એપશહેર

જન્માષ્ટમી પર ભગવાન શ્રી કૃષ્ણને ધરાવો 'નારિયેળ પંજરી'નો પ્રસાદ

TNN 11 Aug 2020, 12:55 pm
જન્માષ્ટમી પર ભગવાન શ્રી કૃષ્ણને પંજરીનો પ્રસાદ ચડાવવામાં આવે છે. પંજરીના પ્રસાદ વગર ભગવાનને ધરાવવામાં આવતો 56 ભોગનો થાળ અધૂરો છે. પંજરી સ્વાદમાં ગળી હોવાથી કાન્હાને તે ખૂબ પસંદ છે. આ વખતે તમે પણ પંજરી બનાવવાના હો તો તેમાં કંઈક ટ્વિસ્ટ આપજો અને બનાવજો નારિયેળ પંજરી.
I am Gujarat nariyel panjari


સામગ્રી
4 કપ છીણેલું સૂકુ નારિયેળ
1/2 કપ મિક્સ ડ્રાયફ્રૂટ
1 કપ પાણી
1 કપ ખાંડ
1/2 કપ ટેટીના બીજ

બનાવવાની રીત

એક પેનમાં સૂકા નારિયેળનું છીણ લઈને ધીમા તાપે ગોલ્ડન કલરનું થાય ત્યાં સુધી શેકી લો. ગેસ બંધ કરીને આ છીણને પ્લેટમાં લઈ લો.

બનાવવાની રીત
એક પેન લો. તેમાં ટેટીના બીજ લો અને તેને પણ શેકી લો. બીજ શેકાઈ જાય એટલે તેને પ્લેટમાં કાઢી લો.

બનાવવાની રીત
એક પેન લો. તેમાં પાણી અને ખાંડ લઈને તેને ધીમા તાપે ઉકળદા દો. તેની બે તારની ચાસણી બનાવવી. બે તારની ચાસણી બની જાય એટલે તેમાં સૂકા નારિયેળનું છીણ અને ટેટીના બીજ ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લો.

બનાવવાની રીત
એક પ્લેટને ઘીથી ગ્રીસ કરી લો. તેમાં આ મિશ્રણ પાથરી દો. હવે તેના પર ડ્રાયફ્રૂટના બારીક ટુકડા ઉમેરો અને તેને ચમચીની મદદથી પ્રેસ કરી લો. મિશ્રણને ઠંડુ થવા દો. તો તૈયાર છે નારિયેળની પંજરી

આ પણ જુઓઃ આ રીતે બાંધો મેંદાની કણક, સમોસાનું બહારનું પડ ક્રિસ્પી બનશે

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો