એપશહેર

સગાઈ તૂટી તો શું થયું? તમે અંદરથી તૂટશો નહીં

સગાઈ તૂટી ગયા પછી ક્યારેય તે ઘટનાને યાદ કરીને રડશો નહીં. વાસ્તવિકતાને સ્વીકારવી જોઈએ કે આ સંબંધ તમારા માટે નહોતો.

I am Gujarat 17 Sep 2020, 11:16 pm
ઘણાં લોકો સાથે એવું બન્યું હશે કે લગ્ન પહેલા અચાનક સગાઈ તૂટી જાય. એકબાજુ લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોય અને બીજી બાજુ એવું જાણવા મળે કે સગાઈ તૂટી ગઈ છે એટલે હવે લગ્ન નહીં થાય ત્યારે આઘાત લાગે છે. જે વ્યક્તિ સાથે આ પ્રકારની ઘટના બને તે અંદરથી તૂટી જાય છે. જો તમારી સાથે પણ આ પ્રકારની ઘટના બને તો શું કરશો? કદાચ સગાઈ તૂટે પણ આપણે અંદરથી તૂટવું જોઈએ નહીં. જો ભવિષ્યમાં કદાચ આ પ્રકારના દુ:ખદ સમાચાર સાંભળવા મળે તો અંદરથી તૂટશો નહીં. તો ચાલો જાણીએ કે તેમાંથી બહાર કેવી રીતે આવશો.
I am Gujarat how to survive a broken engagement
સગાઈ તૂટી તો શું થયું? તમે અંદરથી તૂટશો નહીં



સ્વીકાર કરો

એ વાતથી કોઈ ફરક નથી પડતો કે સગાઈ તોડી નાખવાનો નિર્ણય કોનો છે? આ નિર્ણયથી તમારી અંદર ગુસ્સો, અપમાન જોવા મળી શકે છે. તમે જ્યાં સુધી એ વાતને સ્વીકારશો નહીં કે સગાઈ તૂટી જ ગઈ છે ત્યાં સુધી આ દુ:ખમાં વધારો થતો રહેશે. સગાઈ તૂટી જવાના કારણે તમે ભલે દુ:ખી છો પણ તે વાસ્તવિકતાને સ્વીકારવી જોઈએ કે આ સંબંધ તમારા માટે નહોતો. સારુ થયું કે લગ્ન પહેલા સગાઈ તૂટી ગઈ, નહીં તો ખબર નથી કે આગળ જતા શું થવાનું છે.

પોઝિટિવ વિચારોથી મળશે મદદ

સગાઈ તૂટી જવાની દુ:ખદ ઘટના પછી તમને સંભાળવા માટે તમારી સાથે મિત્રો, સંબંધીઓ અને માતા-પિતા હોય જ છે. પણ, સાથે-સાથે પોતાની જાતને સંભાળવી ખૂબ જરૂરી છે. જ્યારે તમે પોઝિટિવ એટલે કે સકારાત્મક વિચારશો ત્યારે તમને આ કામમાં સફળતા મળશે. પોતાને એ વાત સમજાવવી જરૂરી છે કે સગાઈ તૂટી જવી તે દુનિયાનો અંત નથી. દુ:ખી થશો નહીં અને વિચારો કે હવે તમે આ ઘટના પછી કેટલા મજબૂત થશો. લોકોને જુઓ અને તેઓને જાણવાનો પ્રયાસ કરો. સગાઈ તૂટી ગયા પછી ક્યારેય તે ઘટનાને યાદ કરીને રડશો નહીં. તમારા આગામી જીવન પર આ ઘટનાની કોઈ અસર થવી જોઈએ નહીં.

સગાઈ તૂટી ગઈ તો દુનિયાનો અંત નહીં આવી જાય

જો સગાઈ તૂટવાના દુ:ખમાંથી બહાર નીકળવા માટે તમે પોતાની સંભાળ લઈ રહ્યા છો તો તેમાં કશું ખોટું નથી. તમે દોસ્તોની સાથે નાનકડા વેકેશન પર જઈ શકો છો. એકલા-એકલા પણ ફરવા માટે જઈ શકો છો એટલે કે સોલો ટ્રિપ પણ કરી શકો છો. તમને કંગના રનૌતની ફિલ્મ 'ક્વીન' તો યાદ હશે જ. સગાઈ તૂટવાના દુ:ખમાંથી બહાર નીકળવા માટે તમે પોતાની લાઈફસ્ટાઈલમાં બદલાવ લાવી શકો છો. તમને પોતાની જે વસ્તુ ખાસ લાગતી હોય તે કરવાથી સગાઈ તૂટવાના દુ:ખમાંથી જલદી બહાર આવી જશો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો