બિન્દુ દાલમિયા: PM નરેન્દ્ર મોદી છેલ્લાં અઠવાડિયા સુધી અજેય દેખાતા હતા. BJP આગામી લોકસભા ચૂંટણીમાં 350નો જાદુઈ આંકડો હાંસલ કરે તેવી આગાહીઓ કરાઈ રહી હતી. નોંધનીય છે કે ડિમોનેટાઈઝેશન બાદ બેરોજગારી સહિતના વિકાસ, વધતી જતી હિંસાના બનાવો તેમજ ખેડૂતોના અસંતોષનો સામનો કરતી સરકાર જીત માટે આશ્વસ્ત દેખાતી હતી. પરંતુ હરિયાણામાં છેલ્લાં કેટલાંક દિવસોથી બની રહેલા બનાવોએ સરકારને ઘેરવા માટે વિપક્ષને રસ્તો આપી દીધો હોય તેવું લાગી રહ્યું છે. જો પરિસ્થિતિનો બરોબર લાભ લેવામાં વિપક્ષ કામયાબ થશે તો આગામી ચૂંટણીમાં BJP માટે ઘાતક પુરવાર થશે તે નક્કી છે.
વિપક્ષની ભૂલ
સરકારની નિષ્ક્રિયતા અને ભૂલોનો લાભ લેવાનું વિપક્ષ હંમેશા ચૂકી જાય છે પરંતુ આ વખત રામ રહીમ અંગે ચુકાદો આપતા કોર્ટે આ ખોટ પણ પુરી કરી દીધી હતી. કોર્ટે હરિયાણાના CMની હિંસા રોકવા માટેના પ્રયત્નો પર પ્રશ્નો ઉભા કરતા કહ્યું હતું કે, ‘રાજકિય લાભ ખાંટવા તેમણે હરિયાણામાં હિંસા ન રોકી’. નોંધનીય છે કે વોટબેન્ક માટે કહેવાતા ધર્મગુરુઓનો સાથ લઈને રાજકિય પક્ષો ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કરે છે. હવે રાજકિય શક્તિ કરતાં ગુરુ પાવર એક સંસ્થાકીય શક્તિ બની ગઈ છે. ગુરુના અનુયાયીઓ રાજકિય પક્ષો માટે વોટ બેન્ક સાબિત થાય છે અને બદલામાં કહેવાતા ગુરુઓને રાજકિય લાભ મળે છે.
ધર્મગુરુઓના અનુયાયીઓ બન્યા વોટબેન્ક
આ ક્રોનિઝમનું વિકસતું સ્વરુપ છે. PM મોદી દ્વારા આને ધંધાકીય ક્રોનિઝમમાં ફેરવી દેવામાં આવ્યું છે. ધંધાકીય ક્રોનિઝમ અને આદ્યાત્મિક ક્રોનિઝમ હવે એકબીજા સાથે ગાઢ રીતે જોડાઈ ગયા છે. કોંગ્રેસના સમય કરતા ગુરુઓ મારફતે વોટ બેન્ક આકર્ષવાનું ચલણ BJP સરકારમાં વધ્યું છે. હવે આ ચલણ ધર્મગુરુઓના ઈશારે સરકારને દબાણમાં લાવવા માટે તેમના અનુયાયીઓ તોફાની ટોળામાં પરિવર્તિત થઈ જાય છે.
લોકોને મોટા સપનાં બતાવી દીધા
જોકે વડાપ્રધાન મોદીની રાજકીય છબી દેશને શોષણ કરનાર વર્ગથી છૂટકારો અપાવનારની છે. મોદી અને શાહની જોડીના વખાણવાયોગ્ય કામોને કારણે દેશમાં BJP માટે નવી વોટબેન્ક ઉભી કરવાની જરુરિયાત ઉભી થઈ છે. મોદી સરકાર દ્વારા લોકોને બતાવવામાં આવેલા સ્વપ્નો જમીની હકીકતથી દૂર હોય તેવું લાગી રહ્યું છે. 73 ટકા કોર્પોરેટ્સ દ્વારા લોકોને કામ પર રાખવા અંગે અનિચ્છા પ્રગટ કરાઈ છે, જ્યારે જોબ ક્રિએશનની ગતિ પણ મંદ પડી ગઈ છે તેમજ ખેડૂતોની આત્મહત્યાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે.
તો મોદીની લોકપ્રિયતા હજુ વધી રહી છે?
મોદીની લોકપ્રિયતા એ લોકોને બતાવવા માટે ઉભી કરાયેલી છબી છે. અસલમાં મોદી-શાહ-RSSની ટુકડી દ્વારા મોદીના સામાજિક અને આર્થિક કલ્યાણ માટેની યોજનાઓની જે માર્કેટિંગ કરાઈ છે તેનો આ કમાલ છે. જ્યારે ખરેખર પરિસ્થિતિમાં સુધારો લાવી શકાયો નથી. તેથી એક સમયના મોદી ભક્તની હેસિયતથી હું કહીશ કે હું આ વખત મોદી માટે વોટ નહીં કરું. જો કે હું માનું છું કે આજ સુધી મોદી જેવા રાજનેતા આપણને મળ્યા નથી.
કુશળ રાજનીતિક પક્ષ BJP
કોંગ્રેસમાં ગાંધી પરિવાર સામે ખડું થઈને ફરીવાર પાર્ટીને પગભર બનાવી શકે તેવો કોઈ નેતા નથી. બીજી તરફ મોદીપક્ષના નેતાઓ દિલ્હી અને બિહારમાં ફરીવાર પક્ષનો ડંકો વગાડવામાં કામયાબ થયા છે. BJP વ્યૂહાત્મક યોજનાઓ ઘડવામાં ઘણી આગળ છે. જે રાજ્યોમાં પાર્ટીનું અસ્તિત્વ નાનું છે ત્યાં પ્રાદેશિક પક્ષો સાથે હાથ મિલાવીને નીતિશ કુમારવાળી કરવામાં પણ BJPને મહારથ હાંસલ છે.
આમ તો વિકાસના લક્ષ્યો સિદ્ધ નહીં થાય
એ વાત નકારી ન શકાય કે BJP મોદીના શાસનકાળમાં સત્તાના સર્વોચ્ચ શિખર પર પહોંચી છે. અહીં હું કહેવા માંગીશ કે માત્ર ભ્રષ્ટાચારને ખતમ કરાવાથી ઈચ્છીત વિકાસના લક્ષ્યો મેળવી શકાશે નહીં એ ત્યારે જ શક્ય બનશે જ્યારે નોકરીની તકોમાં વધારો થાય તેમજ નાગરિકોના આવકના સ્ત્રોતોમાં વધારો થાય. ખેડૂતોની લોન માફી અને ચૂંટણી નજીક કલ્યાણકારી યોજનાઓની જાહેરાત આર્થિક સુધારા પર વિપરિત અસર જન્માવ્યા સિવાય બીજું કઈ નહી કરી શકે.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.