એપશહેર

અમદાવાદઃ બાલાકોટ એર સ્ટ્રાઈક પર તૈયાર કરાયો છે ગણેશજીનો પંડાલ

Tejas Jinger | I am Gujarat 3 Sep 2019, 3:01 pm
અમદાવાદઃ દેશભરમાં ગણેશોત્સવની ઉજવણી કરાઈ રહી છે. હવે ગુજરાતમાં પણ મુંબઈની તોલે ગણેશોત્સવની ઉજવણી થવા લાગી છે. ઠેર-ઠેર વિશાળ મૂર્તિઓની સાથે અલગ-અલગ થીમ પર ગણેશજીના પંડાલ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આવો જ એક અલગ પ્રકારનો પંડાલ અમદાવાદ શહેરમાં તૈયાર કરાયો છે જે ભક્તોની સાથે બાળકોને આકર્ષિત કરી રહ્યો છે.શહેરના વેજલપુરમાં ભારતે આતંકીઓનો ખાતમો કરવા માટે બાલાકોટમાં કરેલી એર સ્ટ્રાઈકની થીમ પર પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં આ પંડાલના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: આ પંડાલમાં બાલાકોટની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે જેમાં નીચે પર્વતમાળા દેખાય છે જ્યારે ઉપર ફરતા ફાઈટર પ્લેનમાં ગણેશજીને બિરાજમાન કરવામાં આવ્યા છે. અહીં આનારા ભક્તો કહે છે કે, અત્યાર સુધીમાં તેમણે વિવિધ ગણેશ પંડાલ જોયા છે પણ આટલો અલગ પ્રકારનો પંડાલ પહેલી વખત જોયો છે.મહત્વનું છે કે, પુલવામામાં આતંકી હુમલામાં CRPFના 40 જેટલા જવાનોએ જીવ ગુમાવ્યો હતો, આ પછી ઈન્ડિયન એરફોર્સ દ્વારા આતંકીઓના ખાતમા માટે બાલાકોટમાં તેમના ઠેકાણા પણ એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો