એપશહેર

નવરાત્રિનો ઉપવાસ હોય તો બનાવો શિંગોડાના લોટની કઢી, ફરાળી ખીચડી સાથે મજા આવશે

નવરાત્રિના ઉપવાસમાં ફરાળમાં કંઈ નવું ટ્રાય કરવા માગતા હો તો શિંગોડાના લોટની કઢી બનાવજો. ખાવાની મજા આવશે.

TNN 7 Oct 2021, 1:44 pm
નવરાત્રિની આજથી શરૂઆત થઈ ગઈ છે. માતાજીના ઘણા ભક્તો નવરાત્રિના નવ દિવસ ઉપવાસ કરતા હોય છે. અમે અહીંયા તમને ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી કઢીની રેસિપી શીખવી રહ્યા છીએ, જે શિંગોડાના લોટમાંથી બનશે. શિંગોડાના લોટમાંથી કઢી બનાવવા માટેની સામગ્રી રસોડામાંથી સરળતાથી મળી રહેશે તેમજ જલ્દી બની પણ જશે. તો જોઈ લો રેસિપી
I am Gujarat how to make singhare kadhi at home for navratri fasting
નવરાત્રિનો ઉપવાસ હોય તો બનાવો શિંગોડાના લોટની કઢી, ફરાળી ખીચડી સાથે મજા આવશે


સામગ્રી
3/4 કપ દહીં
1/4 ટી સ્પૂન લાલ મરચું પાઉડર
સ્વાદાનુંસાર સિંધાલૂણ મીઠું
1 1/3 કપ પાણી
1 1/2 ટે. સ્પૂન ઘી
1 સૂકું લાલ મરચું
1/4 ટી સ્પૂન તજ પાઉડર
ચપટી ખાંડ
2 ટે. સ્પૂન સમારેલી કોથમીર
1/3 ટી સ્પૂન જીરું
5 મીઠા લીમડાના પાન

સ્ટેપ 1
રેસિપી બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલ લો. તેમા શિંગોડાનો લોટ, દહીં, તજ પાઉડર, સિંધાલૂણ મીઠું, ખાંડ તેમજ લાલ મરચું પાઉડર ઉમેરો. બધી સામગ્રીને યોગ્ય રીતે મિક્સ કરી લો. તેમાં પાણી ઉમેરો અને તેમા કોઈ ગાંઠ ન રહી જાય તે રીતે ચમચીની મદદથી ફરીથી મિક્સ કરી લો.

સ્ટેપ 2

એક પેન લો અને તેને ગરમ થવા દો. પેન ગરમ થાય એટલે મિશ્રણને તેમા ઉમેરો અને મધ્યમ આંચ પર ચડવા દો. આ દરમિયાન સતત તેને ચમચીથી હલાવતા રહેવું

સ્ટેપ 3
એક અન્ય પેન લો. તેમાં ઘી ઉમેરો. ઘી ગરમ થાય એટલે જીરુ ઉમેરી તતડવા દો. ત્યારબાદ તેમા સૂકું લાલ મરચું, લીમડાના પાન ઉમેરો અને મિક્સ કરો. બાદમાં તેને શિંગોડાના મિશ્રણમાં ઉમેરો અને મિક્સ કરી લો. કઢી ઘટ્ટ ન થાય ત્યાં સુધી અથવા પાંચથી છ મિનિટ માટે ચડવા દો. કઢી બની જાય એટલે તેમા સમારેલી કોથમીર ઉમેરો. તો તૈયાર છે શિંગોડાના લોટની કઢી. તેને ગરમાગરમ સાબુદાણા અથવા મોરેયાની ખીચડી સાથે ખાઓ.

Read Next Story