વાયગ્રાના એક ફાયદા સામે નુકસાનનું લિસ્ટ લાંબું

Edited byTejas Jinger | I am Gujarat 20 Jan 2020, 10:44 pm
  • વાયગ્રાના ફાયદા અને નુકસાન

    વાયગ્રાનું સેવન સામાન્ય રીતે પુરુષ સેક્સ પાવર વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે અથવા તો લાંબા સમય સુધી સેક્સ એક્ટને કન્ટિન્યુ રાખવા માટે પણ વાયગ્રાનો ઉપયોગ કરાતો હોય છે. સંશોધનોમાં સામે આવ્યું છે કે વાયગ્રાથી ફાયદા થાય છે પણ નુકસાનની સામે તેનું પ્રમાણ ઘણું ઓછું છે.

  • માથાનો દુખાવો

    વાયગ્રાના સેવનના નુકસાનની વાત કરીએ તો ઘણાં સંશોધનમાં એ વાત સામે આવી છે કે, વાયગ્રાના સેવનથી માથું દુખાવાની ફરિયાદ રહે છે.

  • લિવરને નુકસાન

    વાયગ્રાના સેવનથી લિવર પર ખરાબ અસર પડે છે. જો કોઈ નિયમિત રીતે વાયગ્રા લેતું હોય તો તેનું લિવર નબળું પડી જવાની શક્યતાઓ છે. આવામાં વ્યક્તિને ભોજન પચવામાં અને સોજા ચઢવાની સમસ્યા થાય છે.

  • હાર્ટ અટેક

    ડૉક્ટરોનું માનવું છે કે વાયગ્રાનું સેવન કરનારાઓની ઉંમર સામાન્ય રીતે ઓછી હોય છે. તેના સેવનથી ધીરે-ધીરે હ્રદય સાથે જોડાયેલી સમસ્યા ઉભી થાય છે. જેને વ્યક્તિ સમય રહેતા ઓળખી પણ નથી શકતી, અને સ્થિતિ વધારે ખરાબ થઈ જાય પછી તેનો ખ્યાલ આવે છે. વાયગ્રા ખાનારા લોકોને હાર્ટ અટેક પણ આવે છે.

  • વધુ ઈમેજ જુઓડાઉનલોડ
  • આંખો નબળી પડવી

    વાયગ્રાના સેવનથી આંખો નબળી પડી જાય છે. સામાન્ય રીતે વાયગ્રાનો વધુ ઉપયોગ કરનારાઓની આંખો નબળી પડી જાય છે.

  • ચામડીની ચમક ઘટવી

    વાયગ્રાના સેવનથી ચામડીની ચમક પણ ઓછી થઈ જાય છે. લાંબા સમય સુધી તેના સેવનથી કરચલીઓ પડવા લાગે છે. તેથી એ સ્પષ્ટ થાય છે કે વાયગ્રાનું વધુ પડતું સેવન નુકસાન કારક છે.

  • એલર્જી થવાની શક્યતાઓ

    વાયગ્રાથી એલર્જી પણ થઈ શકે છે. તેનાથી ચહેરા, હોઠ, જીભ અને ગળામાં સોજા આવી જાય છે. આ સિવાય વ્યક્તિને સેક્સ દરમિયન શરીરમાં પણ પીડાનો અનુભવ થાય છે.

  • કાન પર ખરાબ અસર

    વાયગ્રાના સેવનથી ખરાબ અસર પડે છે જેમાં વ્યક્તિની સાંભળવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. વાયગ્રાનનું સેવન કરતી વ્યક્તિને એવો ભાસ થયા કરે છે કે તેના કાન પાસે સતત કોઈ અવાજ થતો રહે છે, અથવા અચાનક જ સાંભળવાની ક્ષમતામાં ઘટાડો થઈ જાય છે.

  • યાદશક્તિમાં વધારો થવો

    નુકસાનના લાંબા લિસ્ટ સામે ફાયદો બહુ ઓછો છે. વાયગ્રાના ફાયદાની વાત કરીએ તો ઘણાં સંશોધનોમાં સામે આવ્યું છે કે, તેનું સેવન કરવાથી યાદ શક્તિમાં વધારો થાય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ દાવો ડિમેશિયના પ્રારંભિક સ્તરને રોકવા માટે સફળ સાબિત થાય છે. લંડનની સેંટ જોર્જ યુનિવર્સિટીના સંશોધકોને પોતાના એક સંશોધનમાં આ નિષ્કર્ષ મળ્યું હતું કે વાયગ્રાના સેવનથી મગજના રોગોના નિદાનમાં મદદ મળે છે.