એપશહેર

રણબીર-આલિયાના લગ્નની તસવીરો જ નહીં, એક વિધિ પણ બની ચર્ચાનું કારણ, જાણો શું છે ખાસ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની ચર્ચા હજુ સુધી અટકવાનું નામ જ નથી લેતી. બોલિવૂડનું ક્યૂટ કપલ ખૂબ જ સાદગીથી મિત્રો અને પરિવારની હાજરીમાં લગ્નના તાંતણે બંધાઇ ગયું છે. લગ્ન બાદ તેઓની ઇનસાઇડ તસવીરો અને વીડિયોઝ તો વાઇરલ થઇ જ રહ્યા છે, પણ આ કપલના લગ્નના રિવાજો વિશે પણ ચારેતરફ ચર્ચા થઇ રહી છે.

I am Gujarat 20 Apr 2022, 10:48 am
એકતરફ નો-મેકઅપ લૂક્સથી આલિયાએ વર્ષો જૂની રીતને બાય-બાય કહી દીધું હતું, તો વળી માત્ર 28 લોકોની હાજરીમાં ગ્લેમરસ અને ધામધૂમવાળા લગ્નને બદલે કપલના સાદગીપૂર્ણ લગ્નની પણ લોકો વાહ વાહ કરી રહ્યા છે. આ તમામ ખબરો વચ્ચે જે બાબતની સૌથી વધુ ચર્ચા થઇ રહી છે તે રણબીર અને આલિયાના ફેરા.
I am Gujarat ranbir kapoor alia bhatt took 4 pheras know its significant in indian marriage
રણબીર-આલિયાના લગ્નની તસવીરો જ નહીં, એક વિધિ પણ બની ચર્ચાનું કારણ, જાણો શું છે ખાસ


હાલમાં જ આલિયાના ભાઇ રાહુલ ભટ્ટે મીડિયાને જણાવ્યું કે, લગ્ન દરમિયાન જે પંડિત હાજર રહ્યા હતા તેઓ કપૂર ફેમિલીની તમામ સેરેમનીમાં હાજરી આપે છે અને તેઓએ જ આલિયા-રણબીરને સાતને બદલે ચાર ફેરા લેવાનો આગ્રહ કર્યો હતો. સામાન્ય રીતે ભારતીય લગ્નમાં જે સાત ફેરા અને સાત વચનનું મહત્વ રહ્યું છે, તેની સામે માત્ર ચાર ફેરા વિશે સાંભળીને ઘણાં લોકો કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. હકીકતમાં, હિન્દુ વિવાહમાં ચાર ફેરાનું અનેરૂં અને ખાસ મહત્વ છે.

ફેરાનું મહત્વ

હિન્દુ લગ્નમાં ફેરાનું આગવું મહત્વ છે. 7 ફેરાનો અર્થ છે પતિ-પત્ની એકબીજાંને ફેરા લેતી વખતે લગ્નના સાત વચનો આપે છે. આ ફેરા પતિ-પત્નીને સહજીવન દરમિયાન કોઇ પણ પરિસ્થિતિમાં અને એકબીજાંના થઇને રહેવા માટેના પવિત્ર બંધનમાં બાંધે છે. દરેક હિન્દુ લગ્નમાં અંદાજિત 4 ફેરા લેવામાં આવે છે, જેનો અર્થ જીવનના 4 પુરૂષાર્થ એટલે કે - ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સાથે જોડાયેલો છે.

ranbir-alia

​ધર્મ

ધર્મનો અર્થ છે જીવનને ધર્મના આધારે અને સત્યના આધારે નિર્વાહ કરવું. ધર્મ માણસને યોગ્ય રસ્તે ચાલવા અને પોતાના ઉદ્દેશ્યને શોધવામાં મદદ કરે છે. ધર્મ માણસને એક સારો વ્યક્તિ બનાવે છે જેથી તે જીવનમાં સ્થિરતા, વ્યવસ્થા, પ્રમાણિકતા અને સંવાદિતતા સાધી શકે.

​અર્થ

અર્થનો મતલબ છે સુરક્ષિતતા, એ તમામ ચીજવસ્તુઓની જીવનમાં હાજરી જેનાથી વ્યક્તિ શાંતિપૂર્ણ જીવન જીવી શકે. અર્થનો એક માત્ર મતલબ પૈસા નથી, પણ તેનો એક અર્થ એ પણ છે કે વ્યક્તિએ પોતાની પાસે જે છે, જેટલાં પ્રમાણમાં છે તેનું પુરતું ગણીને ખુશ રહેવું જોઇએ. અર્થ એટલે કે, યોગ્ય રસ્તે ચાલીને પોતાના અને પોતાના પરિવારની આર્થિક બાબતોને પરિપૂર્ણ કરવી.

​કામ

કામનો અર્થ છે માણસની પ્રાથમિક ઇચ્છા અને આનંદ. જેમાં જાતીય આનંદ, પ્રેમ અને સહવાસનો સમાવેશ થાય છે. કામ ઉત્કટતા અને આત્મીયતાથી પ્રેરિત છે. કામ જો યોગ્ય માત્રામાં હોય તો વ્યક્તિને તેનો ધર્મ શોધવામાં મદદ કરે છે, પણ જો તેની માત્રા વધી જાય તો વ્યક્તિ લોભ, વાસના અને વ્યસન જેવી નકારાત્મક લાગણીઓ ઉત્પન્ન કરે છે.

મોક્ષ

મોક્ષનો અર્થ તમે ખરાં અર્થમાં શું છો તે છે. જ્યારે તમે જીવનની જંજાળમાં સતત ફસાયેલા રહો છો ત્યારે ધર્મ તમને શિસ્તબદ્ધતા શિખવે છે. મોક્ષ તમારાં મનને શાંતિ અને ધૈર્ય પ્રદાન કરે છે. તમે જ્યારે મોક્ષના રસ્તે ચાલો છો ત્યારે જીવનની જરૂરિયાતોનો આપમેળે જ ત્યાગ કરો છો, સતત પૈસા કમાવવાની ઝંખના, લક્ઝૂરિયસ લાઇફ સ્ટાઇલની ઇચ્છા આ બધા જ બંધનોથી તમે મુક્ત થઇને અંતરઆત્માને ઓળખો છો, તમે જો છો તેમાં જ ખુશ રહેતા શીખી જાવ, તેનો અર્થ છે મોક્ષ.

આ સમાચારને ઇંગ્લિશમાં વાંચવા માટે અહીં ક્લિક કરો.

Read Next Story