉપચાર આંતરિક કારણો અને લક્ષણો પર નિર્ભર કરે છે, તેના ઇલાજ બાદ સેકન્ડરી એક્રોસાયનોસિસ ઠીક થઇ જાય છે. કેટલીક સ્થિતિ જેમ કે, વારસાગત સમસ્યાઓમાં સેકન્ડરી એક્રોસાયનોસિસથી બચવા માટે લાંબી સારવારની આવશ્યકતા ઉભી થઇ શકે છે.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

લેખક વિશે
હેતલ ડાભી
હેતલ ડાભી 13 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી જર્નાલિસ્ટ છે જેઓએ તેમની કારકિર્દીની શરૂઆત અમદાવાદના એક લોકલ ન્યૂઝપેપર સાથે વર્ષ 2007માં કરી હતી. કારકિર્દીની શરૂઆતથી લઇ અત્યાર સુધી તેઓએ ક્રાઇમ, બિઝનેસ, ટેક્નોલોજી, પોલિટિક્સ, ઇન્ટરનેશનલ અફેર્સ, ટ્રાવેલ, ફેશન, લાઇફસ્ટાઇલ જેવા વિવિધ સેક્શનમાં કામ કર્યુ છે. હાલમાં તેઓ લાઇફસ્ટાઇલ સેક્શનમાં છેલ્લાં એક વર્ષથી કામ કરે છે. જ્યાં તેઓના અનુભવના આધારે વિવિધ માહિતી અને રસપ્રદ આર્ટિકલ્સ લખી રહ્યા છે જે વાચકોને સતત નવી નવી માહિતી સાથે જકડી રાખે છે. જર્નાલિઝ્મ ઉપરાંત હેતલ ડાભીને વાંચન, લેખન અને ડાન્સનો શોખ છે. તેઓના સાહિત્ય પ્રત્યેના લગાવ અને સતત કંઇક નવું લખવા તેમ જ વાંચવાના શોખથી તેઓ એક પરિપક્વ લેખિકા છે અને આ જ બાબતની ઝલક તેમના કામમાં પણ સરળતાથી જોવા મળે છે.... વધુ વાંચો

Read Next Story