એપશહેર

arrange marriage v/s love marriage: મમ્મી-પપ્પાની મરજીથી લગ્ન કરવા જઇ રહ્યા છો? અરેન્જ મેરેજ પહેલાં જાણી લો આ વાતો

Tips for Arranged Marriage: અરેન્જ મેરેજનો અર્થ થાય છે પરિવારની સહમતિથી થતાં લગ્ન, જેમાં ભવિષ્યમાં આવતી પરેશાનીઓને દૂર કરવામાં પરિવારનો સપોર્ટ મળે છે. આ જ કારણ છે કે, મોટાંભાગે યુવક-યુવતી અરેન્જ મેરેજ પસંદ કરે છે.

Authored byહેતલ ડાભી | I am Gujarat 27 Oct 2022, 11:12 am
Morden Arranged marriages Tips to Consider: આજના જમાનામાં અરેન્જ મેરેજનું નામ સાંભળીને લોકોના રિએક્શન અલગ અલગ હોય છે. સામાન્ય રીતે હાલની જનરેશનમાં લવ મેરેજનો ટ્રેન્ડ વધી રહ્યો છે. લગ્નની ઉંમરે પહોંચેલા યુવક કે યુવતી પોતાના માટે પસંદગી અનુસાર જીવનસાથીની શોધ કરતા હોય છે. જો કે, આ સિક્કાની બીજી તરફ જોવામાં આવે તો મોર્ડન જમાનામાં અરેન્જ મેરેજ કરનારા લોકોની સંખ્યામાં પણ જરાય ઘટાડો નથી થયો.
I am Gujarat most convincing reasons that proves arranged marriages is better than love marriages
arrange marriage v/s love marriage: મમ્મી-પપ્પાની મરજીથી લગ્ન કરવા જઇ રહ્યા છો? અરેન્જ મેરેજ પહેલાં જાણી લો આ વાતો


અરેન્જ મેરેજ પસંદ કરવા પાછળનું સૌથી મોટું કારણ એ પણ હોય છે કે લવ મેરેજની સરખામણીએ અરેન્જ મેરેજ સફળ થવાના ચાન્સિસ વધારે હોય છે. આ એક કારણ પણ છે કે, અરેન્જ મેરેજનો કોન્સેપ્ટ આજે પણ દુનિયામાં પોપ્યુલર છે. સ્ટેટિસ્ટિક્સ બ્રેઇન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સ (Statistic Brain Research Institute) દ્વારા કરવામાં આવેલા એ રિસર્ચ અનુસાર, અરેન્જ મેરેજમાં ડિવોર્સનો દર માત્ર 6 ટકા છે, જ્યારે લવ મેરેજમાં આ આંકડો વધારે છે.

જો તમે પણ માતા-પિતાની પસંદગીના પાત્ર સાથે લગ્ન કરવાનું વિચારી રહ્યા હોવ તો તે પહેલાં જાણી લો અરેન્જ મેરેજના ફાયદાઓ અને લગ્ન પહેલાં કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

​સુરક્ષિત ભવિષ્ય

લગ્ન એક સોશિયલ કોન્ટ્રાક્ટની માફ હોય છે, તેમાં બે પરિવારની વચ્ચે પણ એક અતૂટ સંબંધ બને છે. તેથી જ જ્યારે લગ્ન નક્કી થાય છે, તો માતા-પિતાની જવાબદારી પણ તેમાં ઉમેરાય છે અને તેઓ સુનિશ્ચિત કરે છે કે, તેમના બાળકો કોઇ પણ સ્થિતિમાં ખુશ રહે. મુશ્કેલીની ઘડીઓમાં અરેન્જ મેરેજમાં લોકોને મોટેરાંઓનું સમર્થન અને સાથ મળે છે, જ્યારે લવ મેરેજમાં આવું ભાગ્યે જ જોવા મળે છે.

​માનસિક નુકસાનના ઓછા ચાન્સિસ

આજના સમયમાં સંબંધ નિભાવવા સૌથી મુશ્કેલ કામ છે અને જ્યારે પતિ-પત્નીના સંબંધની વાત આવે તો તેમાં અનેક પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે. ખાસ કરીને લવ મેરેજમાં લગભગ દરરોજ એક પડકાર સામે આવીનો ઉભો રહે છે. જ્યારે અરેન્જ મેરેજમાં તમારાં માનસિક શાંતિ ભંગ થાય તેવા ચાન્સિસ ખૂબ જ ઓછા હોય છે. આ જ સૌથી મોટું કારણ પણ છે કે, લોકો અરેન્જ મેરેજ પર વધારે વિશ્વાસ કરે છે.

​સંસ્કૃતિને જીવિત રાખે છે

સંસ્કૃતિ એવો આધાર છે, જે પર વિશ્વાસ, મૂલ્યો અને સિદ્ધાંત ટકેલા હોય છે. જેને વ્યક્તિ અન્ય કોઇ પણ દેશમાં જાય પણ તે ભૂલવામાં નથી આવતા. આ સિવાય લવ મેરેજમાં લોકો પહેલાં ડેટિંગ કરે છે અને પછી કરિયર બનાવવાના ચક્કરમાં લગ્નને પાછળ ઠેલતા રહે છે. તેવામાં ઉંમર પણ વધી જાય છે, જે દરેક માતા પિતા માટે ચિંતાનો વિષય બને છે. જ્યારે અરેન્જ મેરેજમાં લગ્નની એક ચોક્કસ ઉંમર હોય છે અને માતાપિતાના પ્રયત્નો રહે છે કે, તેમનું સંતાન નિશ્ચિત ઉંમરે વૈવાહિક જીવનમાં સેટલ થઇ જાય.

​પેરેન્ટ્સનું ઇન્વોલ્વમેન્ટ

પેરેન્ટ્સ જ્યારે તેમના સંતાનો માટે સંબંધની પસંદગી કરે છે, તો તેઓની જવાબદારી પણવધી જાય છે. લવ મેરેજમાં માતા-પિતાના વિચાર અલગ અલગ હોય છે, શક્ય છે કે ઘણીવાર પાર્ટનર પારિવારિક રીત-રિવાજોમાં રસ ના લે. જ્યારે અરેન્જ મેરેજમાં આ સંભાવના ખૂબ જ ઓછી થઇ જાય છે.

લેખક વિશે
હેતલ ડાભી
હેતલ ડાભી 13 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી જર્નાલિસ્ટ છે જેઓએ તેમની કારકિર્દીની શરૂઆત અમદાવાદના એક લોકલ ન્યૂઝપેપર સાથે વર્ષ 2007માં કરી હતી. કારકિર્દીની શરૂઆતથી લઇ અત્યાર સુધી તેઓએ ક્રાઇમ, બિઝનેસ, ટેક્નોલોજી, પોલિટિક્સ, ઇન્ટરનેશનલ અફેર્સ, ટ્રાવેલ, ફેશન, લાઇફસ્ટાઇલ જેવા વિવિધ સેક્શનમાં કામ કર્યુ છે. હાલમાં તેઓ લાઇફસ્ટાઇલ સેક્શનમાં છેલ્લાં એક વર્ષથી કામ કરે છે. જ્યાં તેઓના અનુભવના આધારે વિવિધ માહિતી અને રસપ્રદ આર્ટિકલ્સ લખી રહ્યા છે જે વાચકોને સતત નવી નવી માહિતી સાથે જકડી રાખે છે. જર્નાલિઝ્મ ઉપરાંત હેતલ ડાભીને વાંચન, લેખન અને ડાન્સનો શોખ છે. તેઓના સાહિત્ય પ્રત્યેના લગાવ અને સતત કંઇક નવું લખવા તેમ જ વાંચવાના શોખથી તેઓ એક પરિપક્વ લેખિકા છે અને આ જ બાબતની ઝલક તેમના કામમાં પણ સરળતાથી જોવા મળે છે.... વધુ વાંચો

Read Next Story