એપશહેર

સુહાગરાતે કપલને શા માટે આપવામાં આવે છે દૂધ? આ રહ્યું તેનું વૈજ્ઞાનિક કારણ

Shailesh Thakkar | I am Gujarat 24 Nov 2019, 9:07 pm
I am Gujarat why couples served milk on their first wedding night
સુહાગરાતે કપલને શા માટે આપવામાં આવે છે દૂધ? આ રહ્યું તેનું વૈજ્ઞાનિક કારણ


ફિલ્મો-સીરિયલોમાં આવું જોયું જ હશે

ભારતીય લગ્નોમાં ઘણા પ્રકારના રીત-રિવાજ અને પરંપરાઓ હોય છે અને આ બધા સાથે કોઈને કોઈ વૈજ્ઞાનિક કારણ જોડાયેલું છે. આવામાં જાણીએ એક એવા ટ્રેડિશનનું વિજ્ઞાન સાથેનું કનેક્શન જેણે આપણે મોટાભાગની ફિલ્મો અને સીરિયલ્સ જોતા હોઈએ છીએ. અમે વાત કરી રહ્યાં છીએ સુહાગરાતે દૂધ સર્વ કરવાની. દૂધની ન્યૂટ્રિશનલ વેલ્યૂ વિશે તો આપણે જાણીએ જ છીએ અને હવે અહીં જાણીશું કે, આખરે કયા કારણે સુહાગરાતે સ્પેશિયલી દૂધ સર્વ કરવામાં આવે છે…

પહેલા પરંપરા શું છે તે જાણો…

જેમ કે, અમે આગળ જણાવ્યું, લગ્નની પહેલી રાતે વર-કન્યાને દૂધ સર્વ કરવામાં આવે છે. આ દૂધમાં કેસર અને બદામાં પણ નાખવામાં આવે છે. કેટલાક લોકો તેમાં વરિયાળી પણ મિક્સ કરે છે. આમ તો લોકો તેને પરંપરા તરીકે જુએ છે પણ આની પાછળ વૈજ્ઞાનિક અને દૂધના દંગ કરી દેનારા ફાયદા પણ છે.

કેવી રીતે થઈ શરૂઆત

ઘણી જગ્યાએ એવું લખેલું છે કે, કામસૂત્રમાં આ ડ્રિંકનો ઉલ્લેખ છે. માનવામાં આવે છે કે, તે સેક્શુઅલ ઈન્ટરકોર્સ માટે એનર્જી અને સ્ટેમિના આપે છે. આવું પહેલી રાતે કપલના એક્સપીરિયન્સને વધુ સારો બનાવવા માટે કરવામાં આવતું હતું.

દૂધમાં ન્યૂટ્રિશન

દૂધ, કેસર અને ક્રશ કરેલી બદામનું ડ્રિંક પીવાથી નવપરિણીત કપલને એનર્જી મળે છે. દૂધ અને બદામમાં પ્રોટીન હોય છે જે શરીર તાકાત પૂરી પાડે છે. ટેસ્ટોસ્ટેરોન અને સ્ટ્રોજન જેવા સેક્સ હોર્મોન વધારવા માટે પ્રોટીનની જરૂર હોય છે.

લિબિડોમાં વધારો કરે છે

આ દૂધ, કેસર અને બદામના એક મિક્સચરને એફ્રોડિજિએક માનવામાં આવે છે જે સેક્સ ડ્રાઈવ અને લિબિડો વધારે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો