એપશહેર

મીઠાઈ બનાવ્યા બાદ ચાસણી વધે તો ફેંકી દેવાના બદલે તેનો આ રીતે કરો ઉપયોગ

મિત્તલ ઘડિયા | I am Gujarat 26 Oct 2019, 2:02 pm
દિવાળીના તહેવારમાં તમે પણ ઘરે મીઠાઈ બનાવતાં હશો. આ મીઠાઈ બનાવ્યા બાદ શું તેના માટે બનાવેલી અને વધેલી ચાસણીને તમે ફેંકી દો છો? જો તમારો જવાબ હા હોય તો હવે તેવું ના કરતાં. કારણ કે તેનો ઉપયોગ તમે ઘણી બધી રીતે કરી શકો છો.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:– બચેલી ચાસણીમાંથી તમે ઘણા પ્રકારની મીઠાઈ બનાવી શકો છો. જેમ કે નાનખટાઈ, બેસનની બર્ફી, શક્કરપારા, મીઠી મઠરી, લાડુ, બિસ્કીટ.– જો તમે પૂરણપોળી બનાવવાના હો તો તેના સ્ટફિંગ માટે બીજી સામગ્રીની સાથે ચાસણીનો ઉપયોગ પણ કરી શકો છો.– પુલાવ બનાવવા માટે ભાતને ચાસણીમાં થોડા સમય માટે પલાળીને રાખ્યા બાદ રાંધી લો. તેનાથી પુલાવ વધારે ટેસ્ટી બનશે.– બચેલી ચાસણીમાંથી તમે બૂરું પણ બનાવી શકો છો. આ માટે ચાસણીને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી તે સૂકાઈ ન જાય. તે ઘટ્ટ થઈ એટલે તેને ગેસ બંધ કરી ઠંડુ થવા દો. આ બૂરુંનો ઉપયોગ શરબતમાં ગળપણ તરીકે કરી શકો છો.– નાશ્તા માટે મીઠી પૂરી બનાવવી હોય તો આ ચાસણીથી લોટ બાંધી શકો છો.– ડ્રાય ફ્રૂટ્સને કેરેમલ કરવા માટે ચાસણીનો ઉપયોગ કરી શકો છો. આ માટે પેનમાં ચાસણી અને ડ્રાય ફ્રૂટ્સ લઈને પાકવા દો. આ બાદ ગેસ બંધ કરીને પ્લેટમાં સેટ થવા રાખી દો. આ રીતે બનાવો ટેસ્ટી અને ક્રિસ્પી દાળ કચોરી
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો