વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો? અપનાવો આદુની પેસ્ટનો આ ઉપાય

I am Gujarat 28 Jan 2020, 8:26 am
  • ખરી રહ્યા છે વાળ?

    આદુ ભોજનને સ્વાદિષ્ટ બનાવવાની સાથે સાથે તમારા વાળ માટે પણ બહુ ફાયદાકારક છે. આદુમાં એન્ટી ઈન્ફ્લેમેટરી, એન્ટી સેપ્ટિક, એન્ટી ફંગલ અને એન્ટી બાયોટિક ગુણ છે, જે તમારા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ થાય છે. જો તમે પણ ખરતા વાળની સમસ્યાથી પરેશાન હોવ તો આદુ તમારી સમસ્યાનું સમાધાન કરી શકે છે.

  • અપનાવો આ ઉપાય

    જો તમારા વાળ પાતળા હોય અને તેજીથી ખરી રહ્યા છે તો તમે આદુના રસનો પ્રયોગ કરીને આ સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો. આદુના રસને માથા પર લગાવવાથી વાળ તેજીથી ઉગે છે તથા વાળમાં પણ ચમક આવે છે અને પાતળાવાળ થોડા જ દિવસોમાં ઘટાદાર થઈ જાય છે. તો આવો જાણીએ આદુના પ્રયોગથી ટકલાપણું કેવી રીતે અટકાવી શકાય.

  • આદુ અને ઓલિવ ઓઈલ

    જો તમારા વાળ સંપૂર્ણપણે ખરી ગયા હોય તો 1 ચમચી તાજા આદુની પેસ્ટ લો અને તેમાં 1 ચમચી ઓલિવ ઓઈલ કે પછી નારિયેળનું તેલ ભેળવો. બાદમાં આ પેસ્ટને તમારા માથા પર લગાવો અને ધીરે-ધીરે આંગળીઓથી મસાજ કરો. હવે આ તેલને ઓછામાં ઓછી 30 મિનિટ સુધી વાળમાં લગાવીને છોડી દો. બાદમાં શેમ્પુથી વાળ ધોઈ લો.

  • કેટલી વખત કરવો આ પ્રયોગ

    શ્રેષ્ઠ રિઝલ્ટ મેળવવા માટે તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછો 2 વખત આ ઉપચાર કરવો જોઈએ. આ ઉપચારથી મહિનામાં તમારા વાળ ફરી ઉગવા લાગશે.

  • વધુ ઈમેજ જુઓડાઉનલોડ
  • આદુ, લીંબુ અને તલનું તેલ

    બીજા ઉપાય માટે તમે 2 ચમસી આદુની પેસ્ટમાં 3 ચમચી તલનું તેલ અને અડધી ચમચી લીંબુનો રસ ભેળવો. આ પેસ્ટને માથા પર લગાવીને 30 મિનિટ સુધી રહેવા દો. બાદમાં માથું શેમ્પુથી ધોઈ લો. તમે અઠવાડિયામાં બે વખત આ ઉપાય કરી શકો છો.