એપશહેર

સવારે ઉઠીને કરો આ કામ, જીવનમાં ક્યારેય નહીં આવે આર્થિક તંગી

જીવનમાં આર્થિક રીતે સંપન્ન હોવું ખૂબ જરૂરી છે. ખાસ કરીને આજના સમયમાં આર્થિક સંપન્નતા જરૂરી છે. ધન પ્રાપ્તિ માટે સારું શિક્ષણ મેળવવાથી લઈ યોગ્ય નોકરી કે વ્યવસાય પસંદ કરીએ છીએ. જો કે કર્મક્ષેત્રની સાથે કેટલાક ઉપાય કરી લેશો અપાર ધનની વર્ષા થશે. વાંચીને અજીબ લાગશે પરંતુ વાસ્તુશાસ્ત્રમાં આનો ઉપાય સૂચવવામાં આવ્યો છે. વાસ્તુશાસ્ત્ર મુજબ આ ટિપ્સ અપનાવશો તો જીવનમાં ક્યારેય ધન નહીં ખૂટે

શિવાની જોષી | I am Gujarat 24 May 2019, 2:18 pm
જીવનમાં આર્થિક રીતે સંપન્ન હોવું ખૂબ જરૂરી છે. ખાસ કરીને આજના સમયમાં આર્થિક સંપન્નતા જરૂરી છે. ધન પ્રાપ્તિ માટે સારું શિક્ષણ મેળવવાથી લઈ યોગ્ય નોકરી કે વ્યવસાય પસંદ કરીએ છીએ. જો કે કર્મક્ષેત્રની સાથે કેટલાક ઉપાય કરી લેશો અપાર ધનની વર્ષા થશે. વાંચીને અજીબ લાગશે પરંતુ વાસ્તુશાસ્ત્રમાં આનો ઉપાય સૂચવવામાં આવ્યો છે. વાસ્તુશાસ્ત્ર મુજબ આ ટિપ્સ અપનાવશો તો જીવનમાં ક્યારેય ધન નહીં ખૂટે
I am Gujarat according to vastu everyday do these things for wealth
સવારે ઉઠીને કરો આ કામ, જીવનમાં ક્યારેય નહીં આવે આર્થિક તંગી


પ્રવેશદ્વારથી ધનનું આગમન

પ્રવેશદ્વારનું મહત્વ ઘરની અંદર પ્રવેશવા માટે છે તેટલું જ ધનની વૃદ્ધિ માટે પણ છે. વાસ્તુશાસ્ત્ર મુજબ જો આર્થિક સંપન્નાતા જોઈતો હોય તો મુખ્ય દ્વાર પર ડાર્ક રંગ કરાવો. જો કે દરવાજાનો રંગ કાળો ન હોવો જોઈએ. શુભ રંગ ગણાતા લાલ અને મરૂન રંગ પર પસંદગી ઉતારી શકો છો. આ ઉપાયથી ધનમાં વૃદ્ધિ થશે. યાદ રાખો કે સવારે ઉઠો ત્યારે ઘરનો મુખ્ય દરવાજો ખોલતી વખતે મા લક્ષ્મીનું સ્મરણ કરો અને પછી દરવાજો ખોલો.

મા લક્ષ્મીની વિશેષ કૃપા

જો તમારા પ્રવેશ દ્વાર પર કોઈ બીજો રંગ હોય તો તેનો પણ ઉપાય છે. શુભ રંગ ગણાતા લાલ કે મરૂન રંગની પ્રવેશદ્વાર પર ડિઝાઈન બનાવી દો અથવા તો મા લક્ષ્મીની તસવીર લગાવો. આમ કરવાથી માતાની વિશેષ કૃપા મળશે. સવારે જ્યારે દરવાજો ખોલો ક્યારે લક્ષ્મી માતાની તસવીર જોઈને તેમને નમન કરો.

આ પ્રતિક લગાવો

ઘરના પ્રવેશદ્વાર પર ઓમ, શ્રીગણેશ, મા લક્ષ્મી અને શુભ-લાભના પ્રતિક ચિહ્નો લગાવો. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે અને નકારાત્મક ઉર્જાનો વિનાશ થશે. યાદ રાખો કે જ્યારે પણ ઘરનો દરવાજો ખોલો ત્યારે આ ચિહ્નોને પ્રણામ કરો. આ કામ નિયમિત રીતે કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થશે.

આ છોડ લાવશે અપાર ધન

ઘરના પ્રવેશદ્વારની સામે જ તુલસી કે ચમેલીનો છોડ લગાવો. સવારે ઉઠતાં જ આ છોડના દર્શન કરો. સાંજે નિયમિતપણે તુલસી માતાની પાસે દીવો કરો. આમ કરવાથી ઘરમાં ધન-ધાન્યની તંગી નહીં સર્જાય.

આ ટિપ્સ અજમાવી શકો છો

સવારે ઉઠ્યા બાદ અને નાસ્તો કરતાં પહેલા નાભિ પર ગુલાબનું અત્તર લગાવો. યાદ રાખો કે આ અત્તર ઘરના મંદિરમાં મા ભગવતીને ચડાવ્યા બાદ જ લગાવવું. આ પ્રયોગથી જીવનમાં ક્યારેય ધનની કમી નહીં સર્જાય.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો