એપશહેર

...તો કારણે સુહાગરાતે દૂધનો ગ્લાસ લઈને જાય છે નવવધૂ!

Mitesh Purohit | I am Gujarat 19 Nov 2017, 3:34 pm
I am Gujarat you must read reason behind milk serve on wedding night in india
...તો કારણે સુહાગરાતે દૂધનો ગ્લાસ લઈને જાય છે નવવધૂ!


સુહાગરાતે શા માટે સર્વ કરવામાં આવે છે દૂધ?

આપણા દેશમાં કેટલાય એવા રીતિ રિવાજ છે જે આપણે જાણ્યા વગર જ ફોલો કરીએ છીએ. જેમાંથી કેટલાક કોઈ વૈજ્ઞાનિક આધાર ધરાવતા નથી હોતા. જ્યારે કેટલાક રીવાજો પાછળ ખૂબ જ ગૂઢ વિજ્ઞાન હોય છે. આવો જ એક રીવાજ એટલે સુહાગરાતના દિવસે દૂધ પીવું. જોકે આ રીવાજ પાછળ કેટલાક વૈજ્ઞાનિક કારણો પણ છે. જાણો….

શું છે રિવાજ

ભારતમાં સુહાગરાતને દિવસે પતિ-પત્નીને દૂધ પીવા આપવામાં આવે છે. આ દૂધમાં કેસર અને બદામ હોય છે. તો કેટલીક જગ્યાએ બદામની સાથે વરયાળી અને પિસ્તા યુક્ત દૂધ પણ આપવામાં આવે છે.

દૂધ છે બેસ્ટ ડ્રિંક

હિંદૂ માન્યતા પ્રમાણે દૂધને પવિત્ર માનવામાં આવે છે. સુહાગરાતે નવ દંપત્તિ પોતાના નવા જીવનની શરુઆત કરતા હોવાથી આદર્શ ડ્રિંક તરીકે દૂધ સર્વ કરવામાં આવે છે.

કઈ રીતે થઈ શરુઆત

કેટલાય લેખો મૂજબ ભારતીય વાત્સાયન કામસૂત્રમાં જણાવ્યા પ્રમાણે દૂધ પિવાથી લગ્નનો થાક દૂર થાય છે અને પ્રથમ રાત્રે સ્ટેમિના જળવાઈ રહે છે.

મળે છે વધુ સેક્સ્યુઅલ પાવર

દૂધમાં પડેલા કેસર અને બદામ લગ્નમાંની ક્રિયાઓ દ્વારા થાકેલા કપલને એનર્જી આપે છે. કેમ કે દૂધ અને બદામમાં પ્રોટિન ખૂબ વધારે માત્રામાં હોય છે. તેમજ સેક્સ્યુઅલ પાવર માટે જરુરી હોર્મોન્સ ટેસ્ટોસ્ટેરોન અને એસ્ટ્રોજનના નિર્માણમાં પ્રોટિનની ખૂબ જરુરત રહે છે.

સેક્સ ડ્રાઇવમાં વધારો

એવું માનવામાં આવે છે કે દૂધ, કેસર અને બદામનું મિશ્રણ શરિરમાં ઉર્જાને વધારો કરે છે. જેનાથી સ્ટેમિના વધે છે અને કપલની સેક્સ ડ્રાઇવ ખૂબ વધે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો