એપશહેર

ગંદાં કપડાં પહેરવાથી ધનનો નાશ થાય છે, જાણો બીજું શું કહે છે ગરુડ પુરાણ

ગરુડ પુરાણ વૈષ્ણવ સંપ્રદાય અને સનાતન ધર્મમાં મૃત્યુ બાદ સદગતિ આપનારું માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં મૃત્યુ બાદ ગરુડ પુરાણનો પાઠ કરવાની વિધાન છે. તમામ પુરાણોમાં ગરુડ પુરાણનું વિશેષ મહત્ત્વ માનવામાં આવ્યું છે. ગરુડ પુરાણ વિષ્ણુ ભક્તિનું વિસ્તાર વર્ણન માનવામાં આવે છે. આ એક એવો ગ્રંથ છે, જે જીવન સંબંધિત અનેક ગુપ્ત વાતોથી આપણને અવગત કરાવે છે. આ વાતોને જીવનમાં અપનાવવાથી જીવન પદ્ધતિ સરળ અને સુખદાયી થઈ શકે છે.

I am Gujarat 6 Feb 2018, 4:19 pm
ગરુડ પુરાણ વૈષ્ણવ સંપ્રદાય અને સનાતન ધર્મમાં મૃત્યુ બાદ સદગતિ આપનારું માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં મૃત્યુ બાદ ગરુડ પુરાણનો પાઠ કરવાની વિધાન છે. તમામ પુરાણોમાં ગરુડ પુરાણનું વિશેષ મહત્ત્વ માનવામાં આવ્યું છે. ગરુડ પુરાણ વિષ્ણુ ભક્તિનું વિસ્તાર વર્ણન માનવામાં આવે છે. આ એક એવો ગ્રંથ છે, જે જીવન સંબંધિત અનેક ગુપ્ત વાતોથી આપણને અવગત કરાવે છે. આ વાતોને જીવનમાં અપનાવવાથી જીવન પદ્ધતિ સરળ અને સુખદાયી થઈ શકે છે.
I am Gujarat according to garud puran wearing old clothes will take away your wealth
ગંદાં કપડાં પહેરવાથી ધનનો નાશ થાય છે, જાણો બીજું શું કહે છે ગરુડ પુરાણ


ગંદાં કપડાં છીનવી શકે છે તમામ સુખ

ધન અને સુખ સુવિધાઓ સંપન્ન થયા બાદ પણ જે વ્યક્તિ ગંદા કે ઉપયોગમાં લેવાયેલાં કપડાં પહેરે છે, તે લોકોનાં તમામ સુખ છીનવી શકે છે. ગરુડ પુરાણ અનુસાર માનવામાં આવે છે કે, આવા લોકોથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. માતા લક્ષ્મી સુંદર અને સાફ સ્થળે વાસ કરે છે. સુગંધિત સ્થળો તરફ માતાનું વિચરણ થાય છે.

સતત અભ્યાસ જરૂરી

ગરુડ પુરાણના અનુસાર માનવામાં આવે છે કે, કોઈ પણ કળા કે વિદ્યાનો અભ્યાસ ન કરવામાં આવે તો તે થોડા સમય બાદ કુંઠિત થઈ જાય છે અને આપણો સાથ છોડી દે છે. આ કારણે સતત અભ્યાસ આવશ્યક માનવામાં આવે છે.

આમ કરવાથી સરસ્વતી નારાજ થાય છે

ગરુડ પુરણામાં અન્ય એક માન્યતા અનુસાર કહેવામાં આવ્યું છે કે, જે લોકો પોતાની કળા અને વિદ્યાનો ઘમંડ કરવા લાગે છે અને બીજાને દરેક વખતે નીચા દેખાડવાનો પ્રયાસ કરે છે, તેમનાથી સરસ્વતી માતા તેમનું વરદાન પાછું ખેંચી લે છે. ગરુડ પુરાણ અનુસાર માનવામાં આવે છે કે, જે લોકો સંકુચિત અને અપાચ્ય ભોજન ગ્રહણ કરે છે, તેમના જીવનમાં બીમારીઓ હંમેશાં રહે છે. એવું મનાય છે કે, સંતુલિત ભોજનથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે અને આખા શરીરને ઊર્જા પ્રાપ્ત થાય છે.

શત્રુઓ વિશે શું કહે છે પુરાણ?

ગરુડ પુરાણ અનુસાર એવું કહેવાય છે કે, શત્રુઓ સામે લડવા માટે ચતુરતાપૂર્ણ નીતિની મદદ લેવી જોઈએ. દુશ્મનથી છુટકારો જરૂરી હોય છે, પરંતુ તેના સ્તર સુધી જઈને તેનાથી છૂટી શકાતું નથી. જેવો શત્રુ હોય તે અનુસાર ચતુરનીતિ બનાવીને શત્રુનો નાશ કરી શકાય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો