ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરની મુલાકાતે પહોંચ્યા હતા. મંદિરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સન્માન કરવામાં આવ્યું હતું. મંદિરમાં દર્શન કર્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મારુતિ યજ્ઞમાં પણ ભાગ લીધો હતો. મંદિરના સંતો-મહંતો પણ આ યજ્ઞમાં જોડાયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે રાજ્યના ઊર્જામંત્રી સૌરભ પટેલ પણ હાજર રહ્યા હતા. સાળંગપુર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉર્જામંત્રી સૌરભ પટેલે પ્રમુખસ્વામી મહારાજની સમાધિના દર્શન કર્યા હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે રાજ્યના ઊર્જામંત્રી સૌરભ પટેલ પણ હાજર રહ્યા હતા. સાળંગપુર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉર્જામંત્રી સૌરભ પટેલે પ્રમુખસ્વામી મહારાજની સમાધિના દર્શન કર્યા હતા.