એપશહેર

અહીં રાવણને માનવામાં આવે છે જમાઈ, સંતાન પ્રાપ્તિ માટે કરવામાં આવે છે પૂજા

મંદસૌરમાં રાવણની એક વિશાળ પ્રતિમા પણ છે જ્યાં લોકો દરરોજ તેમની પૂજા કરવા આવે છે

I am Gujarat 22 Oct 2020, 6:56 pm
25 ઓક્ટોબર રવિવારે દશેરાની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે જુદા જુદા સ્થળોએ રાવણ દહન કરવામાં આવે છે. રાવણના દહન સાથે નવરાત્રી પણ સમાપ્ત થશે. દુષ્ટ પર સારાની જીતના પ્રતીક તરીકે દશેરાની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ કેટલાક સ્થળો એવા છે જ્યાં રાવણની પૂજા કરવામાં આવે છે. આમાં સૌથી વિશેષ છે મધ્યપ્રદેશનું મંદસૌર શહેર. રાવણને મંદસૌર સાથે વિશેષ સંબંધ હોવાનું કહેવાય છે.
I am Gujarat ravana sasural in madhya pradesh mandsaur
અહીં રાવણને માનવામાં આવે છે જમાઈ, સંતાન પ્રાપ્તિ માટે કરવામાં આવે છે પૂજા


મંદસૌર રાવણની પત્ની મંદોદરીનું પિયર

પ્રાચીન સમયમાં મંદસૌરને દશપુર કહેવામાં આવતું હતું. પૌરાણિક માન્યતાઓ અનુસાર મંદસૌર રાવણની પત્ની મંદોદરીનું પિયર હતું અને આ કારણોસર અહીંના લોકો રાવણને તેમના જમાઈ માને છે. દશેરાના દિવસે રાવણના પુતળા દરેક જગ્યાએ સળગાવવામાં આવે છે પરંતુ મંદસૌરમાં વર્ષ દરમિયાન રાવણની પૂજા કરવામાં આવે છે.

400 વર્ષ જૂની મૂર્તિ

મંદસૌરમાં નામદેવ સમાજના લોકો મંદોદરીને તેમના કુળની પુત્રી કહે છે અને આ કારણોસર રાવણને હજી ત્યાં જમાઈ જેવું સન્માન આપવામાં આવે છે. મંદસૌરમાં રાવણની એક વિશાળ પ્રતિમા પણ છે જ્યાં લોકો દરરોજ તેમની પૂજા કરવા આવે છે. આ રાવણની 41 ફૂટ ઊંચી અને વિશાળ મૂર્તિ લગભગ ચારસો વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે.

રાવણને આ ગામના જમાઈ માનવામાં આવે છે

અહીં મહિલાઓ રાવણને જમાઈ માને છે, તેથી તેમની પૂજા કરતી વખતે તેઓ ઘૂંઘટ કાઢે છે. ખાસ કરીને સંતાન પ્રાપ્તિ માટે રાવણની પૂજા કરવામાં આવે છે. અહીં લોકો દશેરાની સવારે દુર્ગાની પૂજા કરે છે અને રાવણની પ્રતિમાની પૂજા કરે છે. એ પછી, રામ અને રાવણની સેના નીકળે છે અને સાંજે રાવણ દહન કરવામાં આવે છે. રાવણને સળગાવતા પહેલા લોકો રાવણ પાસે માફી માંગે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો