એપશહેર

Sharad Purnima 2022: શરદ પૂનમે સૂર્ય અને ચંદ્રનો અનોખો સંયોગ, આખું વર્ષ નિરોગી રહેવા કરો આ વિશેષ પ્રયોગ!

Sharad Purnima 2022: શરદ પૂનમની રાત્રે ચંદ્ર દેવ સામે દીવો, અગરબત્તી, ખડીસાકર અને દૂધપૌંઆનો પ્રસાદ ધરાવો. ચંદ્ર દેવનું પૂજન કરતી વખતે 'ઓમ્ શ્રાઁ શ્રાઁ શ્રાઁ સઃ ઓમ્ ચન્દ્રમસે નમઃ' મંત્ર બોલવો. આ ચંદ્ર દેવનો બીજ મંત્ર છે. ચંદ્ર ભગવાન સામે આ મંત્રની માળા એક ચિત્તે જપવાથી માનસિક શાંતિ મળે છે, આરોગ્ય સારું થાય છે.

Edited byશિવાની જોષી | I am Gujarat 9 Oct 2022, 8:48 am
આજે આસો વદ પૂર્ણિમા એટલે કે શરદ પૂનમ છે. આ વર્ષે 9 ઓક્ટોબરને રવિવારે શરદ પૂર્ણિમા હોવાથી અનોખો સંયોગ રચાયો છે. રવિ એટલે સૂર્ય અને રવિવારે શરદ પૂનમ હોવાથી સૂર્ય-ચંદ્રનો અનોખો સંયોગ બન્યો છે. જે ફાયદાકારક છે તેમ જ્યોતિષીઓ માને છે. શરદ પૂનમની રાત્રે ચંદ્ર દેવ સામે દીવો, અગરબત્તી, ખડીસાકર અને દૂધપૌંઆનો પ્રસાદ ધરાવો. ચંદ્ર દેવનું પૂજન કરતી વખતે 'ઓમ્ શ્રાઁ શ્રાઁ શ્રાઁ સઃ ઓમ્ ચન્દ્રમસે નમઃ' મંત્ર બોલવો. આ ચંદ્ર દેવનો બીજ મંત્ર છે. ચંદ્ર ભગવાન સામે આ મંત્રની માળા એક ચિત્તે જપવાથી માનસિક શાંતિ મળે છે, આરોગ્ય સારું થાય છે. શરદ પૂર્ણિમાએ ચંદ્રમાંથી ખાસ કિરણો નીકળે છે જે આપણે સ્વાસ્થ્યને તંદુરસ્તી અને મનને શાંતિ પ્રદાન કરે છે. ચોમાસુ પૂરું થાય અને શિયાળો શરૂ થયા તે ઋતુને શરદ ઋતુ કહેવાય છે.
I am Gujarat sharad purnima


શરદ પૂર્ણિમાએ ખડી સાકરને ચંદ્રની ચાંદનીમાં મૂકો

શરદ પૂર્ણિમાની રાત્રે ખડીસાકર એટલે કે આખી સાકરને અગાસીમાં એક મલમલ જેવા આછા સફેદ કપડામાં મૂકી દેવાની. ઉપર જાળી અથવા ચારણી ઢાંકી શકાય. સવાર સુધી આ ખડીસાકર પર ચંદ્રના શીતળ કિરણો પડે છે અને તેમાં પ્રવેશ કરે છે. તેમાં પિત્તનો નાશ કરવાની શક્તિ આવે છે. જો તમે વર્ષ દરમિયાન આ સાકરનો ઉપયોગ કરવા માગતા હોય તો જરૂરિયાત પ્રમાણે મોટા જથ્થામાં લાવવી અને શરદ પૂનમે અગાસીમાં મૂકી દેવી. શરદ પૂર્ણિમાના બીજા દિવસે આ સાકરના નાના ટુકડા કરીને કાચની બરણીમાં ભરીને મૂકી દેવાની.

શું ફાયદો થાય?

એસિડિટી થાય, પેટમાં દુઃખે, માથું દુઃખે ત્યારે આ ખડીસાકરનો એક નાનો ટુકડો ચૂસવાથી ખૂબ ઝડપથી એસિડ શાંત થશે. પિત્ત થયું હોય અને તેના લીધે માથામાં દુઃખાવો થતો હોય તો તે પણ શાંત કરશે. વર્ષ દરમિયાન આયુર્વેદની દવા લેતી વખતે તેની સાથે આમાંથી જરાક ખડીસાકર લેવાથી ફાયદો થઈ શકે છે. શરદ પૂર્ણિમાએ ચંદ્રની શીતળતામાં બેસવાથી તન-મન ઉપર તેની અદ્ભૂત અસર થાય છે. શરદ પૂનમના તહેવારનું ધાર્મિક અને સાથે જ વૈજ્ઞાનિક મહત્વ પણ છે.

શરદ પૂનમે શું કરવું અને શું ના કરવું?

- દશેરાથી લઈને શરદ પૂનમ સુધી ચંદ્રમાની ચાંદની સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અત્યંત લાભકારી માનવામાં આવે છે. આ દરમિયાન ચંદ્રમાની ચાંદનીનો લાભ લેવો જોઈએ કારણકે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ લાભદાયી છે.

- આંખોનું તેજ વધારવા માટે દશેરાથી શરદ પૂર્ણિમા સુધી રોજ રાત્રે 15-20 મિનિટ ચંદ્રમાને નિહાળવા.

-શરદ પૂર્ણિમાની રાત્રિએ સોયમાં દોરો પરોવવાથી આંખોનું તેજ સારું થાય છે.

-શરદ પૂર્ણિમાએ ચંદ્રમાની ચાંદની ગર્ભવતી મહિલાની નાભિ પર પડે તો ગર્ભ તંદુરસ્ત થાય છે.

-આ સમયગાળામાં યૌન સંબંધોથી દૂર રહેવું. માનવામાં આવે છે કે આ દિવસોમાં બાંધેલા સંબંધથી જન્મેલું સંતાન વિકલાંગ હોઈ શકે છે.

શરદ પૂનમે દૂધપૌંઆ કેમ ખાવા જોઈએ?

માનવામાં આવે છે કે શરદ પૂનમની રાત્રે ચંદ્રમાની ચાંદનીમાં રાખવામાં આવેલા દૂધપૌંઆ ખાવાથી ઘણાં રોગોમાંથી મુક્તિ મળે છે. ચામડીના રોગોથી પરેશાન લોકો માટે આ દૂધપૌંઆ અમૃત સમાન છે. સાથે જ આંખોનું તેજ વધારે છે. દૂધપૌંઆ ખાવાથી વાણી દોષ દૂર થાય છે અને મા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો