એપશહેર

ચાણક્ય નીતિઃ આચાર્ય ચાણક્યએ જણાવ્યું લગ્નમાં સુખ અને જીવનમાં સફળતાનું રહસ્ય, 4 બાબતોથી રહો દૂર

Couple Relationship: પતિ-પત્નીનો સંબંધ જેટલો મજબૂત હોય છે, તેટલો જ નાજૂક પણ હોય છે. આ જ કારણ છે જ્યાં એક તરફ આ સંબંધ વ્યક્તિ માટે શાંતિ અને ખુશીનું કારણ બની શકે છે, ઘણીવાર તે જીવનમાં કડવાશનું કારણ પણ બની જાય છે. પતિ-પત્નીએ એવું શું કરવું જોઇએ, જેનાથી તેમનું વૈવાહિક જીવન ખુશીઓથી ભર્યુ રહે? આ માટે આચાર્ય ચાણક્યની નીતિમાંથી અમુક સલાહ લઇ શકાય છે.

Authored byહેતલ ડાભી | I am Gujarat 26 May 2022, 5:27 pm
Chanakyaniti for Relationship: આચાર્ય ચાણક્ય દ્વારા રચિત એક નીતિ ગ્રંથ છે, જેમાં જીવન સાથે જોડાયેલા લગભગ દરેક પક્ષ અંગે સુચનો આપવામાં આવ્યા છે, જે વ્યક્તિને સફળ અને ખુશ બનાવવામાં મદદ કરી શકે છે. આ પક્ષમાં વૈવાહિક જીવન પણ સામેલ છે. આચાર્ય ચાણક્યની નીતિનું અનુસરણ કરતાં આજના યુગના પતિ-પત્ની પણ પોતાના જીવનને ખુશહાલ બનાવી શકે છે અને વ્યક્તિગત જીવનમાં સફળતા મેળવી શકે છે. ચાણક્ય માને છે કે, કોઇ વ્યક્તિની સફળતા અથવા નિષ્ફળતા પર તેના વૈવાહિક જીવનની અસર ચોક્કસથી જોવા મળે છે.
I am Gujarat chanakya niti according to chanakya these are the keys to a happy marriage
ચાણક્ય નીતિઃ આચાર્ય ચાણક્યએ જણાવ્યું લગ્નમાં સુખ અને જીવનમાં સફળતાનું રહસ્ય, 4 બાબતોથી રહો દૂર


(તસવીરોઃ પિક્સાબે.કોમ)

​સફળતા માટે ખુશહાલ પરિવાર જરૂરી

એવા સંબંધો જે તણાવ, અપ્રસન્નતા અને જટિલતાથી ભરેલા હોય છે, તે વ્યક્તિની સફળતાની રાહમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. જ્યાં સુધી આ ચીજો તેના જીવનમાં મોજૂદ રહે છે, ત્યાં સુધી તે ગમે તે પ્રકારે મહેનત કરે અથવા ગમે તેટલો વ્યક્તિ પ્રભાવશાળી હોવા છતાં તેને સફળતા નથી મળતી. આનાથી તદ્દન વિરૂદ્ધ જો વ્યક્તિનું લગ્ન જીવન ખુશીઓથી ભરેલુ છે તો આ બાબત તેને સફળ થવામાં મદદ કરે છે. નીતિ અનુસાર, વ્યક્તિના વિકાસની સંભાવનાનો વૈવાહિક જીવન સાથે ઉંડો સંબંધ છે.

​વિશ્વાસ અને ગરિમા

ચાણક્ય નીતિ અનુસાર, પતિ અને પત્ની વચ્ચે સન્માનનો ભાવ અને વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે. કપલ વચ્ચે સંબંધ પરસ્પર વિશ્વાસના આધારે જ મજબૂત બને છે, જેનો પાયો ગરિમા રાકે છે. આ બંને ગુણ પતિ-પત્નીમાં હોય તો પ્રતિ દિન તેમનો સંબંધ વધુ મજબૂત બનતો જાય છે. તેઓ એકબીજાંના વિચારોનું સન્માન કરે છે અને ભાવનાઓનો ખ્યાલ રાખે છે. જ્યારે પણ સંબંધની ગરિમાને ઠેસ પહોંચે છે, ત્યારે લગ્ન જીવનમાં કડવાશ અને તણાવ શરૂ થઇ જાય છે.

​પ્રેમ અને સમર્પણનો ભાવ

ચાણક્ય નીતિ અનુસાર, કોઇ પણ સંબંધને ગાઢ બનાવવા માટે પ્રેમ સૌથી મહત્વનો હોય છે, તેની સાથે સમર્પણનો ભાવ સંબંધને મજબૂત બનાવવા માટે મહત્વનો છે. પ્રેમનો દેખાડો ક્યારેય ના કરવો જોઇએ, ના તો એકબીજાંને વિશ્વાસઘાત કરવો જોઇએ. ચાણક્યએ પતિ-પત્નીના સંબંધને સૌથી પવિત્ર ગણાવ્યો છે.

​ઇમાનદારી

પતિ-પત્ની વચ્ચે જૂઠાણાંનું કોઇ સ્થાન નથી. કોઇ પણ સ્થિતિમાં જૂઠને સંબંધથી દૂર રાખવું જરૂરી છે. સંબંધમાં જેટલી ઇમાનદારી હશે, તેટલો જ તે મજબૂત બનશે. આવું થવા પર પતિ-પત્ની ક્યારેય એકબીજાંથી અલગ નહીં થાય અને તેઓ પ્રેમથી એકબીજાં સાથે જીવન પસાર કરી શકે છે.

નોંધઃ આ લેખ સામાન્ય જાણકારી અને માહિતીના આધારિત છે, IAG આ અંગે પુષ્ટિ કરતું નથી.

લેખક વિશે
હેતલ ડાભી
હેતલ ડાભી 13 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી જર્નાલિસ્ટ છે જેઓએ તેમની કારકિર્દીની શરૂઆત અમદાવાદના એક લોકલ ન્યૂઝપેપર સાથે વર્ષ 2007માં કરી હતી. કારકિર્દીની શરૂઆતથી લઇ અત્યાર સુધી તેઓએ ક્રાઇમ, બિઝનેસ, ટેક્નોલોજી, પોલિટિક્સ, ઇન્ટરનેશનલ અફેર્સ, ટ્રાવેલ, ફેશન, લાઇફસ્ટાઇલ જેવા વિવિધ સેક્શનમાં કામ કર્યુ છે. હાલમાં તેઓ લાઇફસ્ટાઇલ સેક્શનમાં છેલ્લાં એક વર્ષથી કામ કરે છે. જ્યાં તેઓના અનુભવના આધારે વિવિધ માહિતી અને રસપ્રદ આર્ટિકલ્સ લખી રહ્યા છે જે વાચકોને સતત નવી નવી માહિતી સાથે જકડી રાખે છે. જર્નાલિઝ્મ ઉપરાંત હેતલ ડાભીને વાંચન, લેખન અને ડાન્સનો શોખ છે. તેઓના સાહિત્ય પ્રત્યેના લગાવ અને સતત કંઇક નવું લખવા તેમ જ વાંચવાના શોખથી તેઓ એક પરિપક્વ લેખિકા છે અને આ જ બાબતની ઝલક તેમના કામમાં પણ સરળતાથી જોવા મળે છે.... વધુ વાંચો

Read Next Story