વરસાદી મોસમમાં આ રંગના કપડા પહેરો, મૂડ સારો રહેશે

Edited byTejas Jinger | I am Gujarat 20 Jan 2020, 6:30 pm
  • ચોમાસામાં હતાશા અનુભવી રહ્યા છો?

    ચોમાસુ એ ઇન્ડિયામાં સૌથી વધુ લોકપ્રિય અને સૌથી ઓછી લોકપ્રિય મોસમ છે. છેલ્લા કેટલાંક અઠવાડિયાથી એટલો બધો વરસાદ પડી રહ્યો છે કે હવે લોકો કંટાળી ગયા છે. કેટલાંક લોકો તો મૂડ સ્વિંગ્સ અને ડિપ્રેશનનો પણ ભોગ બની ગયા છે અને હતાશાનો અનુભવ કરી રહ્યા છે.

  • રંગની જીવન પર અસરઃ

    તમે જે રંગના કપડા પહેરો છો તેની પણ તમારા જીવન પર ખૂબ જ ઊંડી અસર પડે છે. આકાશમાં દિવસોથી સૂરજ નથી દેખાયો તેવા સમયે તમે જો પીળા રંગના કપડા પહેરશો તો તમારા મૂડમાં તમને દેખીતો ફરક લાગશે.

  • કલર સાઈકોલોજી શું કહે છે?

    કલર સાઈકોલોજી મુજબ તમે જે રંગ વધારે જુઓ છો, પહેરો છો તેની તમારા મૂડ પર સીધી અસર પડે છે. પીળો રંગ બ્રાઈટ છે અને તે હૂંફ આપે છે. આવી વરસાદી મોસમમાં યલો કરતા વધુ સારો રંગ બીજો કયો હોઈ શકે?

  • ભૂખ ઊઘડશેઃ

    કલર સાઈકોલોજી મુજબ યેલો કલર જોવાથી તમારી ભૂખ ઊઘડે છે. એમ પણ ચોમાસાની મોસમમાં તમારી પાચનશક્તિ મંદ પડી જાય છે. આવા સમયે યેલો રંગની વસ્તુ સાથે રાખવાથી અથવા તો આ રંગના કપડા પહેરવાથી તમારી ભૂખ પણ ઊઘડશે.

  • વધુ ઈમેજ જુઓડાઉનલોડ
  • ઉર્જા આપે છેઃ

    પીળો રંગ એ ઉર્જા કે એનર્જીનો રંગ છે. ચોમાસાની ઋતુમાં ઠંડા અને ભેજવાળા વાતાવરણને કારણે વધારે આળસ આવે છે અને ડાઉન ફીલ થાય છે. આવા સમયે યેલો કપડા પહેરવાથી તમને એનર્જેટિક ફીલ થવા માંડશે.

  • ઉત્સાહનો રંગઃ

    યેલો રંગ એ ઉત્સાહનો રંગ છે. તમારો મૂડ ડાઉન હોય ત્યારે આ રંગ તમારામાં ઉત્સાહનો સંચાર કરી દે છે. તે આશાવાદનો રંગ છે. આથી આકાશમાં વાદળા ઘેરાયા હોય, તમને નિરાશા ઘેરી વળી હોય ત્યારે યેલો કપડા પહેરો, તમને જાતે જ તમારા મૂડમાં ફેરફાર મહેસૂસ થશે.