બાળકોની યાદશક્તિ વધારવા એકપણ રુપિયાના ખર્ચ વગર કરો આ કામ

Edited byGaurang Joshi | I am Gujarat 29 Jan 2020, 10:03 am
  • પેરેન્ટસે હોય છે ચિંતા

    સામાન્ય રીતે પેરેન્ટ્સને હંમેશા ચિંતા રહેતી હોય છે કે તેના બાળકો અભ્યાસમાં સારો દેખાવ નથી કરતાં. આ માટે બાળકોની યાદશક્તિને જવાબદાર ઠેરવતાં હોય છે. અનેક પેરેન્ટ્સ પોતાના બાળકની યાદશક્તિ સારી નથી તેવી ફરિયાદ કરતાં હોય છે. બાળકોની યાદશક્તિ વધારવા માટે અનેક પ્રકારના નુસખાઓ પણ અજમાવતાં હોય છે. જોકે, તાજેતરમાં જ એક રિસર્ચમાં સામે આવ્યું છે કે હરિયાળીથી બાળકોની યાદશક્તિ પર સકારાત્મક અસર પડે છે.

  • બાળકોની યાદશક્તિને અસર

    એક રિસર્ચ અનુસાર દિવસેને દિવસે જમીનનો ભાગ ઘટી રહ્યો છે. જમીનની ઉણપને પૂરી કરવા માટે ઝાડ તેમજ છોડવાઓને પણ કાપવામાં આવી રહ્યાં છે. જેથી ગ્લોબલ વોર્મિંગનો ખતરો તો વધી જ રહ્યો છે આ સાથે જ શ્વાસ લેવા માટે સ્પષ્ટ હવા પણ મુશ્કેલીથી મળી રહી છે.વૈજ્ઞાનિકોએ એ વાત સાબિત કરી છે કે હરિયાળીની અસર બાળકોની યાદશક્તિ પર પણ પડે છે.

  • એકાગ્રતા સાથે સંબંધ

    જે બાળકો હરિયાળી ધરાવતાં શહેરમાં રહે છે. તેમની યાદશક્તિ અન્ય બાળકોની સરખામણીમાં વધારે ઉત્તમ હોય છે. બ્રિટનના યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનના રિસર્ચર્સના જણાવ્યાનુસાર પર્યાવરણની યાદશક્તિ પર ખૂબ જ અસર પડે છે. રિસર્ચમાં જણાવ્યાનુસાર હરિયાળી અને એકાગ્રતાનો સંબંધ થાય છે. હરિયાળી બાળકોમાં એકાગ્રતા વધારે છે અને અભ્યાસમાં પણ મદદરુપ થાય છે.

  • એકવાર કરો આ કામ

    રિસર્સમાં જણાવ્યાનુસાર ઝાડ અને છોડવાઓ માત્ર વાતાવરણને સાફ રાખવા માટે જ નહિ પરંતુ બાળકોના શિક્ષણ સ્તરને પણ ઉત્તમ બનાવવા માટે કામ આવે છે. આથી ઉત્તમ રીત એ જ છે કે આપણી આસપાસ હરિયાળીભર્યું વાતાવરણ રહે. જો એવું શક્ય ન હોય તો દિવસમાં ઓછામાં ઓછું એકવાર બાળકોને હરિયાળીથી છલોછલ વિસ્તારમાં ફરવા માટે લઈ જવા જોઈએ.

  • વધુ ઈમેજ જુઓડાઉનલોડ
  • આ રીતે થયું રિસર્ચ

    રિસર્ચર્સે ઈંગ્લેન્ડમાં 11 વર્ષના આશરે ચાર હજાર જેટલા બાળકોની યાદશક્તિના સ્તરની જાણકારી મેળવી હતી. જેમાં એ વાત સામે આવી હતી કે હરિયાળી અને બાળકોની સ્મૃતિ વચ્ચે ગાઢ સંબંધ છે. જે બાળકોના ઘરની આસપાસ ઝાડ અને હરિયાળી હતી તેમની યાદશક્તિ અન્ય બાળકોની સરખામણીમાં વધારે હતી.