એપશહેર

seeing moon on ganesh chaturthi : જાણો ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રના દર્શનને કેમ અશુભ માનવામાં આવે છે?

ganesh chaturthi moon story : ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રના દર્શનને કેમ અશુભ માનવામાં આવે છે? તેની પાછળની પૌરાણિક કથાનું ગુજરાત સાથે રહેલું છે આ ખાસ કનેક્શન.

I am Gujarat 30 Aug 2022, 12:49 pm
આ વર્ષે તારીખ 22 ઓગસ્ટ, શનિવારના દિવસે ગણેશ ચતુર્થીનો તહેવાર છે. એવું કહેવાય છે કે ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રના દર્શન કરવા જોઈએ નહી. ગણેશ ચતુર્થીને કલંક ચતુર્થીના નામથી પણ ઓળખવામાં આવે છે. તો ચાલો જાણીએ, ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રના દર્શનને કેમ અશુભ માનવામાં આવે છે.
I am Gujarat why is it inauspicious to see the moon on ganesh chaturthi festival in gujarati
seeing moon on ganesh chaturthi : જાણો ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રના દર્શનને કેમ અશુભ માનવામાં આવે છે?



જાણો આ પાછળની પૌરાણિક કથા

એવું કહેવાય છે કે ગણેશજીએ ચંદ્રને શ્રાપ આપ્યો હતો. આ પાછળની કથા અનુસાર એકવખત ગણેશજી ક્યાંકથી ભોજન કરીને આવી રહ્યા હતા. ત્યારે ગણેશજીને રસ્તામાં ચંદ્રદેવ મળી ગયા. ગણેશજીના મોટા ઉદર (પેટ)ને જોઈને ચંદ્રદેવ હસવા લાગ્યા. આ જોઈને ગણેશજીને ગુસ્સો આવ્યો અને તેમણે ચંદ્રદેવને શ્રાપ આપ્યો.

ગણેશજીએ આપ્યો હતો શ્રાપ

આ જોઈને ગણેશજીને ગુસ્સો આવ્યો અને તેમણે ચંદ્રદેવને શ્રાપ આપ્યો કે તમને તમારા રૂપનો આટલો અહંકાર છે તો હું તમને ક્ષય (ઘસારો) થવાનો શ્રાપ આપુ છું. ગણેશજીના શ્રાપથી ચંદ્ર અને તેમનું તેજ દિવસે-દિવસે ક્ષય થવા લાગ્યું અને તેઓ મૃત્યુ તરફ આગળ વધવા લાગ્યા.

ચંદ્રદેવે શિવજીની તપસ્યા કરી

દેવતાઓએ ચંદ્રદેવને શિવજીની તપસ્યા કરવા માટે જણાવ્યું. ત્યારે ચંદ્રદેવે ગુજરાતના દરિયા કિનારે શિવલિંગ બનાવીને તપસ્યા કરી. ચંદ્રદેવની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાને શિવજીએ ચંદ્રદેવને પોતાના માથા પર બેસાડીને તેઓને મૃત્યુથી બચાવી લીધા હતા. આ જગ્યા પર ભગવાન શિવ, ચંદ્રદેવની પ્રાર્થના પર જ્યોર્તિલિંગરૂપે પહેલી વખત પ્રકટ થયા હતા અને સોમનાથ તરીકે ઓળખાયા હતા.

આ કારણે 15 દિવસ ક્ષય થાય છે ચંદ્ર

ચંદ્રદેવે તેમના અહંકારની ભગવાન ગણેશજી પાસે માફી માગી. ત્યારે ગણેશજીએ તેઓને માફ કર્યા અને કહ્યું કે હું આ શ્રાપ ખતમ કરી નહીં શકુ પણ તમે દરરોજ ક્ષય થશો અને 15 દિવસ પછી ફરી વધવા લાગશો. અને પૂર્ણ થઈ જશો. પણ, જો તમે ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રના દર્શન કરવા માગો છો તો તમારા હાથમાં ફળ, મીઠાઈ અથવા દહીં લઈને ચંદ્રના દર્શન કરો. આવું કરવાથી ચંદ્ર દર્શનનું અશુભ ફળ નહીં મળે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો