એપશહેર

ટ્રેનના ડબ્બા શા માટે અલગ-અલગ રંગના હોય છે? આવું છે કારણ

Yogesh Gajjar | I am Gujarat 29 Aug 2019, 12:09 pm
ભારતીય રેલવે એશિયાનું બીજું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. ભારતીય રેલવેમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરતા હોય છે. તમે પણ ક્યારેકને ક્યારેક ટ્રેનમાં મુસાફરી કરી જ હશે. પરંતુ મુસાફરી કરતા સમયે ક્યારેય તમારું ધ્યાન ટ્રેનના અલગ-અલગ રંગના ડબ્બાઓ પર પડ્યું છે? મોટાભાગના લોકોને આ પાછળનું કારણ માલુમ નથી. ત્યારે જાણો અલગ-અલગ રંગના ડબ્બા કેમ હોય છે અને શું છે તેની પાછળનું કારણ…હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: તમે જોયું હશે કે મોટાભાગની ટ્રેનોના ડબ્બાનો રંગ વાદળી હોય છે. હકીકતમાં આ ડબ્બાનો મતલબ થાય છે કે આ આઈસીએફ કોચ છે. એટલે કે તેમની ઝડપ 70થી 140 કિમી પ્રતિ કલાક વચ્ચેની હોઈ શકે છે. આવા ડબ્બા મેલ, એક્સપ્રેસ અથવા સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનોમાં લગાવવામાં આવે છે.કેટલીક ટ્રેનોમાં લાલ રંગના ડબ્બાઓ જોડવામાં આવેલા હોય છે. આ લાલ ડબ્બા મોટેભાગે એસી ટ્રેનોમાં ઉપયોગ કરાય છે. જેમ કે રાજધાની એક્સપ્રેસ જેવી ટ્રેનો.ટ્રેનોના ડબ્બામાં લીલા રંગનો ઉપયોગ ગરીબ રથ ટ્રેનમાં થાય છે. જ્યારે ભૂરા રંગના ડબ્બાનો ઉપયોગ મીટર ગેજ ટ્રેનોમાં થાય છે. બિલિમોરા-વધઈ પેસેન્જર ટ્રેન નેરો ગેજ છે, જેના ડબ્બામાં લીલા રંગનો ઉપયોગ જોવા મળે છે. જોકે તેમાં કેટલાક ભૂરા રંગના કોચનો પણ ઉપયોગ કરાય છે.આ પણ જુઓ…. PM મોદીની મંત્રીઓને સલાહ, ‘મંત્રાલયમાં સંબંધીઓને નોકરી ન આપશો’

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો