ઓડકારથી છુટકારો મેળવવા માટેના ઘરેલું નુસખા

Edited byTejas Jinger | I am Gujarat 27 May 2020, 2:02 am
  • ઓડકારની સમસ્યા છે?

    ઓડકાર આવવા સ્વાભાવિક છે, જેમાં પેટના માધ્યમથી વધારાનો ગેસ શરીરની બહાર નીકળી જાય છે, પણ જો તમને વારંવાર ઓડકાર આવતા હોય તો, સ્થિતિ અસહજ બની જતી હોય છે. વધારે ઓડકાર આવવાના બે મુખ્ય કારણો છે. પહેલી વખત જમતી વખતે અથવા તો પાણી પીતી વધતે જરુરિયાત કરતા વધુ હવા શરીરની અંદર જવાથી, બીજું ખાવાનું સારી રીતે પચતું નથી. આમ કેટલીકવાર એટલા બધા ઓડકાર આવવા લાગે છે કે શરમમાં મૂકાવું પડે છે.

  • પુદીનો

    પુદીનો એન્ટી સ્પેજ્મેડિક હોય છે, જે તમારા પાચન તંત્રને રિલેક્સ કરે છે, જેનાથી પેટમાં ગેસ બનવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે. સાથે જ પુદીનાથી જમવાનું સારી રીતે પચી જાય છે.

  • આ રીતે કરો ઉપયોગ

    એક ટીસ્પૂન પુદીનાના સુકા પાનને એક ગરમ પાણીમાં નાખીને 10 મિનિટ પછી ગાળીને તેને પીઓ, દિવસમાં બેથી ત્રણ વખત આમ કરવાથી રાહત મળશે.

  • દહી

    દહી એક પ્રોબાયોટિક ફૂડ છે, જે પેટમાં પ્રાકૃતિક રીતે રહેલા બેક્ટેરિયાને બેલેન્સ કરે છે, બેક્ટેરિયાનું બેલેન્સ ન રહેવાથી પેટમાં ગેસ ઉત્પન્ન થાય છે અને ઓડકાર આવવાના શરુ થઈ જાય છે. પ્રોબાયોટિક ફૂડથી પાચન સંબંધિત જૂદી-જૂદી સમસ્યાઓ યોગ્ય બની જાય છે. પછી તે કબ્જ હોય કે ડાયરિયા. પેટ ફુલવાની સમસ્યા હોય તેમાં પણ દહીં રાહત અપાવે છે.

  • વધુ ઈમેજ જુઓડાઉનલોડ
  • આ રીતે કરો ઉપયોગ

    તમારી રોજની ખાવા-પીવાની વસ્તુઓ દહીંને એડ કરો. આ સિવાય છાસ, ખાટા અથાણા કે પ્રોબાયોટિક સેપ્લિમેન્ટ્સને ખાવા પિવામાં જોડી શકો છો.

  • ઈલાયચી

    ઈલાયચી ટી પીવાથી પેટનો ગેસ ઓછો થાય છે અને ઓડકારથી છુટકારો મળે છે. આ સિવાય પેટમાં પીડા થતી હોય તો પણ તેનાથી ફાયદો થાય છે.

  • આ રીતે કરો ઉપયોગ

    પેટના ગેસ અને ઓડકારથી રાહત મેળવવા માટે દિવસમાં બેથી 3 વખત ઈલાયચીના થોડા દાણાં ચાવો.

  • વરિયાળી

    વરિયાળી પણ પેટના ગેસમાં ઘટાડો કરે છે, તે પાચન તંત્રને રાહત આપવાની સાથે-સાથે પેટ ફૂલવાનું પણ અટકાવે છે. ખરાબ પાચનક્રિયા અને ગળામાં બળતરા જેવી સમસ્યાઓમાં પણ તે ફાયદારુપ બને છે.

  • આ રીતે કરો ઉપયોગ

    જમ્યા પછી અડધી ચમચી શેકેલી વરિયાળી ખાવાનું રાખો.