બોલિવૂડ એક્ટર આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન થઈ ગયા છે. 14 એપ્રિલે આલિયા અને રણબીર ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડમાંથી પતિ-પત્ની બની ગયા. રણબીર કપૂરના પાલી હિલમાં આવેલા ઘર વાસ્તુ બિલ્ડિંગમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન થયા. બુધવારે મહેંદી સેરેમની બાદ ગુરુવારે પીઠી સેરેમની યોજાઈ હતી. આ લગ્નમાં સામેલ થવા માટે મહેમાનો વાસ્તુ ખાતે આવ્યા છે. આલિયા ભટ્ટના મમ્મી-પપ્પા, બહેનો અને ભાઈથી માંડીને રણબીરનાં મમ્મી નીતૂ કપૂર, બહેન રિદ્ધિમા કપૂર, ફોઈ રીમા જૈન, કરણ જોહર સહિતના પરિવારજનો અને મિત્રો લગ્નસ્થળે પહોંચ્યા હતા.
બોલિવૂડ એક્ટર આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન થઈ ગયા છે. 14 એપ્રિલે આલિયા અને રણબીર ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડમાંથી પતિ-પત્ની બની ગયા.
રણબીર કપૂરના પાલી હિલમાં આવેલા ઘર વાસ્તુ બિલ્ડિંગમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન થયા. બુધવારે મહેંદી સેરેમની બાદ ગુરુવારે પીઠી સેરેમની યોજાઈ હતી.
આ લગ્નમાં સામેલ થવા માટે મહેમાનો વાસ્તુ ખાતે આવ્યા છે. આલિયા ભટ્ટના મમ્મી-પપ્પા, બહેનો અને ભાઈથી માંડીને રણબીરનાં મમ્મી નીતૂ કપૂર, બહેન રિદ્ધિમા કપૂર, ફોઈ રીમા જૈન, કરણ જોહર સહિતના પરિવારજનો અને મિત્રો લગ્નસ્થળે પહોંચ્યા હતા.
એક રિપોર્ટ મુજબ, હવે એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરવા પહોંચશે. તેઓ ગણપતિ દાદાના આશીર્વાદ લઈને લગ્નજીવનની શરૂઆત કરવા માગે છે.
અમારા સહયોગી ઈટાઈમ્સના જણાવ્યા મુજબ, 10 દિવસ કરતા પણ ઓછા સમયમાં રણબીર અને આલિયાના લગ્ન નક્કી થયા હતા. રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નમાં મહેમાનો તૈયાર થઈને આવ્યા કે જેમાં રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર પણ સુંદર દેખાઈ રહી હતી. લગ્નપ્રસંગમાં આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટ અને ભાઈ રાહુલ ભટ્ટ ટ્રે઼ડિશનલ લૂકમાં જોવા મળી રહ્યા છે.
એક તરફ દીકરાના લગ્નની ખુશી અને બીજી બાજૂ પતિની યાદ. 43 વર્ષ પહેલા 13મી એપ્રિલના રોજ જ નીતૂ કપૂર અને ઋષિ કપૂરની સગાઈ પણ થઈ હતી. 13 એપ્રિલ 1979ના રોજ નીતૂ અને ઋષિ કપૂરની સગાઈ થઈ હતી. નીતૂએ સગાઈની તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. મહેંદી સેરેમનીમાં ઋષિ કપૂરને યાદ કરીને નીતૂ કપૂર ભાવુક થઈ ગયા હતા. તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. નીતૂ કપૂરે જ્યારે હાથમાં મહેંદી મૂકાવી તો તેમણે દિવંગત પતિ ઋષિ કપૂરનું નામ પણ લખાવ્યું.