એપશહેર

કોરોના વચ્ચે સેનેટાઈઝર લગાવીને ફટાકડા ફોડતા રહેજો સાવધાન

હાથમાં લગાવવામાં આવતું સેનેટાઈઝર મિનિટો સુધી હાથ પર રહે છે. આલ્કોહોલ એવું દાહક છે કે અગ્નિના થોડા જ સંસર્ગથી સળગી ઉઠે છે.

I am Gujarat 14 Nov 2020, 2:16 pm
અમદાવાદઃ કોરોના મહામારી વચ્ચે દિવાળીનો પર્વ આવ્યો છે. આ સ્થિતિમાં કોરોનાથી બચવા માટે લોકો સેનેટાઈઝરનો ઉપયોગ કરતા થયા છે. સનેટાઈઝરમાં આલ્કોહોલનું પ્રમાણ હોવાથી આગ લાગવાની શક્યતા વધી જાય છે. સેનિટાઇઝર તમે કોરોનાથી બચાવશે, પણ ફટાકડાથી નહીં. જેથી એ લગાવીને હાથમાં ફોડી શકાય તેવા ફટાકતા ફોડતા નહીં.
I am Gujarat sanitizer does use while firecrackers blow
કોરોના વચ્ચે સેનેટાઈઝર લગાવીને ફટાકડા ફોડતા રહેજો સાવધાન


કોરોના સામે તકેદારી માટે ઉપયોગમાં લેવાતા સેનેટાઈઝરમાં 70થી 90 ટકા આલ્કોહોલ હોય છે. હાથમાં લગાવવામાં આવતું સેનેટાઈઝર મિનિટો સુધી હાથ પર રહે છે. આલ્કોહોલ એવું દાહક છે કે અગ્નિના થોડા જ સંસર્ગથી સળગી ઉઠે છે.નિષ્ણાતોનું ચેતવણી આપતાં કહે છે કે, સેનેટાઈઝર કોરોનાથી બચાવે પણ દિવા કે ફટાકડાથી દઝાડે નહીં તે ધ્યાન રાખજો. ખાસ કરીને બાળકોની વિશેષ સંભાળ જરૂરી છે.

સામાન્ય રીતે દિવાળીના તહેવાર દરમિયાન દાઝવાના કિસ્સામો સામે આવતા હોય છે. જેમાં સૌથી વધારે કેસ બાળકોના હોય છે. આ સ્થિતિમાં ફટાકડા ફોડતી વખતે ખાસ સાવધાની રાખવી જરૂરી છે. સેનેટાઈઝર નેટાઈઝર લગાવીને તરત જ તારામંડળ, બપોરિયાં જેવા હાથમાં ફોડી શકાય તેવા ફટાકડા ફોડવાનું જોખમ કોઈ સંજોગોમાં લેવું હિતાવહ નથી. એ જ રીતે વધુ સેનેટાઈઝર લગાવ્યું હોય ને તરત જ દિવો પ્રગટાવવા દિવાસળી ચાંપવામાં આવે ને થોડી તકેદારી ન રખાય તો દાઝી જવાનો ભય રહે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો