એપશહેર

Shastra Puja : દશેરા શુભ મુહૂર્ત, આ વખતે બે દિવસ દેશરા, જાણો ક્યારે છે શસ્ત્ર પૂજા અને ખરીદીના શુભ મુહૂર્ત

આ વર્ષે ગ્રહોની સ્થિતિના આધારે બે દિવસ દશમ તિથિ છે. તેવામાં ક્યારે વિજયા દશમી ઉજવવી અને વ્રતના પારણા તેમજ ગરબો પધરાવવાના મુહૂર્ત નિચે મૂજબ છે.

I am Gujarat 5 Oct 2022, 11:37 am
હિન્દુ કેલેન્ડર પ્રમાણે આસો મહિનાની દસમી તિથિ અને વિજય મુહૂર્તના સંયોગ પર વિજયાદશમીનું પર્વ મનાવવામાં આવશે. આ સંયોગની તારીખ વિશે મતમતાંતર પ્રવર્તે છે. જ્યોતિષીઓના મત અનુસાર 25 ઑક્ટોબરના રોજ દસમી તિથિ દરમિયાન દિવસે વિજય મુહૂર્તમાં શ્રી રામ, વનસ્પતિ અને શસ્ત્ર પૂજા કરવી જોઈએ. એ પછી મૂર્તિ વિસર્જન અને સાંજે રાવણ દહનની પરંપરા છે. વિજયાદશમીને જ્યોતિષશાસ્ત્રમાં વણજોયું મુહૂર્ત ગણવામાં આવ્યું છે. યાને કે આ દિવસે પ્રોપર્ટી, વાહનો કે અન્ય કોઈપણ પ્રકારની ખરીદી કરી શકાય છે.
I am Gujarat dussehra 2020 auspicious muhurat and puja vidhi shastra puja and garaba visarjan muhurt as per kashi and ujjain jyotishacharya
Shastra Puja : દશેરા શુભ મુહૂર્ત, આ વખતે બે દિવસ દેશરા, જાણો ક્યારે છે શસ્ત્ર પૂજા અને ખરીદીના શુભ મુહૂર્ત


ક્યારે છે દશેરાના મુહૂર્ત

આ વખતે આજના દિવસે પૂજા, ખરીદી અને વિસર્જન માટે ત્રણ મુહૂર્ત છે. તેના પછીના દિવસે સૂર્યોદયના સમયે દસમી તિથિ હોવાને કારણે 26 ઑક્ટોબરના રોજ પણ મૂર્તિ વિસર્જન કરી શકાશે. આ દિવસે સવારે લગભગ 11-30 સુધી દસમી તિથિ હોવાને લીધે મૂર્તિ વિસર્જન માટે 2 મુહૂર્ત છે. આ વખતે દશેરા દેશના અમુક ભાગમાં 25મીએ તો અમુક જગ્યાઓએ 26 ઑક્ટોબરે મનાવવામાં આવી રહ્યા છે.

કાશી-ઉજ્જૈનના વિદ્વાનો શું કહે છે

જોકે વિદ્વાનો મુજબ પંચાંગ પ્રમાણે 25 ઑક્ટોબરે વિજયાદશમી મનાવવી જોઈએ. મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત અને પંજાબના પ્રમુખ પંચાંગોમાં દશેરા 25 ઑક્ટોબરે હોવાનું લખવામાં આવ્યું છે, કારણ કે આ દિવસે દસમી તિથિમાં અપરાહ્ન કાળ અને વિજય મુહૂર્તનો સંયોગ સર્જાઈ રહ્યો છે. તેના પછીના દિવસે એટલે કે 26 ઑક્ટોબરે સૂર્યોદયના સમયે દસમી તિથિ હોવાને લીધે આ દિવસે મૂર્તિ વિસર્જન કરી શકાય છે.

વિજયાદશમીનાં મુહૂર્ત

25 ઑક્ટોબર, રવિવારના દિવસ માટે નિચેના મુહૂર્ત શુભ છે.


બપોરે 1.30થી 2.50 સુધી (વિસર્જન અને ખરીદી મુહૂર્ત)

બપોરે 2.00થી 2.40 સુધી (ખરીદી, અપરાજિતા, શમી અને શસ્ત્ર પૂજા મુહૂર્ત)

બપોરે 3.45થી સાંજે 4.15 સુધી (વિસર્જન અને ખરીદી મુહૂર્ત)


ગરબા / મૂર્તિ વિસર્જનનાં મુહૂર્ત (26 ઑક્ટોબર, સોમવાર)

સવારે 6.30થી 8.35 સુધી

સવારે 10.35થી 11.30 સુધી

રાવણ પૂતળા દહનની પરંપરા

વિષ્ણુ ધર્મોત્તર પુરાણ પ્રમાણે વિજયાદશમી પર ભગવાન શ્રીરામે યુદ્ધ માટે યાત્રાની શરૂઆત કરી હતી. વિદ્વાનોના કહેવા પ્રમાણે આ દિવસે ધર્મની રક્ષા માટે શ્રીરામે શસ્ત્ર પૂજા કરી હતી. ત્યારબાદ રાવણની પ્રતિકૃતિ યાને કે પૂતળું બનાવવામાં આવ્યું હતું. પછી વિજય મુહૂર્તમાં સુવર્ણ શલાકાથી તેનું ભેદન કરવામાં આવ્યું હતું. યાને કે સોનાની લાકડીથી તે પૂતળાનો સંહાર કરીને યુદ્ધ માટે પ્રસ્થાન કર્યું હતું. વિદ્વાનોના મત અનુસાર આમ કરવાથી યુદ્ધમાં જીત પ્રાપ્ત થાય છે. અન્ય એક માન્યતા પ્રમાણે તુલસીદાસજીના સમયથી વિજયાદશમીના દિવસે રાવણ દહનની પ્રથા શરૂ થઈ.

વિજય પ્રસ્થાનનું પ્રતીક

ભગવાન શ્રીરામના સમયથી આ દિવસ વિજય પ્રસ્થાનનું પ્રતીક બની રહ્યો છે. ભગવાન શ્રીરામે રાવણ સામે યુદ્ધ લડવા માટે આ દિવસે જ પ્રસ્થાન કર્યું હતું, અને કેટલાય દિવસો પછી રાવણ સામે યુદ્ધ લડવા માટે આ જ દિવસની પસંદગી કરી. એ પછી દ્વાપર યુગમાં અર્જુને ધૃષ્ટદ્યુમ્ન સાથે ગોરક્ષા માટે આજના જ દિવસે પ્રસ્થાન કર્યું હતું.

શિવાજી મહારાજના જીવનની મોટી ઘટના

દેશના રત્ન શિવાજી મહારાજે પણ ઔરંગઝેબ સામે આ જ દિવસે પ્રસ્થાન કરીને હિન્દુ ધર્મની રક્ષા કરી હતી. ભારતીય ઇતિહાસમાં આવાં અનેક ઉદાહરણ છે, જ્યારે હિન્દુ રાજાઓ આજના દિવસે વિજય પ્રસ્થાન કરતા હતા. દશેરાનો ઉત્સવ ભક્તિ અને શક્તિના સમયનું પ્રતીક છે.

​દશેરાનું વ્યાવહારિક મહત્ત્વ

આસો મહિનાના શુક્લપક્ષના શરૂઆતના 9 દિવસ સુધી શક્તિની પૂજા કરવામાં આવે છે. યાને કે પોતાની અંદરની હકારાત્મક ઊર્જાને ઓળખીને દેવી રૂપે તેનું પૂજન કરવામાં આવે છે. યાને કે સારાં કામ કરવાનો સંકલ્પ લેવામાં આવે છે. આ દિવસે પોતાની હકારાત્મક શક્તિઓની મદદથી નકારાત્મક શક્તિઓ પર વિજય પ્રાપ્ત કરવાને જ વિજય પર્વ ગણવામાં આવ્યું છે

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો