એપશહેર

21 ચોથનું ફળ આપતી અંગારકી સંકષ્ટ ચતુર્થી આજે, વ્રત આપે છે આર્થિક તંગીથી છૂટકારો

હિંદુ પંચાંગ પ્રમાણે, દર મહિનાના વદ અને સુદ પક્ષની તિથિએ ભગવાન ગણેશની પૂજા અને વ્રત કરવામાં આવે છે. સમૃદ્ધિ અને સૌભાગ્યની કામનાથી આ વ્રત રાખવામાં આવે છે. આ વ્રતમાં ભગવાન ગણેશ અને ચંદ્રની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. તેવામાં જ્યારે વદ ચોથની તિથિ મંગળવારે આવે તો તેને સંકષ્ટ ચતુર્થી કહેવાય છે.

Authored byMitesh Purohit | I am Gujarat 19 Apr 2022, 11:09 am
આજે એટલે કે 19 એપ્રિલ અને મંગળવારે અંગારકી સંકષ્ટી ચતુર્થી છે. ભગવાન ગણેશની સાધના-આરાધના અને પ્રાર્થનાનો અનેરો અવસર છે. વિઘ્નહર્તાના લાખો ભાવિકો અંગારકી ચોથના દિવસે ઉપવાસ કરી પ્રાર્થના અને આરાધના શ્રદ્ધાના સથવારે કરી બાપાના આર્શીવાદ લેવાનો પ્રયત્‍ન કરે છે. મંગળવારે પડતી ચતુર્થીને અંગારકી ચતુર્થી કહેવામાં આવે છે. સંકષ્ટી ચતુર્થી એટલે ચતુર્થી જે સંકટને હરાવે છે. આ દિવસે ભક્તો વિધિ મુજબ ભગવાન ગણેશની પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી ભક્તોના બધા દુ:ખ દૂર થાય છે. દર મહિને પૂર્ણ ચંદ્ર પછી આવતી ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવામાં આવે છે. જ્યારે અમાવાસ્યા પછીની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે. આમ મહિનામાં બે વાર ચતુર્થી વ્રત રાખવામાં આવે છે.
I am Gujarat ganesh
આજે અંગારકી ગણેશ ચતુર્થી, ગણેશજીની કૃપા મેળવવાનો સૌથી ઉત્તમ દિવસ.

Solar Eclipse 2022: આ મહિને લાગી રહ્યું છે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ, જાણો સૂતક કાળ અને જરુરી બાબતો
આ રીતે અંગારકી ચતુર્થી નામ પડ્યું
અંગારકી ચતુર્થી પર ભગવાન ગણેશની વિધિવત પૂજા કરવામાં આવે છે અને ઉપવાસ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અંગારકી ચતુર્થીના રોજ ઉપવાસ કરવાથી આખા વર્ષ સુધી ચતુર્થી તિથિનું ફળ મળે છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. એવું માનવામાં આવે છે કે અંગારકી ચતુર્થીના દિવસે ગણેશનું સ્વરૂપ ચાર માથાવાળા અને ચાર હાથવાળા હોય છે. ગણેશના આ સ્વરૂપને સંકટમોચન ગણેશ કહેવાય છે. એવું માનવામાં આવે છે કે અંગારક એટલે કે મંગલદેવે ગણેશની તપસ્યા કરી હતી, જેનાથી પ્રસન્ન થઈને ગણપતિએ વરદાન આપ્યું હતું કે જે દિવસે ચતુર્થી તિથિ મંગળવારે આવશે તે દિવસે અંગારકી ગણેશ ચતુર્થી તરીકે ઓળખાશે.
સાપ્તાહિક રાશિફળ 18થી 24 એપ્રિલઃ સૂર્ય, ગુર, શુક્ર અને રાહુ-કેતુની સ્થિતિ 7 રાશિ માટે લકી બનશે
અંગારકી ચતુર્થીનું મહત્વ
અંગારકી ચતુર્થી પર ગણેશ પૂજા સાથે હનુમાનજીની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે. તેમજ આ દિવસે સિંદૂરનું તિલક લગાવવાથી મંગલ દોષ દૂર થાય છે અને કુંડળીમાં મંગળની સ્થિતિ શુભ રહે છે. એવું માનવામાં આવે છે કે અંગારકી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશ દેશવાસીઓની તમામ મુશ્કેલીઓ અને અવરોધોને દૂર કરે છે અને તેમને સુખ, શાંતિ અને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે. ભગવાન ગણેશને તમામ દેવી-દેવતાઓમાં સર્વોચ્ચ માનવામાં આવે છે એટલું જ નહીં તેઓ બુદ્ધિ, વિવેક અને શક્તિના પણ સ્વામી છે. વિઘ્નહર્તા ગણેશનું અંગારકી ચતુર્થી વ્રત તમામ પરેશાનીઓ અને દુઃખોને દૂર કરવા માટે ખૂબ જ લોકપ્રિય છે.
Budh Transit April 2022: બુધનું વૃષભ રાશિમાં ગોચર, કઈ કઈ રાશિ માટે રહેશે લાભકારી
તિથિ અને શુભ મુહૂર્ત
જ્યોતિષો અનુસાર, ચતુર્થી તિથિ 19 એપ્રિલ, મંગળવારની સાંજે લગભગ 4:38 પર શરુ થશે, જેનું સમાપન 20 એપ્રિલ બપોરે 1:52 મિનિટ પર થશે. પૂજા માટે જુદા જુદા શુભ મુહૂર્ત કહેવામાં આવ્યા છે. જે મુજબ સવારે 11:55 થી 12:46 સુધી અભિજિત મુહૂર્ત રહેશે. ત્યારબાદ બપોરે 2:06 થી 2:57 સુધી વિજય મુહૂર્ત, સાંજે 4:07 થી 5:35 સુધી અમૃત કાળ મુહૂર્ત રહેશે. તેમજ આજે સાંજે ચંદ્રોદયનો સમય રાત્રે 9:50 વાગ્યે રહેશે.

ભગવાન ગણેશનો મંત્ર
ગજાનનમ્ ભૂત ગણાદિ સેવિતમ, કપિતં જમ્બુ ફલ ચારુ ભક્ષણમ્ |
ઉમાસુતમ્ શોક વિનાશકારકમ, નમામી વિઘ્નેશ્વર પદ પંકજમ્ ||
હવે ગણતરીના દિવસોમાં જ ત્રણ રાશિના તમામ કષ્ટ દૂર કરશે શનિદેવ
ગણેશજીને પ્રસન્ન કરવા માટેના ઉપાય
- ઘણી વખત વ્યક્તિને સખત મહેનત કરવા છતાં સફળતા મળતી નથી. તો આવી સ્થિતિમાં તમે ગણેશજીની પૂજા કરીને લાભ મેળવી શકો છો. સફળતા માટે આ દિવસે ભગવાન ગણેશનું ધ્યાન કરતી વખતે ઓછામાં ઓછા 11 કે 21 વખત 'શ્રી ગણેશાય નમઃ' મંત્રનો જાપ કરો.

- વેપારમાં સફળતા મેળવવા માટે આ દિવસે ભગવાન ગણેશને 11 ગાંઠ દુર્વા અર્પણ કરો. આ ઉપાય કરવાથી તમને ધંધામાં સફળતા તો મળશે જ સાથે કરજમાંથી પણ મુક્તિ મળશે.

-આ દિવસે જો તમે ભગવાન ગણેશને મોદક અથવા બૂંદીના લાડુ ચઢાવો છો તો ધન અને ધાન્યમાં વૃદ્ધિ થશે. સંકષ્ટી ચતુર્થી સિવાય તમે દર બુધવારે પણ આ ઉપાય કરી શકો છો. આવું કરવાથી તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે.

-જો કોઈ વ્યક્તિ દેવાથી મુક્તિ મેળવવા ઈચ્છે છે તો આ દિવસે ભગવાન ગણેશના મંદિરમાં જઈને ત્યાં તેમની સંપૂર્ણ વિધિ-વિધાનથી પૂજા કરવાથી અને ઓમ ગણપતયે નમઃ મંત્રનો જાપ કરવાથી જલ્દી ફાયદો થશે.

- ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે આ દિવસે ભગવાન ગણેશને જળથી અભિષેક કરો અને પછી તે પાણીને આખા ઘરમાં છાંટો. આમ કરવાથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

Read Next Story